રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ઢોર પકડવા લીધેલા પગલા માત્ર કાગળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:37:53

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવતા આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આ મામલે સરકારને ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓને પણ ખખડાવી નાખ્યાં હતા.  હાઈકોર્ટના આદેશ પ્રમાણે આજે 18 ઓક્ટોબરે ગુજરાત સરકારના તમામ મોટા અધિકારીઓ DGP, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા ઉપરાંત AMC કમિશનર એમ. થેન્નારસન પણ સુનાવણી દરમ્યાન હાજર રહ્યાં હતા. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.



રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?


રખડતા ઢોરને પકડવા માટે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગો પૂરી મહેનતથી કામ કરી રહ્યાં હોવાનો બચાવ કર્યો હતો, ત્યારે કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશે સરકારી વકીલને ન્યૂઝપેપર આપ્યું હતું. રખડતાં ઢોર મામલે મુખ્ય ન્યાયાધીશે ફોટો સાથે પ્રસિદ્ધ થયેલું સમાચારપત્ર સરકારી વકીલને પકડાવ્યું અને ન્યૂઝ પેપરમાં રખડતા ઢોરનો ફોટોગ્રાફ દેખાડી તંત્રનો ઉઘડો લઈ લીધો હતો. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. તહેવારોના સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છતા નથી.' 



જમાવટની ટીમે બનાસકાંઠા લોકસભા સીટના બંને ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીને તેમનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. રેખાબેન ચૌધરી સાથે તો વાત ના થઈ પરંતુ ગેનીબેન ઠાકોરે આખું લિસ્ટ ગણાવ્યું...

પરષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. ત્યારે સંકલન સમિતી દ્વારા એખ પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લોકશાહી ઢબે આંદોલનને આગળ વધારવા માટે અપીલ કરવામાં આવી છે..

આજે ગુજરાત સ્થાપના દિવસ છે... અનેક ગુજરાતીઓ બહાર વસે છે પરંતુ દિલમાં તો તેમના ગુજરાત જ વસે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના..

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.