રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ઢોર પકડવા લીધેલા પગલા માત્ર કાગળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:37:53

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવતા આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આ મામલે સરકારને ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓને પણ ખખડાવી નાખ્યાં હતા.  હાઈકોર્ટના આદેશ પ્રમાણે આજે 18 ઓક્ટોબરે ગુજરાત સરકારના તમામ મોટા અધિકારીઓ DGP, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા ઉપરાંત AMC કમિશનર એમ. થેન્નારસન પણ સુનાવણી દરમ્યાન હાજર રહ્યાં હતા. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.



રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?


રખડતા ઢોરને પકડવા માટે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગો પૂરી મહેનતથી કામ કરી રહ્યાં હોવાનો બચાવ કર્યો હતો, ત્યારે કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશે સરકારી વકીલને ન્યૂઝપેપર આપ્યું હતું. રખડતાં ઢોર મામલે મુખ્ય ન્યાયાધીશે ફોટો સાથે પ્રસિદ્ધ થયેલું સમાચારપત્ર સરકારી વકીલને પકડાવ્યું અને ન્યૂઝ પેપરમાં રખડતા ઢોરનો ફોટોગ્રાફ દેખાડી તંત્રનો ઉઘડો લઈ લીધો હતો. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. તહેવારોના સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છતા નથી.' 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"