રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ઢોર પકડવા લીધેલા પગલા માત્ર કાગળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:37:53

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવતા આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આ મામલે સરકારને ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓને પણ ખખડાવી નાખ્યાં હતા.  હાઈકોર્ટના આદેશ પ્રમાણે આજે 18 ઓક્ટોબરે ગુજરાત સરકારના તમામ મોટા અધિકારીઓ DGP, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા ઉપરાંત AMC કમિશનર એમ. થેન્નારસન પણ સુનાવણી દરમ્યાન હાજર રહ્યાં હતા. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.



રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?


રખડતા ઢોરને પકડવા માટે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગો પૂરી મહેનતથી કામ કરી રહ્યાં હોવાનો બચાવ કર્યો હતો, ત્યારે કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશે સરકારી વકીલને ન્યૂઝપેપર આપ્યું હતું. રખડતાં ઢોર મામલે મુખ્ય ન્યાયાધીશે ફોટો સાથે પ્રસિદ્ધ થયેલું સમાચારપત્ર સરકારી વકીલને પકડાવ્યું અને ન્યૂઝ પેપરમાં રખડતા ઢોરનો ફોટોગ્રાફ દેખાડી તંત્રનો ઉઘડો લઈ લીધો હતો. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. તહેવારોના સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છતા નથી.' 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.