તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટની ફટકાર "કોઈ પણ પ્રકારની રાહતને લાયક નથી"


  • Published By :
  • Published Date : 2024-01-02 15:29:33

સામાજીક કાર્યકર અને ગુજરાત રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદીને ફસાવવાના આરોપનો સામનો કરી રહેલી તિસ્તા સેતલવાડને લઈ ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે કે તિસ્તા સેતલવાડને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. વર્ષ 2005માં ગોધરા હિંસા બાદ મહીસાગર જિલ્લાના પાંડરવાડા  નજીક ક્બ્રસ્તાનમાં કબરો ખોદીને 28 શબો બહાર કાઢવાના કેસમાં તિસ્તા સેતલવાડનું નામ આવ્યું છે. કોર્ટે આ અંગે રાજનૈતિક ઉત્પિડનની દલીલને ફગાવી દીધી અને આવું તો આજકાલ બધા જ બોલે છે. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.


શું છે સમગ્ર મામલો?


ડિસેમ્બર 2005માં ગોધરા હિંસા પછી મહીસાગર જિલ્લાના પાંડરવાડા નજીક પાંડરવાડા  નજીક ક્બ્રસ્તાનમાંથી કબરો ખોદવા અને 28 મૃતદેહો કાઢવાના કેસમાં સેતલવાડનું નામ સામે આવ્યું છે. 2011માં નોંધાયેલી FIRમાં તેમનું નામ સામેલ થયા બાદ સેતલવાડે 2017માં કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2006માં ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ખોટા પુરાવાઓ બનાવવા, પુરાવાનો નાશ કરવા, કબ્રસ્તાનમાં અતિક્રમણ કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી હતી. સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે રેકોર્ડ જોયા પછી હું રાહત આપવાના મૂડમાં નથી. તમારે તમારા જવાબથી (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે.


રમખાણ પીડિતોના આક્ષેપો બાદ કાર્યવાહી


ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે સ્થળને કબ્રસ્તાન તરીકે યોગ્ય રીતે સૂચિત કર્યા પછી જ દફનવિધિ કરવામાં આવી હતી. રઈસ ખાન અને સેતલવાડ અલગ થયા બાદ ખાનના નિવેદનના આધારે સેતલવાડનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. ખાને જણાવ્યું હતું કે મૃતદેહોને કાઢવાનું કામ તેમના આદેશ પર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે લુણાવાડા નગરપાલિકાએ સેતલવાડ સ્થિત NGO સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પૂર્વ સંયોજક રઈસ ખાન સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રમખાણ પીડિતોના આક્ષેપો બાદ એમના સંબંધીઓએ શબપરીક્ષણ માટેની પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસર્યા વિના દફનાવવામાં આવ્યા હોવાના આરોપો મૂક્યા હતા. જે અંતર્ગત હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી