IAS નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં હુમલો, 12 લોકો સામે નોંધાઈ FIR, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:47:55

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટના નિયામક અને IAS અધિકારી નીતિન સાંગવાન પ્રોજેક્ટમાં ગેરરીતિઓની આશંકાને પગલે તપાસ કરવા માટે ગયા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં લોકોના જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સહિત 12ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.  પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સાબરકાંઠા ડીએસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું છે કે આરોપીઓને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.


મામલો શું હતો?


ફિશિંગ કમિશનર નીતિન સાંગવાન ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર વિઝીટ કરવા માટે આવ્યા હતા. અહીં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. જેથી નીતિન સાંગવાનની વિઝીટ દરમિયાન ગેરરીતીને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.


નીતિન સાંગવાનને બંધક બનાવવામાં આવ્યા


બાબુ પરમારે 10થી 12 અન્ય માણસોને બોલાવ્યા હતા તેમણે આઈએએસ અધિકારીને માર માર્યો હતો. લાકડીઓ સાથે સશસ્ત્ર ઘટનાસ્થળે આવેલા આ લોકોએ સાંગવાન અને તેમની ટીમને તેઓ ફરિયાદ નહીં કરે તેવું લખાણ લખી ન આપે ત્યાં સુધી બંધક બનાવી રાખ્યા હતા. આરોપીઓએ ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, 'તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે, "આજરોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયું છે, જેથી હું પોલીસમાં ફરિયાદ કરીશ નહીં" તેવું લખાણ લખી આપવાનું કહ્યું હતું. આ માથાભારે લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી.


મહામુસીબતે છુટકારો


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આરોપીઓની ચૂંગાલમાંથી જેમતેમ કરીને છુટકારો મેળવ્યો હતો. કેદમાંથી છુટ્યા બાદ તેમણે 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મુકવા માટે, કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.


3 આરોપીઓની ધરપકડ


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે ખેડબ્રહ્માના કંથાપુરના બાબુ પરમાર, દિલીપ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુ ગમાર, નિલેષ ગમાર, રાહુલ અને બીજા 10થી 12 જણાના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ વડાલી પોલીસ એક્શનમાં આવી હતી, પોલીસે બનાસકાંઠાના દાંતાના નિલેષ ગમાર, વિષ્ણુ ગમાર અને ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપ પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.



ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.