IAS નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં હુમલો, 12 લોકો સામે નોંધાઈ FIR, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:47:55

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટના નિયામક અને IAS અધિકારી નીતિન સાંગવાન પ્રોજેક્ટમાં ગેરરીતિઓની આશંકાને પગલે તપાસ કરવા માટે ગયા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં લોકોના જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સહિત 12ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.  પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સાબરકાંઠા ડીએસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું છે કે આરોપીઓને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.


મામલો શું હતો?


ફિશિંગ કમિશનર નીતિન સાંગવાન ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર વિઝીટ કરવા માટે આવ્યા હતા. અહીં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. જેથી નીતિન સાંગવાનની વિઝીટ દરમિયાન ગેરરીતીને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.


નીતિન સાંગવાનને બંધક બનાવવામાં આવ્યા


બાબુ પરમારે 10થી 12 અન્ય માણસોને બોલાવ્યા હતા તેમણે આઈએએસ અધિકારીને માર માર્યો હતો. લાકડીઓ સાથે સશસ્ત્ર ઘટનાસ્થળે આવેલા આ લોકોએ સાંગવાન અને તેમની ટીમને તેઓ ફરિયાદ નહીં કરે તેવું લખાણ લખી ન આપે ત્યાં સુધી બંધક બનાવી રાખ્યા હતા. આરોપીઓએ ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, 'તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે, "આજરોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયું છે, જેથી હું પોલીસમાં ફરિયાદ કરીશ નહીં" તેવું લખાણ લખી આપવાનું કહ્યું હતું. આ માથાભારે લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી.


મહામુસીબતે છુટકારો


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આરોપીઓની ચૂંગાલમાંથી જેમતેમ કરીને છુટકારો મેળવ્યો હતો. કેદમાંથી છુટ્યા બાદ તેમણે 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મુકવા માટે, કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.


3 આરોપીઓની ધરપકડ


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે ખેડબ્રહ્માના કંથાપુરના બાબુ પરમાર, દિલીપ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુ ગમાર, નિલેષ ગમાર, રાહુલ અને બીજા 10થી 12 જણાના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ વડાલી પોલીસ એક્શનમાં આવી હતી, પોલીસે બનાસકાંઠાના દાંતાના નિલેષ ગમાર, વિષ્ણુ ગમાર અને ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપ પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .