ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને SC તરફથી રાહત, કેન્દ્રના બરતરફીના નિર્ણય પર સ્ટે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:29:04

ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના બરતરફીના નિર્ણયના અમલીકરણ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વર્માને કહ્યું કે આ સમય દરમિયાન તેઓ બરતરફીના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ત્યારપછી હાઈકોર્ટ નક્કી કરશે કે બરતરફીના આદેશ પર સ્ટે મુકીને આગળ વધારવો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં મેરિટ પર કંઈ કહ્યું નથી, પક્ષકારો હાઈકોર્ટમાં તેમની દલીલો મૂકી શકે છે.


જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. વર્માએ  કેન્દ્રની બરતરફીના નિર્ણયને પડકારી હતી. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે રચાયેલી સીટનું નેતૃત્વ કરનારા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માને નિવૃતી પહેલા જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સતીશ વર્મા 30 સપ્ટેમ્બરે જ નિવૃત થઈ રહ્યા છે.


સતીશ ચંદ્ર વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી                          


કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કર્યો હતો અને વિભાગીય કાર્યવાહી સંબંધિત આધાર પર તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કર્યો હતો. સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર હાઈકોર્ટે પણ આ આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. વર્માએ સરકાર દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારી છે. 1986 બેચના આઈપીએસ અધિકારી સતીશચંદ્ર વર્મા સામે ચાલી રહેલી વિભાગીય તપાસને કારણે તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમની વર્તમાન પોસ્ટિંગ તમિલનાડુના કોઈમ્બતુરમાં CRPFમાં IGPની પોસ્ટ પર છે.


હકીકતમાં, આ મામલામાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને માહિતી આપી છે કે સરકાર વતી સતીશ ચંદ્ર વર્માને 30 ઓગસ્ટ 2022ના આદેશથી બરતરફ કરવામાં આવ્યા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને તેમના દ્વારા એક વર્ષ સુધી સતીશ ચંદ્ર વર્મા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પર કોઈ તાત્કાલિક પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


જો કે કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બરતરફીની આ મંજૂરીને અંતિમ સ્વરૂપે અમલી કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને IPS અધિકારી વર્માને 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ કાયદા અનુસાર આદેશ સામે તેમના વિકલ્પનો ઉપયોગ કરી શકે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.