ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને SC તરફથી રાહત, કેન્દ્રના બરતરફીના નિર્ણય પર સ્ટે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:29:04

ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના બરતરફીના નિર્ણયના અમલીકરણ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વર્માને કહ્યું કે આ સમય દરમિયાન તેઓ બરતરફીના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ત્યારપછી હાઈકોર્ટ નક્કી કરશે કે બરતરફીના આદેશ પર સ્ટે મુકીને આગળ વધારવો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં મેરિટ પર કંઈ કહ્યું નથી, પક્ષકારો હાઈકોર્ટમાં તેમની દલીલો મૂકી શકે છે.


જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. વર્માએ  કેન્દ્રની બરતરફીના નિર્ણયને પડકારી હતી. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે રચાયેલી સીટનું નેતૃત્વ કરનારા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માને નિવૃતી પહેલા જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સતીશ વર્મા 30 સપ્ટેમ્બરે જ નિવૃત થઈ રહ્યા છે.


સતીશ ચંદ્ર વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી                          


કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કર્યો હતો અને વિભાગીય કાર્યવાહી સંબંધિત આધાર પર તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કર્યો હતો. સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર હાઈકોર્ટે પણ આ આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. વર્માએ સરકાર દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારી છે. 1986 બેચના આઈપીએસ અધિકારી સતીશચંદ્ર વર્મા સામે ચાલી રહેલી વિભાગીય તપાસને કારણે તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમની વર્તમાન પોસ્ટિંગ તમિલનાડુના કોઈમ્બતુરમાં CRPFમાં IGPની પોસ્ટ પર છે.


હકીકતમાં, આ મામલામાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને માહિતી આપી છે કે સરકાર વતી સતીશ ચંદ્ર વર્માને 30 ઓગસ્ટ 2022ના આદેશથી બરતરફ કરવામાં આવ્યા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને તેમના દ્વારા એક વર્ષ સુધી સતીશ ચંદ્ર વર્મા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પર કોઈ તાત્કાલિક પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


જો કે કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બરતરફીની આ મંજૂરીને અંતિમ સ્વરૂપે અમલી કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને IPS અધિકારી વર્માને 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ કાયદા અનુસાર આદેશ સામે તેમના વિકલ્પનો ઉપયોગ કરી શકે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.