ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને SC તરફથી રાહત, કેન્દ્રના બરતરફીના નિર્ણય પર સ્ટે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:29:04

ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના બરતરફીના નિર્ણયના અમલીકરણ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વર્માને કહ્યું કે આ સમય દરમિયાન તેઓ બરતરફીના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ત્યારપછી હાઈકોર્ટ નક્કી કરશે કે બરતરફીના આદેશ પર સ્ટે મુકીને આગળ વધારવો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં મેરિટ પર કંઈ કહ્યું નથી, પક્ષકારો હાઈકોર્ટમાં તેમની દલીલો મૂકી શકે છે.


જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. વર્માએ  કેન્દ્રની બરતરફીના નિર્ણયને પડકારી હતી. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે રચાયેલી સીટનું નેતૃત્વ કરનારા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માને નિવૃતી પહેલા જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સતીશ વર્મા 30 સપ્ટેમ્બરે જ નિવૃત થઈ રહ્યા છે.


સતીશ ચંદ્ર વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી                          


કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કર્યો હતો અને વિભાગીય કાર્યવાહી સંબંધિત આધાર પર તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કર્યો હતો. સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર હાઈકોર્ટે પણ આ આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. વર્માએ સરકાર દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારી છે. 1986 બેચના આઈપીએસ અધિકારી સતીશચંદ્ર વર્મા સામે ચાલી રહેલી વિભાગીય તપાસને કારણે તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમની વર્તમાન પોસ્ટિંગ તમિલનાડુના કોઈમ્બતુરમાં CRPFમાં IGPની પોસ્ટ પર છે.


હકીકતમાં, આ મામલામાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને માહિતી આપી છે કે સરકાર વતી સતીશ ચંદ્ર વર્માને 30 ઓગસ્ટ 2022ના આદેશથી બરતરફ કરવામાં આવ્યા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને તેમના દ્વારા એક વર્ષ સુધી સતીશ ચંદ્ર વર્મા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પર કોઈ તાત્કાલિક પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


જો કે કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બરતરફીની આ મંજૂરીને અંતિમ સ્વરૂપે અમલી કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને IPS અધિકારી વર્માને 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ કાયદા અનુસાર આદેશ સામે તેમના વિકલ્પનો ઉપયોગ કરી શકે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.