Gujarat બની રહ્યું છે ઉડતા ગુજરાત! Suratથી ઝડપાયો ગાંજાનો જથ્થો, ગઈકાલે વાપીથી ઝડપાયો હતો એમડી ડ્રગ્સનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-11-07 14:10:29

પહેલા આપણે કહેતા હતા ઉડતા પંજાબ... પરંતુ ધીરે ધીરે ઉડતા ગુજરાત લોકો કહેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.! ગાંધીના ગુજરાતમાંથી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ડ્રગ્સ પકડાય છે વગેરે વગેરે.... અનેક કાયદાઓ બનાવવામાં આવે છે પરંતુ તેની કામગીરી માત્ર કાગળ પર જ થાય છે તેવી વાતો અનેક વખત પૂરવાર થાય છે જ્યારે નશીલા પદાર્થનો જથ્થો ઝડપાય છે. માફિયાઓ તેમજ બુટલેગરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ વાપી જીઆઈડીસીમાંથી ઝડપાયું હતું ત્યારે આજે સુરતથી ગાંજાના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંજા સાથે કુલ 41,320નો મુદ્દામાલ જપ્ત થયો છે.  

Press Information Bureau

વાપી જીઆઈડીસીમાંથી પકડાયો કરોડોના એમડી ડ્રગ્સનો જથ્થો 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં પોલીસ અધિકારી જ નશાની હાલતમાં ઝડપાય છે. તે ઉપરાંત અનેક હોસ્પિટલોથી દારૂની બોટલો ઝડપાય છે. સરકારી કચેરીમાંથી પણ જો દારૂની બોટલ ઝડપાય તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દારૂ ઉપરાંત ગુજરાતનું યુવાધન નશીલા પદાર્થો તરફ પણ વળી રહ્યું છે. 

Press Information Bureau

ગાંજા સાથે પકડાયા બે લોકો!

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપાય છે. ત્યારે 121 કિલોથી વધારે એમડી ડ્રગ્સનો જથ્થો વાપી જીઆઈડીસીમાંથી મળી આવ્યો છે.  DRI દ્વારા વાપી જીઆઇડીસીમાં આવેલી પ્રાઇમ પોલિમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું. ડીઆરઆઇએ એક આરોપી પાસેથી 18 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તે ઉપરાંત સુરતમાંથી ગાંજો પણ પકડાયો છે.  


આની પહેલા પણ અનેક વખત પકડાયો છે ડ્રગ્સનો જથ્થો  

પોલીસની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. દારૂબંધી કાયદાનો અમલ પોલીસ ધારે તો એકદમ કડક રીતના કરાઈ શકે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ કડક કાર્યવાહી કેમ નથી થતી તેનું કારણ પણ આપણે જાણીએ છીએ. આ પહેલી વાર નથી જ્યારે લાખો, કરોડોનું ડ્ર્ગ્સ ગુજરાતમાંથી ઝડપાયું હોય. થોડા સમય પહેલા પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તે સિવાય અમદાવાદમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. થોડા સમય પહેલા ભરૂચથી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને રો મટિરિયલ ઝડપાયું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.