હાડ થીજવતી ઠંડીમાં Gujarat ઠુંઠવાયું! એક તરફ કમોસમી વરસાદની આગાહી અને બીજી તરફ વધ્યું ઠંડીનું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-05 10:15:14

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી ન હતી પરંતુ હવે લાગે છે કે જાણે શિયાળાની મોસમ જામી છે. દેશના અનેક રાજ્યોમાં શિતવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર તેની દેખાઈ રહી છે.  હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવા લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારે ઉઠાવાનું મન નથી થતું. એમ પણ શિયાળામાં ઉંઘવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.2 ડિગ્રી, ગાંધીવગરનું તાપમાન 12.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 16.2 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 15.2 જ્યારે દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 15.9 નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આવનાર દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે