હાડ થીજવતી ઠંડીમાં Gujarat ઠુંઠવાયું! એક તરફ કમોસમી વરસાદની આગાહી અને બીજી તરફ વધ્યું ઠંડીનું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-05 10:15:14

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી ન હતી પરંતુ હવે લાગે છે કે જાણે શિયાળાની મોસમ જામી છે. દેશના અનેક રાજ્યોમાં શિતવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર તેની દેખાઈ રહી છે.  હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવા લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારે ઉઠાવાનું મન નથી થતું. એમ પણ શિયાળામાં ઉંઘવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.2 ડિગ્રી, ગાંધીવગરનું તાપમાન 12.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 16.2 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 15.2 જ્યારે દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 15.9 નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આવનાર દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.