હાડ થીજવતી ઠંડીમાં Gujarat ઠુંઠવાયું! એક તરફ કમોસમી વરસાદની આગાહી અને બીજી તરફ વધ્યું ઠંડીનું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-05 10:15:14

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી ન હતી પરંતુ હવે લાગે છે કે જાણે શિયાળાની મોસમ જામી છે. દેશના અનેક રાજ્યોમાં શિતવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર તેની દેખાઈ રહી છે.  હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવા લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારે ઉઠાવાનું મન નથી થતું. એમ પણ શિયાળામાં ઉંઘવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.2 ડિગ્રી, ગાંધીવગરનું તાપમાન 12.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 16.2 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 15.2 જ્યારે દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 15.9 નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આવનાર દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.