ગુજરાત અનાજ, ખાંડ અને તેલથી વંચિત રહે તેવી સંભાવના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 12:54:27

ગુજરાતમાં ચૂંટણી અગાઉ અનેક લોકોએ પોતાની માગણીઓનો વરસાદ કર્યો હોય તેવામાં વધુ એક સંગઠન પણ પોતાની માગણી સાથે સરકાર સામે પડ્યું છે. 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.


સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ 

ગત ઘણા દિવસોથી સસ્તા અનાજના દુકાનદારો મુખ્યમંત્રીને પોતાની માગણીઓ સંતોષવા પત્ર લખી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ ન આવતા દુકાનદારોએ આંદોલન કર્યું છે. પોતાની જૂની માગો સાથે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને કેરોસીન હોલ્ડર શૉપ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જૂની માગણીઓ સંતોષવા મામલે જાણ કરી હતી


શું દિવાળી પર રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે?

ગુજરાતના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરે. 


થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે નિર્ણય લઈ જાહેરાત કરી હતી કે સસ્તા અનાજનું અનાજ વિતરણ વધુ ત્રણ મહિના માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતથી સમાચાર મળી રહ્યા છે કે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવી અસંતોષ લોકોની લાગણીઓ અને માગણીઓને પોતાની રીતે થાય એટલી વાચા આપી રહી છે ત્યારે હવે સરકાર જો આ દુકાનદારોનું નહીં સાંભળે તો ગુજરાતીઓને દિવાળીમાં રાશન નહીં મળે તેવી દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.