Gujarat : પાટીદાર અનામત આંદોલન વખતના અનેક ચહેરાઓ વિશે જાણો જે નીકળ્યા હતા ક્રાંતિ કરવા તે બધા ય એક બાદ એક રાજકારણીઓ બની ગયા...!


  • Published By :
  • Published Date : 2024-04-29 12:52:48

એક સમય હતો ત્યારે એવું માનવામાં આવતું કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી સાબિત થઈ છે, પરંતુ જો એવું કહીએ કે સમાજમાં બદલાવ લાવવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓ પણ ભાજપમય બની ગયા છે તો અતિશયોક્તિ નથી...જેમ નેતાઓ પહેલા ભાજપના વિરૂદ્ધમાં નિવેદનો આપતા હોય તે જ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના ગુણગાન ગાવા લાગે છે તેવી જ રીતે સરકાર સામે મોરચો ખોલનાર આંદોલનકારીઓ પણ અંતે ભાજપમાં આવીને ભળી જાય છે...!     

અનેક જગ્યાઓ પર ભાજપના સૂપડા સાફ થયા હતા...! 

રાજ્યમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે , સમાજકારણ અને રાજકારણ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું ઉદાહરણ અમારે તમને ભૂતકાળમાં લઈ જઈને બતાવવું છે , શરૂઆત કરીશું વર્ષ 2015ના એવા આંદોલનથી કે જેણે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી દીધી. 2015માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે બાજુ કોંગ્રેસનો પરચમ લહેરાયો . ભારતીય જનતા પાર્ટીના સૂપડા દરેક જિલ્લા તાલુકા પંચાયતોમાંથી સાફ થઈ ગયા . કોંગ્રેસ ફરી એક વાર ઉભરીને સામે આવી . 



2024 આવતા આવતા... 

2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી  એ અથાક પ્રયત્નો કર્યા પણ BJP માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી અદભુત રીતે ખીલી પણ 2024 આવતા સુધીમાં પાટીદાર અનામત આંદોલન વખતે સામે આવેલા ચેહરાઓ બધા એક એક કરીને ભારતીય જનતા પાર્ટી મય થઈ ગયા છે. વાત કરીશું એવા ચહેરાઓની કે જે નીકળ્યા હતા સમાજમાં ક્રાંતિ કરવા અને હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવા . 



આંદોલન વખતના અનેક ચહેરાઓ જોડાઈ ગયા છે ભાજપમાં  

પાટીદાર અનામત આંદોલન વખતના મોટાભાગના નેતાઓ હવે રાજકારણમાં આવી ગયા છે . આ ચહેરાઓમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે . જેમ કે હાર્દિક પટેલ , ચિરાગ કાલરીયા , નિખિલ સવાણી, દિનેશ બામભણીયા વગેરે અને હવે તેમાં વધુ બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ આ લિસ્ટમાં સામેલ થઈ જવાના છે. આ રાજકારણમાં પ્રવેશનારામાંથી માત્ર હાર્દિક પટેલ જ BJPના MLA બની ચુક્યા છે. જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયા , લલિત કગથરા , કિરીટ પટેલને  MLA બનાવી ચુકી છે . 


પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરાઓ આજે...

તો આ તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા , રેશ્મા પટેલ અને રામ ધડુક જોડાયા છે. જયારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે .આ નેતાઓમાં એક એવું નામ પણ છે જે , પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલું છે હજીપણ રાજકારણથી દૂર છે , તે છે લાલજી પટેલ. મહત્વનું છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડવા માટે પાર્ટીના નેતાઓએ જે સ્થળ પસંદ કર્યું છે , તેજ માનગઢ ચોકમાં 9 વર્ષ પેહલા પાટીદાર અનામત આંદોલન સરદાર પટેલની  પ્રતિમા પાસેથી શરુ કરાયું હતું . ઉલ્લેખનિય  છે કે એવું કહીએ કે આંદોલન હવે રાજનીતિમાં પ્રવેશવાની સીડી બની ગયું છે તો અતિશયોક્તિ નથી... 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.