Gujarat : પાટીદાર અનામત આંદોલન વખતના અનેક ચહેરાઓ વિશે જાણો જે નીકળ્યા હતા ક્રાંતિ કરવા તે બધા ય એક બાદ એક રાજકારણીઓ બની ગયા...!


  • Published By :
  • Published Date : 2024-04-29 12:52:48

એક સમય હતો ત્યારે એવું માનવામાં આવતું કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી સાબિત થઈ છે, પરંતુ જો એવું કહીએ કે સમાજમાં બદલાવ લાવવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓ પણ ભાજપમય બની ગયા છે તો અતિશયોક્તિ નથી...જેમ નેતાઓ પહેલા ભાજપના વિરૂદ્ધમાં નિવેદનો આપતા હોય તે જ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના ગુણગાન ગાવા લાગે છે તેવી જ રીતે સરકાર સામે મોરચો ખોલનાર આંદોલનકારીઓ પણ અંતે ભાજપમાં આવીને ભળી જાય છે...!     

અનેક જગ્યાઓ પર ભાજપના સૂપડા સાફ થયા હતા...! 

રાજ્યમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે , સમાજકારણ અને રાજકારણ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું ઉદાહરણ અમારે તમને ભૂતકાળમાં લઈ જઈને બતાવવું છે , શરૂઆત કરીશું વર્ષ 2015ના એવા આંદોલનથી કે જેણે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી દીધી. 2015માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે બાજુ કોંગ્રેસનો પરચમ લહેરાયો . ભારતીય જનતા પાર્ટીના સૂપડા દરેક જિલ્લા તાલુકા પંચાયતોમાંથી સાફ થઈ ગયા . કોંગ્રેસ ફરી એક વાર ઉભરીને સામે આવી . 



2024 આવતા આવતા... 

2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી  એ અથાક પ્રયત્નો કર્યા પણ BJP માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી અદભુત રીતે ખીલી પણ 2024 આવતા સુધીમાં પાટીદાર અનામત આંદોલન વખતે સામે આવેલા ચેહરાઓ બધા એક એક કરીને ભારતીય જનતા પાર્ટી મય થઈ ગયા છે. વાત કરીશું એવા ચહેરાઓની કે જે નીકળ્યા હતા સમાજમાં ક્રાંતિ કરવા અને હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવા . 



આંદોલન વખતના અનેક ચહેરાઓ જોડાઈ ગયા છે ભાજપમાં  

પાટીદાર અનામત આંદોલન વખતના મોટાભાગના નેતાઓ હવે રાજકારણમાં આવી ગયા છે . આ ચહેરાઓમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે . જેમ કે હાર્દિક પટેલ , ચિરાગ કાલરીયા , નિખિલ સવાણી, દિનેશ બામભણીયા વગેરે અને હવે તેમાં વધુ બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ આ લિસ્ટમાં સામેલ થઈ જવાના છે. આ રાજકારણમાં પ્રવેશનારામાંથી માત્ર હાર્દિક પટેલ જ BJPના MLA બની ચુક્યા છે. જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયા , લલિત કગથરા , કિરીટ પટેલને  MLA બનાવી ચુકી છે . 


પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરાઓ આજે...

તો આ તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા , રેશ્મા પટેલ અને રામ ધડુક જોડાયા છે. જયારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે .આ નેતાઓમાં એક એવું નામ પણ છે જે , પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલું છે હજીપણ રાજકારણથી દૂર છે , તે છે લાલજી પટેલ. મહત્વનું છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડવા માટે પાર્ટીના નેતાઓએ જે સ્થળ પસંદ કર્યું છે , તેજ માનગઢ ચોકમાં 9 વર્ષ પેહલા પાટીદાર અનામત આંદોલન સરદાર પટેલની  પ્રતિમા પાસેથી શરુ કરાયું હતું . ઉલ્લેખનિય  છે કે એવું કહીએ કે આંદોલન હવે રાજનીતિમાં પ્રવેશવાની સીડી બની ગયું છે તો અતિશયોક્તિ નથી... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે