Gujarat : પાટીદાર અનામત આંદોલન વખતના અનેક ચહેરાઓ વિશે જાણો જે નીકળ્યા હતા ક્રાંતિ કરવા તે બધા ય એક બાદ એક રાજકારણીઓ બની ગયા...!


  • Published By :
  • Published Date : 2024-04-29 12:52:48

એક સમય હતો ત્યારે એવું માનવામાં આવતું કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી સાબિત થઈ છે, પરંતુ જો એવું કહીએ કે સમાજમાં બદલાવ લાવવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓ પણ ભાજપમય બની ગયા છે તો અતિશયોક્તિ નથી...જેમ નેતાઓ પહેલા ભાજપના વિરૂદ્ધમાં નિવેદનો આપતા હોય તે જ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના ગુણગાન ગાવા લાગે છે તેવી જ રીતે સરકાર સામે મોરચો ખોલનાર આંદોલનકારીઓ પણ અંતે ભાજપમાં આવીને ભળી જાય છે...!     

અનેક જગ્યાઓ પર ભાજપના સૂપડા સાફ થયા હતા...! 

રાજ્યમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે , સમાજકારણ અને રાજકારણ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું ઉદાહરણ અમારે તમને ભૂતકાળમાં લઈ જઈને બતાવવું છે , શરૂઆત કરીશું વર્ષ 2015ના એવા આંદોલનથી કે જેણે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી દીધી. 2015માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે બાજુ કોંગ્રેસનો પરચમ લહેરાયો . ભારતીય જનતા પાર્ટીના સૂપડા દરેક જિલ્લા તાલુકા પંચાયતોમાંથી સાફ થઈ ગયા . કોંગ્રેસ ફરી એક વાર ઉભરીને સામે આવી . 



2024 આવતા આવતા... 

2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી  એ અથાક પ્રયત્નો કર્યા પણ BJP માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી અદભુત રીતે ખીલી પણ 2024 આવતા સુધીમાં પાટીદાર અનામત આંદોલન વખતે સામે આવેલા ચેહરાઓ બધા એક એક કરીને ભારતીય જનતા પાર્ટી મય થઈ ગયા છે. વાત કરીશું એવા ચહેરાઓની કે જે નીકળ્યા હતા સમાજમાં ક્રાંતિ કરવા અને હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવા . 



આંદોલન વખતના અનેક ચહેરાઓ જોડાઈ ગયા છે ભાજપમાં  

પાટીદાર અનામત આંદોલન વખતના મોટાભાગના નેતાઓ હવે રાજકારણમાં આવી ગયા છે . આ ચહેરાઓમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે . જેમ કે હાર્દિક પટેલ , ચિરાગ કાલરીયા , નિખિલ સવાણી, દિનેશ બામભણીયા વગેરે અને હવે તેમાં વધુ બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ આ લિસ્ટમાં સામેલ થઈ જવાના છે. આ રાજકારણમાં પ્રવેશનારામાંથી માત્ર હાર્દિક પટેલ જ BJPના MLA બની ચુક્યા છે. જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયા , લલિત કગથરા , કિરીટ પટેલને  MLA બનાવી ચુકી છે . 


પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરાઓ આજે...

તો આ તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા , રેશ્મા પટેલ અને રામ ધડુક જોડાયા છે. જયારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે .આ નેતાઓમાં એક એવું નામ પણ છે જે , પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલું છે હજીપણ રાજકારણથી દૂર છે , તે છે લાલજી પટેલ. મહત્વનું છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડવા માટે પાર્ટીના નેતાઓએ જે સ્થળ પસંદ કર્યું છે , તેજ માનગઢ ચોકમાં 9 વર્ષ પેહલા પાટીદાર અનામત આંદોલન સરદાર પટેલની  પ્રતિમા પાસેથી શરુ કરાયું હતું . ઉલ્લેખનિય  છે કે એવું કહીએ કે આંદોલન હવે રાજનીતિમાં પ્રવેશવાની સીડી બની ગયું છે તો અતિશયોક્તિ નથી... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.