Gujarat : પાટીદાર અનામત આંદોલન વખતના અનેક ચહેરાઓ વિશે જાણો જે નીકળ્યા હતા ક્રાંતિ કરવા તે બધા ય એક બાદ એક રાજકારણીઓ બની ગયા...!


  • Published By :
  • Published Date : 2024-04-29 12:52:48

એક સમય હતો ત્યારે એવું માનવામાં આવતું કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી સાબિત થઈ છે, પરંતુ જો એવું કહીએ કે સમાજમાં બદલાવ લાવવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓ પણ ભાજપમય બની ગયા છે તો અતિશયોક્તિ નથી...જેમ નેતાઓ પહેલા ભાજપના વિરૂદ્ધમાં નિવેદનો આપતા હોય તે જ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના ગુણગાન ગાવા લાગે છે તેવી જ રીતે સરકાર સામે મોરચો ખોલનાર આંદોલનકારીઓ પણ અંતે ભાજપમાં આવીને ભળી જાય છે...!     

અનેક જગ્યાઓ પર ભાજપના સૂપડા સાફ થયા હતા...! 

રાજ્યમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે , સમાજકારણ અને રાજકારણ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું ઉદાહરણ અમારે તમને ભૂતકાળમાં લઈ જઈને બતાવવું છે , શરૂઆત કરીશું વર્ષ 2015ના એવા આંદોલનથી કે જેણે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી દીધી. 2015માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે બાજુ કોંગ્રેસનો પરચમ લહેરાયો . ભારતીય જનતા પાર્ટીના સૂપડા દરેક જિલ્લા તાલુકા પંચાયતોમાંથી સાફ થઈ ગયા . કોંગ્રેસ ફરી એક વાર ઉભરીને સામે આવી . 



2024 આવતા આવતા... 

2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી  એ અથાક પ્રયત્નો કર્યા પણ BJP માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી અદભુત રીતે ખીલી પણ 2024 આવતા સુધીમાં પાટીદાર અનામત આંદોલન વખતે સામે આવેલા ચેહરાઓ બધા એક એક કરીને ભારતીય જનતા પાર્ટી મય થઈ ગયા છે. વાત કરીશું એવા ચહેરાઓની કે જે નીકળ્યા હતા સમાજમાં ક્રાંતિ કરવા અને હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવા . 



આંદોલન વખતના અનેક ચહેરાઓ જોડાઈ ગયા છે ભાજપમાં  

પાટીદાર અનામત આંદોલન વખતના મોટાભાગના નેતાઓ હવે રાજકારણમાં આવી ગયા છે . આ ચહેરાઓમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે . જેમ કે હાર્દિક પટેલ , ચિરાગ કાલરીયા , નિખિલ સવાણી, દિનેશ બામભણીયા વગેરે અને હવે તેમાં વધુ બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ આ લિસ્ટમાં સામેલ થઈ જવાના છે. આ રાજકારણમાં પ્રવેશનારામાંથી માત્ર હાર્દિક પટેલ જ BJPના MLA બની ચુક્યા છે. જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયા , લલિત કગથરા , કિરીટ પટેલને  MLA બનાવી ચુકી છે . 


પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરાઓ આજે...

તો આ તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા , રેશ્મા પટેલ અને રામ ધડુક જોડાયા છે. જયારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે .આ નેતાઓમાં એક એવું નામ પણ છે જે , પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલું છે હજીપણ રાજકારણથી દૂર છે , તે છે લાલજી પટેલ. મહત્વનું છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડવા માટે પાર્ટીના નેતાઓએ જે સ્થળ પસંદ કર્યું છે , તેજ માનગઢ ચોકમાં 9 વર્ષ પેહલા પાટીદાર અનામત આંદોલન સરદાર પટેલની  પ્રતિમા પાસેથી શરુ કરાયું હતું . ઉલ્લેખનિય  છે કે એવું કહીએ કે આંદોલન હવે રાજનીતિમાં પ્રવેશવાની સીડી બની ગયું છે તો અતિશયોક્તિ નથી... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.