Amreliમાં Gujaratની દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, બોર્ડ પર સ્થાનિકોએ લખ્યા દારૂ વેચતા લોકોના નામ! ફોટા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-28 17:26:33

ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.  ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું કંટ્રોલ ન થાય તેવી પરિસ્થિતિ છે. જો સાચે રાજ્યમાં દારૂબંધી હોત તો નશાની હાલતમાં રસ્તા પર લોકો તમાશો ન કરતા હોત. ગઈકાલે વડોદરાથી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નશાની હાલતમાં હતી અને પોલીસ સાથે ગેરવતર્ન કર્યું હતું અને ગાળો બોલી હતી. જો દારુબંધી હોત તો રસ્તા પર મહિલા આવો ઉત્પાત ન મચાવત. જો ગુજરાતમાં દારૂબંધી હોત તો રાજકોટમાં, બનાસકાંઠામાં કે અમરેલીમાં પાટિયા ન લાગે કે અહીં દારૂ વેચાણ નથી થતું, બાજુમાં થાય છે. આજે દારૂબંધીની વાત અમરેલીમાં બનેલી ઘટનાને લઈ કરવી છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં દારૂ વેચાણ કરતા લોકોના નામ લખવામાં આવ્યા છે.

દારૂ વેચતા લોકોના નામ લખ્યા બોર્ડ પર 

રાજ્યમાં દારુબંધીના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. અનેક વખત દારૂની બોટલ મળી આવે છે, મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાવતા પાટિયા લાગ્યા છે, ગામના લોકોએ દારુના વેચાણ સામે વિરોધ કર્યો છે. કાળા બોર્ડ પર દારૂનું વેચાણ કરતા દસ લોકોના નામ જાહેરમાં લખવામાં આવ્યા છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતા પોલીસને આ મામલે તપાસ કરવો પડ્યો છે. 


પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના ભઠ્ઠા!

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલ છે. પોલીસ મહેરબાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારુના ભઠ્ઠા ચાલી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમે છે. પછી નીચે દારુ વેચવાવાળા લોકોના નામ લખ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બોર્ડ બસ સ્ટેન્ડ ચોકમાં છે અને આ બોર્ડ ગ્રામ પંચાયતનું નોટિસ બોર્ડ છે. 


દારૂ અહીં વેચાય છે તેવા લાગ્યા હતા બોર્ડ

અગાઉ પણ રાજકોટમાં અને બનાસકાંઠામાં બોર્ડ લાગ્યા હતા કે દારૂ અહીં નહીં બાજુમાં વેચાય છે મહેરબાની કરીને અમારા ઘરે દરવાજો ખખડાવીને પૂછવું નહીં કે અહીં દારૂ મળે છે કે નહીં. લોકોના રક્ષણ કરતી પોલીસ માટે આ નકારાત્મક વાત કહેવાય કે કોઈ નાગરિકને એવું લખવું પડે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ ક્યાં મળે છે તે પોલીસને ખબર હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ વેચી રહ્યા છે અને પલીસ જાણે મુકપ્રેક્ષક બનીને બેઠી છે. ત્યાંના સ્થાનિકોને દાદ દેવી જોઈએ જેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને વિરોધ દર્શાવ્યો. કારણ કે જો આજે આપણે અવાજ નહીં ઉપાડીએ તો કાલે તે જ વસ્તુ આપણને નડતર રૂપ થઈ શકે છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.