Amreliમાં Gujaratની દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, બોર્ડ પર સ્થાનિકોએ લખ્યા દારૂ વેચતા લોકોના નામ! ફોટા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-28 17:26:33

ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.  ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું કંટ્રોલ ન થાય તેવી પરિસ્થિતિ છે. જો સાચે રાજ્યમાં દારૂબંધી હોત તો નશાની હાલતમાં રસ્તા પર લોકો તમાશો ન કરતા હોત. ગઈકાલે વડોદરાથી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નશાની હાલતમાં હતી અને પોલીસ સાથે ગેરવતર્ન કર્યું હતું અને ગાળો બોલી હતી. જો દારુબંધી હોત તો રસ્તા પર મહિલા આવો ઉત્પાત ન મચાવત. જો ગુજરાતમાં દારૂબંધી હોત તો રાજકોટમાં, બનાસકાંઠામાં કે અમરેલીમાં પાટિયા ન લાગે કે અહીં દારૂ વેચાણ નથી થતું, બાજુમાં થાય છે. આજે દારૂબંધીની વાત અમરેલીમાં બનેલી ઘટનાને લઈ કરવી છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં દારૂ વેચાણ કરતા લોકોના નામ લખવામાં આવ્યા છે.

દારૂ વેચતા લોકોના નામ લખ્યા બોર્ડ પર 

રાજ્યમાં દારુબંધીના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. અનેક વખત દારૂની બોટલ મળી આવે છે, મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાવતા પાટિયા લાગ્યા છે, ગામના લોકોએ દારુના વેચાણ સામે વિરોધ કર્યો છે. કાળા બોર્ડ પર દારૂનું વેચાણ કરતા દસ લોકોના નામ જાહેરમાં લખવામાં આવ્યા છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતા પોલીસને આ મામલે તપાસ કરવો પડ્યો છે. 


પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના ભઠ્ઠા!

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલ છે. પોલીસ મહેરબાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારુના ભઠ્ઠા ચાલી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમે છે. પછી નીચે દારુ વેચવાવાળા લોકોના નામ લખ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બોર્ડ બસ સ્ટેન્ડ ચોકમાં છે અને આ બોર્ડ ગ્રામ પંચાયતનું નોટિસ બોર્ડ છે. 


દારૂ અહીં વેચાય છે તેવા લાગ્યા હતા બોર્ડ

અગાઉ પણ રાજકોટમાં અને બનાસકાંઠામાં બોર્ડ લાગ્યા હતા કે દારૂ અહીં નહીં બાજુમાં વેચાય છે મહેરબાની કરીને અમારા ઘરે દરવાજો ખખડાવીને પૂછવું નહીં કે અહીં દારૂ મળે છે કે નહીં. લોકોના રક્ષણ કરતી પોલીસ માટે આ નકારાત્મક વાત કહેવાય કે કોઈ નાગરિકને એવું લખવું પડે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ ક્યાં મળે છે તે પોલીસને ખબર હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ વેચી રહ્યા છે અને પલીસ જાણે મુકપ્રેક્ષક બનીને બેઠી છે. ત્યાંના સ્થાનિકોને દાદ દેવી જોઈએ જેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને વિરોધ દર્શાવ્યો. કારણ કે જો આજે આપણે અવાજ નહીં ઉપાડીએ તો કાલે તે જ વસ્તુ આપણને નડતર રૂપ થઈ શકે છે.   




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.