Amreliમાં Gujaratની દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, બોર્ડ પર સ્થાનિકોએ લખ્યા દારૂ વેચતા લોકોના નામ! ફોટા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-28 17:26:33

ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.  ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું કંટ્રોલ ન થાય તેવી પરિસ્થિતિ છે. જો સાચે રાજ્યમાં દારૂબંધી હોત તો નશાની હાલતમાં રસ્તા પર લોકો તમાશો ન કરતા હોત. ગઈકાલે વડોદરાથી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નશાની હાલતમાં હતી અને પોલીસ સાથે ગેરવતર્ન કર્યું હતું અને ગાળો બોલી હતી. જો દારુબંધી હોત તો રસ્તા પર મહિલા આવો ઉત્પાત ન મચાવત. જો ગુજરાતમાં દારૂબંધી હોત તો રાજકોટમાં, બનાસકાંઠામાં કે અમરેલીમાં પાટિયા ન લાગે કે અહીં દારૂ વેચાણ નથી થતું, બાજુમાં થાય છે. આજે દારૂબંધીની વાત અમરેલીમાં બનેલી ઘટનાને લઈ કરવી છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં દારૂ વેચાણ કરતા લોકોના નામ લખવામાં આવ્યા છે.

દારૂ વેચતા લોકોના નામ લખ્યા બોર્ડ પર 

રાજ્યમાં દારુબંધીના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. અનેક વખત દારૂની બોટલ મળી આવે છે, મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાવતા પાટિયા લાગ્યા છે, ગામના લોકોએ દારુના વેચાણ સામે વિરોધ કર્યો છે. કાળા બોર્ડ પર દારૂનું વેચાણ કરતા દસ લોકોના નામ જાહેરમાં લખવામાં આવ્યા છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતા પોલીસને આ મામલે તપાસ કરવો પડ્યો છે. 


પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના ભઠ્ઠા!

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલ છે. પોલીસ મહેરબાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારુના ભઠ્ઠા ચાલી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમે છે. પછી નીચે દારુ વેચવાવાળા લોકોના નામ લખ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બોર્ડ બસ સ્ટેન્ડ ચોકમાં છે અને આ બોર્ડ ગ્રામ પંચાયતનું નોટિસ બોર્ડ છે. 


દારૂ અહીં વેચાય છે તેવા લાગ્યા હતા બોર્ડ

અગાઉ પણ રાજકોટમાં અને બનાસકાંઠામાં બોર્ડ લાગ્યા હતા કે દારૂ અહીં નહીં બાજુમાં વેચાય છે મહેરબાની કરીને અમારા ઘરે દરવાજો ખખડાવીને પૂછવું નહીં કે અહીં દારૂ મળે છે કે નહીં. લોકોના રક્ષણ કરતી પોલીસ માટે આ નકારાત્મક વાત કહેવાય કે કોઈ નાગરિકને એવું લખવું પડે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ ક્યાં મળે છે તે પોલીસને ખબર હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ વેચી રહ્યા છે અને પલીસ જાણે મુકપ્રેક્ષક બનીને બેઠી છે. ત્યાંના સ્થાનિકોને દાદ દેવી જોઈએ જેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને વિરોધ દર્શાવ્યો. કારણ કે જો આજે આપણે અવાજ નહીં ઉપાડીએ તો કાલે તે જ વસ્તુ આપણને નડતર રૂપ થઈ શકે છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.