Amreliમાં Gujaratની દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, બોર્ડ પર સ્થાનિકોએ લખ્યા દારૂ વેચતા લોકોના નામ! ફોટા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-28 17:26:33

ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.  ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું કંટ્રોલ ન થાય તેવી પરિસ્થિતિ છે. જો સાચે રાજ્યમાં દારૂબંધી હોત તો નશાની હાલતમાં રસ્તા પર લોકો તમાશો ન કરતા હોત. ગઈકાલે વડોદરાથી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નશાની હાલતમાં હતી અને પોલીસ સાથે ગેરવતર્ન કર્યું હતું અને ગાળો બોલી હતી. જો દારુબંધી હોત તો રસ્તા પર મહિલા આવો ઉત્પાત ન મચાવત. જો ગુજરાતમાં દારૂબંધી હોત તો રાજકોટમાં, બનાસકાંઠામાં કે અમરેલીમાં પાટિયા ન લાગે કે અહીં દારૂ વેચાણ નથી થતું, બાજુમાં થાય છે. આજે દારૂબંધીની વાત અમરેલીમાં બનેલી ઘટનાને લઈ કરવી છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં દારૂ વેચાણ કરતા લોકોના નામ લખવામાં આવ્યા છે.

દારૂ વેચતા લોકોના નામ લખ્યા બોર્ડ પર 

રાજ્યમાં દારુબંધીના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. અનેક વખત દારૂની બોટલ મળી આવે છે, મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાવતા પાટિયા લાગ્યા છે, ગામના લોકોએ દારુના વેચાણ સામે વિરોધ કર્યો છે. કાળા બોર્ડ પર દારૂનું વેચાણ કરતા દસ લોકોના નામ જાહેરમાં લખવામાં આવ્યા છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતા પોલીસને આ મામલે તપાસ કરવો પડ્યો છે. 


પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના ભઠ્ઠા!

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલ છે. પોલીસ મહેરબાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારુના ભઠ્ઠા ચાલી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમે છે. પછી નીચે દારુ વેચવાવાળા લોકોના નામ લખ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બોર્ડ બસ સ્ટેન્ડ ચોકમાં છે અને આ બોર્ડ ગ્રામ પંચાયતનું નોટિસ બોર્ડ છે. 


દારૂ અહીં વેચાય છે તેવા લાગ્યા હતા બોર્ડ

અગાઉ પણ રાજકોટમાં અને બનાસકાંઠામાં બોર્ડ લાગ્યા હતા કે દારૂ અહીં નહીં બાજુમાં વેચાય છે મહેરબાની કરીને અમારા ઘરે દરવાજો ખખડાવીને પૂછવું નહીં કે અહીં દારૂ મળે છે કે નહીં. લોકોના રક્ષણ કરતી પોલીસ માટે આ નકારાત્મક વાત કહેવાય કે કોઈ નાગરિકને એવું લખવું પડે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ ક્યાં મળે છે તે પોલીસને ખબર હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ વેચી રહ્યા છે અને પલીસ જાણે મુકપ્રેક્ષક બનીને બેઠી છે. ત્યાંના સ્થાનિકોને દાદ દેવી જોઈએ જેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને વિરોધ દર્શાવ્યો. કારણ કે જો આજે આપણે અવાજ નહીં ઉપાડીએ તો કાલે તે જ વસ્તુ આપણને નડતર રૂપ થઈ શકે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.