Gujarat Loksabha Election Candidate : 11 બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે?


  • Published By :
  • Published Date : 2024-03-06 16:59:22

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે અનેક સાંસદોની ટિકીટ કપાઈ શકે છે આ વખતે પરંતુ તેવું ના થયું. ત્યારે બાકી રહેલા 11 ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. ભાજપ કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે એવું માનવામાં આવી રહ્યું છે પાંચ જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને ઉતારી શકે છે.



ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામનું લિસ્ટ કર્યું જાહેર!

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા તો આની જાહેરાત નથી કરવામાં આવી. પહેલા ઉમેદવારની યાદી જ્યારે જાહેર થઈ તેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 બેઠકોમાંથી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.


ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવાર નથી કરવામાં આવ્યા જાહેર!

11 બેઠકોના ઉમેદવારો અંગેની વાત કરીએ તો બાકી રહેલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તદ્દન નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ પાર્ટીમાં મનોમંથન કરવામાં આવ્યું. અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, રાજ્યસ્તરે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ, ત્યાંથી ઉમેદવારોના નામ દિલ્હી ગયા અને પછી ત્યાં કેન્દ્રીય લેવલે ચર્ચા થઈ અને પછી નામ અંગેની જાહેરાત કરવામાં આવી.


મહિલાઓને આપવામાં આવશે ટિકીટ કે કપાશે પત્તુ?  

બાકી રહેલી બેઠકો અંગેની વાત કરીએ તો મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, વલસાડ, અમદાવાદ પૂર્વ, સુરત, છોટાઉદેપુર માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, છોટા ઉદેપુરની સીટ પર હાલ મહિલા સાંસદો છે પરંતુ આ બેઠકો માટે ઉમેદવારોને જાહેર નથી કરવામાં આવ્યા. આ સીટો પર મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા મહિલા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે તે સમય બતાવશે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.