Gujarat Loksabha Election Candidate : 11 બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે?


  • Published By :
  • Published Date : 2024-03-06 16:59:22

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે અનેક સાંસદોની ટિકીટ કપાઈ શકે છે આ વખતે પરંતુ તેવું ના થયું. ત્યારે બાકી રહેલા 11 ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. ભાજપ કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે એવું માનવામાં આવી રહ્યું છે પાંચ જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને ઉતારી શકે છે.



ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામનું લિસ્ટ કર્યું જાહેર!

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા તો આની જાહેરાત નથી કરવામાં આવી. પહેલા ઉમેદવારની યાદી જ્યારે જાહેર થઈ તેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 બેઠકોમાંથી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.


ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવાર નથી કરવામાં આવ્યા જાહેર!

11 બેઠકોના ઉમેદવારો અંગેની વાત કરીએ તો બાકી રહેલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તદ્દન નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ પાર્ટીમાં મનોમંથન કરવામાં આવ્યું. અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, રાજ્યસ્તરે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ, ત્યાંથી ઉમેદવારોના નામ દિલ્હી ગયા અને પછી ત્યાં કેન્દ્રીય લેવલે ચર્ચા થઈ અને પછી નામ અંગેની જાહેરાત કરવામાં આવી.


મહિલાઓને આપવામાં આવશે ટિકીટ કે કપાશે પત્તુ?  

બાકી રહેલી બેઠકો અંગેની વાત કરીએ તો મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, વલસાડ, અમદાવાદ પૂર્વ, સુરત, છોટાઉદેપુર માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, છોટા ઉદેપુરની સીટ પર હાલ મહિલા સાંસદો છે પરંતુ આ બેઠકો માટે ઉમેદવારોને જાહેર નથી કરવામાં આવ્યા. આ સીટો પર મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા મહિલા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે તે સમય બતાવશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.