Gujarat Loksabha Election Candidate : 11 બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે?


  • Published By :
  • Published Date : 2024-03-06 16:59:22

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે અનેક સાંસદોની ટિકીટ કપાઈ શકે છે આ વખતે પરંતુ તેવું ના થયું. ત્યારે બાકી રહેલા 11 ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. ભાજપ કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે એવું માનવામાં આવી રહ્યું છે પાંચ જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને ઉતારી શકે છે.



ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામનું લિસ્ટ કર્યું જાહેર!

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા તો આની જાહેરાત નથી કરવામાં આવી. પહેલા ઉમેદવારની યાદી જ્યારે જાહેર થઈ તેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 બેઠકોમાંથી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.


ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવાર નથી કરવામાં આવ્યા જાહેર!

11 બેઠકોના ઉમેદવારો અંગેની વાત કરીએ તો બાકી રહેલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તદ્દન નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ પાર્ટીમાં મનોમંથન કરવામાં આવ્યું. અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, રાજ્યસ્તરે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ, ત્યાંથી ઉમેદવારોના નામ દિલ્હી ગયા અને પછી ત્યાં કેન્દ્રીય લેવલે ચર્ચા થઈ અને પછી નામ અંગેની જાહેરાત કરવામાં આવી.


મહિલાઓને આપવામાં આવશે ટિકીટ કે કપાશે પત્તુ?  

બાકી રહેલી બેઠકો અંગેની વાત કરીએ તો મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, વલસાડ, અમદાવાદ પૂર્વ, સુરત, છોટાઉદેપુર માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, છોટા ઉદેપુરની સીટ પર હાલ મહિલા સાંસદો છે પરંતુ આ બેઠકો માટે ઉમેદવારોને જાહેર નથી કરવામાં આવ્યા. આ સીટો પર મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા મહિલા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે તે સમય બતાવશે.   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે