Gujarat Loksabha Election Candidate : 11 બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે?


  • Published By :
  • Published Date : 2024-03-06 16:59:22

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે અનેક સાંસદોની ટિકીટ કપાઈ શકે છે આ વખતે પરંતુ તેવું ના થયું. ત્યારે બાકી રહેલા 11 ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. ભાજપ કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે એવું માનવામાં આવી રહ્યું છે પાંચ જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને ઉતારી શકે છે.



ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામનું લિસ્ટ કર્યું જાહેર!

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા તો આની જાહેરાત નથી કરવામાં આવી. પહેલા ઉમેદવારની યાદી જ્યારે જાહેર થઈ તેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 બેઠકોમાંથી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.


ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવાર નથી કરવામાં આવ્યા જાહેર!

11 બેઠકોના ઉમેદવારો અંગેની વાત કરીએ તો બાકી રહેલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તદ્દન નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ પાર્ટીમાં મનોમંથન કરવામાં આવ્યું. અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, રાજ્યસ્તરે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ, ત્યાંથી ઉમેદવારોના નામ દિલ્હી ગયા અને પછી ત્યાં કેન્દ્રીય લેવલે ચર્ચા થઈ અને પછી નામ અંગેની જાહેરાત કરવામાં આવી.


મહિલાઓને આપવામાં આવશે ટિકીટ કે કપાશે પત્તુ?  

બાકી રહેલી બેઠકો અંગેની વાત કરીએ તો મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, વલસાડ, અમદાવાદ પૂર્વ, સુરત, છોટાઉદેપુર માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, છોટા ઉદેપુરની સીટ પર હાલ મહિલા સાંસદો છે પરંતુ આ બેઠકો માટે ઉમેદવારોને જાહેર નથી કરવામાં આવ્યા. આ સીટો પર મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા મહિલા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે તે સમય બતાવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.