Gujarat Loksabha Election : સી.આર.પાટીલે ગુજરાતમાં નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી, માફી માગતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-06-15 18:46:07

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી માટે પ્રયોગશાળા માનવામાં આવે છે.. આ રાજ્યમાં કરવામાં આવતા પ્રયોગો અહીંયા સફળ જાય તે બાદ બીજે બધે એપ્લાય કરવામાં આવે છે.. આ વખતે ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યો હતો 26એ 26 બેઠકો મળશે અને પાંચ લાખની લીડ સાથે. અનેક વખત આ નિવેદન ભાજપના નેતાઓના મોઢે સાંભળ્યું હશે. ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠક ભાજપ જીતી ના શકી. એક બેઠકની હારનો વસવસો સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.  

ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ

આ વખતની લોકસભા ચૂંટણી એકદમ રસપ્રદ હતી. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે. આ વખતની ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપ 26માં 26 બેઠકો નહીં જીતી શકે.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ જોવા મળી હતી. અનેક બેઠકો માટે ચર્ચા થતી હતી કે આ બેઠક ભાજપના હાથમાંથી જાય છે. વાત સાચી પણ પડી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપને જીત ના મળી. ગેનીબેન ઠાકોર ત્યાં જીતી ગયા. 



વિધાનસભાની ચૂંટણી બાદ કહી હતી આ વાત

26માંથી 26 બેઠકો લાવી ભારતીય જનતા પાર્ટી હેટ્રીક ના બનાવી શકી. વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ આપણે સી આર પાટીલને અનેક વાર એવું કહેતા સાંભળ્યા છે કે 182 ના જીતી શક્યા એનો વસવસો છે. આ વખતે લોકસભાની ચુંટણીના પરિણામ બાદ "ગુજરાતમાં 26 બેઠકની હેટ્રિક તૂટી એ મારી જ જવાબદારી" સી.આર.પાટીલે પહેલી વાર આ કહેતા દેખાયા.. 



શું કહ્યું સી.આર.પાટીલે? 

સી.આર.પાટીલને કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનાવાયા છે. જળ શક્તિ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીની સાથે સાથે તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ છે.  કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે ભાષણ દરમિયાન કહ્યું હતું કે એક બેઠક 30 હજાર મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે. કયાંક કચાશ રહી ગઈ હશે. તે પછી પાટીલે માફી માગી હતી.ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1.83 લાખ મત મળ્યા છે. જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે. 


હાલ સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતા ઓછી

જોકે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સી.આર.પાટીલ પાસે જ રહેશે. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નવી નિમણુક નહીં થાય.  એટલે જે વાત હતી કે સંગઠનમાં ફેરફાર થશે તેના એંધાણ દેખાતા નથી! ત્યારે સી.આર.પાટીલના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.