Gujarat Loksabha Election : BJP અને Congressના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ, યોજશે રોડ શો અને કરશે શક્તિ પ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-15 13:15:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોણ કોની સામે ચૂંટણી લડવાનું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઘણા સમય પહેલાથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે નામની જાહેરાત કરી છે. નવસારીથી નૈષધ દેસાઈની પસંદગી કરાઈ છે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ માટે હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે ભાજપ તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે નામાંકન ભરાવાના છે... ભાજપના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ - 


મનસુખ માંડવિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન થોડા દિવસો બાદ શરૂ થઈ જવાનું છે. દેશની અનેક બેઠકો માટે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે જે માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શક્શે. જો ભાજપના ઉમેદવારોના નામની વાત કરીએ તો પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 


કોંગ્રેસના આ ઉમેદવાર આજે નોંધાવશે દાવેદારી

તે ઉપરાંત ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી નોંધાવાનાછે. પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આજે નામાંકન નોંધાવાના છે. આજે ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જે.પી.મારવિયા તેમજ બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારના સમર્થકો ઉપસ્થિત હશે....        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.