Gujarat Loksabha Election : BJP અને Congressના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ, યોજશે રોડ શો અને કરશે શક્તિ પ્રદર્શન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 13:15:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોણ કોની સામે ચૂંટણી લડવાનું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઘણા સમય પહેલાથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે નામની જાહેરાત કરી છે. નવસારીથી નૈષધ દેસાઈની પસંદગી કરાઈ છે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ માટે હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે ભાજપ તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે નામાંકન ભરાવાના છે... ભાજપના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ - 


મનસુખ માંડવિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન થોડા દિવસો બાદ શરૂ થઈ જવાનું છે. દેશની અનેક બેઠકો માટે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે જે માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શક્શે. જો ભાજપના ઉમેદવારોના નામની વાત કરીએ તો પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 


કોંગ્રેસના આ ઉમેદવાર આજે નોંધાવશે દાવેદારી

તે ઉપરાંત ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી નોંધાવાનાછે. પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આજે નામાંકન નોંધાવાના છે. આજે ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જે.પી.મારવિયા તેમજ બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારના સમર્થકો ઉપસ્થિત હશે....        



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...