Gujarat Loksabha Election : આજે સમજો મહેસાણા અને અમદાવાદ પૂર્વના સમીકરણોને, ભાજપ અને કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 14:59:40

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. 26 બેઠકો પર મતદાતા મતદાન કરી પોતાના પસંદીદા ઉમેદવારને સંસદ મોકલશે.. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, અનેક ઉમેદવારોએ નામાંકન ફોર્મ પણ ભરી દીધું છે.  ઉમેદવારોને જાહેર કરતા પહેલા રાજકીય પાર્ટી અનેક સમીકરણો પર ધ્યાન આપતી હોય છે. ત્યારે ગુજરાતની બે બેઠકો પર આજે ચર્ચા કરીશું... એક અમદાવાદ પૂર્વની અને બીજી બેઠક મહેસાણા લોકસભા બેઠક...


કઈ પાર્ટીએ કોને આપી છે ટિકીટ?    

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી . 2009થી જ BJPનો ગઢ છે . એક સમયે બોલિવૂડના એક્ટર પરેશ રાવલ 2014માં અહીંથી ચૂંટાયા હતા. કોંગ્રેસે આ વખતે રોહન ગુપ્તાને ટિકિટ આપી પણ પછી તેઓ BJPમાં જોડાઈ ગયા અને હવે અમદાવાદના ભૂતપૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે . તો સામે BJPએ હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે. 



કોણ છે અમદાવાદ પૂર્વના નિર્ણાયક મતદાતાઓ? 

આ અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ. દહેગામ,ગાંધીનગર દક્ષિણ , વટવા, નિકોલ, નરોડા , ઠક્કરબાપા નગર, બાપુનગર. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ હતી. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પંચાલ, ઠાકોર, દલિત, હિન્દી ભાષી સમાજના લોકો નિર્ણાયક બને છે.  


મહેસાણા લોકસભા સીટમાં આવે છે આ વિધાનસભા બેઠક 

હવે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની. આ લોકસભા બેઠક 1984થી BJPનો ગઢ છે. ત્યાં માત્ર બે જ વાર કોંગ્રેસ પાર્ટી જીતી શકી હતી. 1999માં બીજી વાર 2004માં. આ વખતે BJPએ હરિભાઈ પટેલને ટિકિટ આપી છે , જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. આ મહેસાણા લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મેહસાણા, વિજાપુર, માણસા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વિજાપુર સિવાયની તમામ બેઠક જીતી લીધી .માત્ર વિજાપુર સીટ કોંગ્રેસના ખાતામાં ગયી. 


રાજકીય પાર્ટીઓએ આમને બનાવ્યા છે ઉમેદવાર 

વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે. આ વખતે મેહસાણા લોકસભા પર BJPના ઉમેદવારે પણ જુથવાદનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવારે વોટ સાથે નોટ પણ માંગ્યા છે . તો જોઈએ મેહસાણા લોકસભાની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં મોકલશે?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે