Gujarat Loksabha Election : આજે સમજો મહેસાણા અને અમદાવાદ પૂર્વના સમીકરણોને, ભાજપ અને કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 14:59:40

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. 26 બેઠકો પર મતદાતા મતદાન કરી પોતાના પસંદીદા ઉમેદવારને સંસદ મોકલશે.. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, અનેક ઉમેદવારોએ નામાંકન ફોર્મ પણ ભરી દીધું છે.  ઉમેદવારોને જાહેર કરતા પહેલા રાજકીય પાર્ટી અનેક સમીકરણો પર ધ્યાન આપતી હોય છે. ત્યારે ગુજરાતની બે બેઠકો પર આજે ચર્ચા કરીશું... એક અમદાવાદ પૂર્વની અને બીજી બેઠક મહેસાણા લોકસભા બેઠક...


કઈ પાર્ટીએ કોને આપી છે ટિકીટ?    

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી . 2009થી જ BJPનો ગઢ છે . એક સમયે બોલિવૂડના એક્ટર પરેશ રાવલ 2014માં અહીંથી ચૂંટાયા હતા. કોંગ્રેસે આ વખતે રોહન ગુપ્તાને ટિકિટ આપી પણ પછી તેઓ BJPમાં જોડાઈ ગયા અને હવે અમદાવાદના ભૂતપૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે . તો સામે BJPએ હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે. 



કોણ છે અમદાવાદ પૂર્વના નિર્ણાયક મતદાતાઓ? 

આ અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ. દહેગામ,ગાંધીનગર દક્ષિણ , વટવા, નિકોલ, નરોડા , ઠક્કરબાપા નગર, બાપુનગર. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ હતી. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પંચાલ, ઠાકોર, દલિત, હિન્દી ભાષી સમાજના લોકો નિર્ણાયક બને છે.  


મહેસાણા લોકસભા સીટમાં આવે છે આ વિધાનસભા બેઠક 

હવે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની. આ લોકસભા બેઠક 1984થી BJPનો ગઢ છે. ત્યાં માત્ર બે જ વાર કોંગ્રેસ પાર્ટી જીતી શકી હતી. 1999માં બીજી વાર 2004માં. આ વખતે BJPએ હરિભાઈ પટેલને ટિકિટ આપી છે , જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. આ મહેસાણા લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મેહસાણા, વિજાપુર, માણસા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વિજાપુર સિવાયની તમામ બેઠક જીતી લીધી .માત્ર વિજાપુર સીટ કોંગ્રેસના ખાતામાં ગયી. 


રાજકીય પાર્ટીઓએ આમને બનાવ્યા છે ઉમેદવાર 

વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે. આ વખતે મેહસાણા લોકસભા પર BJPના ઉમેદવારે પણ જુથવાદનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવારે વોટ સાથે નોટ પણ માંગ્યા છે . તો જોઈએ મેહસાણા લોકસભાની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં મોકલશે?



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.