Gujarat Loksabha : જાણો Rajkot અને Navsari લોકસભા બેઠકના સમીકરણોને.. રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને તો ભાજપે પરષોત્તમ રૂપાલાને આપી છે ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-16 14:59:19

માત્ર ગણતરીના દિવસો બાદ દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ જશે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 બેઠકોમાંથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અલગ અલગ લોકસભા બેઠકોના સમીકરણો આપણે જાણ્યા ત્યારે આજે બીજી બે બેઠકોના સમીકરણો જાણીશું... એક બેઠક છે નવસારી લોકસભા બેઠક અને બીજી બેઠક છે રાજકોટ લોકસભા બેઠક....



સી.આર.પાટીલ છે નવસારીના સાંસદ   

નવસારી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008માં કરાયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. નવસારી પરથી 2009થી બીજેપીના સી.આર.પાટીલ જીતતા આવ્યા છે . હાલમાં તેઓ BJPના પ્રદેશ પ્રમુખ છે. 2019માં તો આ બેઠક ૬,૮૯,૦૦૦ ના માર્જીનથી જીતાઈ હતી .આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નૈષધ દેસાઈને ટિકિટ આપી છે તો ભાજપે સી.આર.પાટીલને રિપીટ કર્યા છે. 


આ બેઠકમાં આવે છે આ લોકસભા બેઠક 

આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ આવે છે - નવસારી,લીંબાયત,ઉધના,મજુરા,ચોર્યાસી, જલાલપોર , ગણદેવી આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી. નવસારી લોકસભાના સામાજિક સમીકરણોની તો વાત કરીએ તો આદિવાસી, અનાવિલ બ્રાહ્મણ, કોળી , મુસ્લિમ, વણિક, પાટીદાર સમાજો નિર્ણાયક બને છે.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે થઈ રહી છે ચર્ચા 

હાલ ગુજરાતમાં રાજકોટ લોકસભાની ચર્ચાઓ ચાલી રહી છે.. આ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લીધે સતત વિવાદમાં છે. સામે કોંગ્રેસ પાર્ટીએ પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. આ રાજકોટે  UN ઢેબર, મીનુ મસાની, ઘનશ્યામ ઓઝા, કેશુભાઈ પટેલ જેવા નેતાઓને દિલ્હી મોકલ્યા છે . 


કોંગ્રેસના આ નેતા જીત્યા છે અહીંયાથી ચૂંટણી 

1989થી BJPનો ગઢ છે . માત્ર 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળીયા ચૂંટાયા હતા. આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ જેમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ , રાજકોટ ગ્રામીણ, જસદણ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી . વાત કરીએ ત્યાંના સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર , દલિત , ક્ષત્રિય , કોળી , વણિક સમાજ નિર્ણાયક બને છે . તો જોઈએ રાજકોટ લોકસભાના આ પાણીપતના જંગમાં કોણ જીતે છે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે