Gujarat Loksabha : જાણો Rajkot અને Navsari લોકસભા બેઠકના સમીકરણોને.. રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને તો ભાજપે પરષોત્તમ રૂપાલાને આપી છે ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-16 14:59:19

માત્ર ગણતરીના દિવસો બાદ દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ જશે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 બેઠકોમાંથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અલગ અલગ લોકસભા બેઠકોના સમીકરણો આપણે જાણ્યા ત્યારે આજે બીજી બે બેઠકોના સમીકરણો જાણીશું... એક બેઠક છે નવસારી લોકસભા બેઠક અને બીજી બેઠક છે રાજકોટ લોકસભા બેઠક....



સી.આર.પાટીલ છે નવસારીના સાંસદ   

નવસારી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008માં કરાયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. નવસારી પરથી 2009થી બીજેપીના સી.આર.પાટીલ જીતતા આવ્યા છે . હાલમાં તેઓ BJPના પ્રદેશ પ્રમુખ છે. 2019માં તો આ બેઠક ૬,૮૯,૦૦૦ ના માર્જીનથી જીતાઈ હતી .આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નૈષધ દેસાઈને ટિકિટ આપી છે તો ભાજપે સી.આર.પાટીલને રિપીટ કર્યા છે. 


આ બેઠકમાં આવે છે આ લોકસભા બેઠક 

આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ આવે છે - નવસારી,લીંબાયત,ઉધના,મજુરા,ચોર્યાસી, જલાલપોર , ગણદેવી આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી. નવસારી લોકસભાના સામાજિક સમીકરણોની તો વાત કરીએ તો આદિવાસી, અનાવિલ બ્રાહ્મણ, કોળી , મુસ્લિમ, વણિક, પાટીદાર સમાજો નિર્ણાયક બને છે.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે થઈ રહી છે ચર્ચા 

હાલ ગુજરાતમાં રાજકોટ લોકસભાની ચર્ચાઓ ચાલી રહી છે.. આ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લીધે સતત વિવાદમાં છે. સામે કોંગ્રેસ પાર્ટીએ પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. આ રાજકોટે  UN ઢેબર, મીનુ મસાની, ઘનશ્યામ ઓઝા, કેશુભાઈ પટેલ જેવા નેતાઓને દિલ્હી મોકલ્યા છે . 


કોંગ્રેસના આ નેતા જીત્યા છે અહીંયાથી ચૂંટણી 

1989થી BJPનો ગઢ છે . માત્ર 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળીયા ચૂંટાયા હતા. આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ જેમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ , રાજકોટ ગ્રામીણ, જસદણ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી . વાત કરીએ ત્યાંના સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર , દલિત , ક્ષત્રિય , કોળી , વણિક સમાજ નિર્ણાયક બને છે . તો જોઈએ રાજકોટ લોકસભાના આ પાણીપતના જંગમાં કોણ જીતે છે?  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .