Gujarat Loksabha Seats : 25 બેઠકો પર કોની કોની સાથે થશે ટક્કર? જાણી લો ઈન્ડિયા ગઠબંધન અને બીજેપીના ઉમેદવારનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2024-05-06 18:43:21

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થવાની છે. ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા હતા જેને કારણે ત્યાં મતદાન નથી થવાનું.. ગુજરાતની બાકીની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે કયા ઉમેદવાર ક્યાંથી અને તેમની સામે કયા ઉમેદવાર છે તે જાણી લો.. કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. અનેક જાણીતા ચહેરાઓનું ભવિષ્ય આવતી કાલે નક્કી થવાનું છે..    


વડોદરા બેઠક એવી હતી જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે. પહેલા રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો અને તે બાદ ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા. આવી જ વસ્તુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ જોવા મળી. ત્યાં પણ  ઉમેદવારને બદલવામાં આવ્યા.. 

 

આવતી કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.   


 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.