Gujarat Loksabha Seats : 25 બેઠકો પર કોની કોની સાથે થશે ટક્કર? જાણી લો ઈન્ડિયા ગઠબંધન અને બીજેપીના ઉમેદવારનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2024-05-06 18:43:21

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થવાની છે. ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા હતા જેને કારણે ત્યાં મતદાન નથી થવાનું.. ગુજરાતની બાકીની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે કયા ઉમેદવાર ક્યાંથી અને તેમની સામે કયા ઉમેદવાર છે તે જાણી લો.. કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. અનેક જાણીતા ચહેરાઓનું ભવિષ્ય આવતી કાલે નક્કી થવાનું છે..    


વડોદરા બેઠક એવી હતી જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે. પહેલા રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો અને તે બાદ ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા. આવી જ વસ્તુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ જોવા મળી. ત્યાં પણ  ઉમેદવારને બદલવામાં આવ્યા.. 

 

આવતી કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.   


 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.