Gujarat Loksabha Seats : 25 બેઠકો પર કોની કોની સાથે થશે ટક્કર? જાણી લો ઈન્ડિયા ગઠબંધન અને બીજેપીના ઉમેદવારનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2024-05-06 18:43:21

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થવાની છે. ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા હતા જેને કારણે ત્યાં મતદાન નથી થવાનું.. ગુજરાતની બાકીની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે કયા ઉમેદવાર ક્યાંથી અને તેમની સામે કયા ઉમેદવાર છે તે જાણી લો.. કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. અનેક જાણીતા ચહેરાઓનું ભવિષ્ય આવતી કાલે નક્કી થવાનું છે..    


વડોદરા બેઠક એવી હતી જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે. પહેલા રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો અને તે બાદ ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા. આવી જ વસ્તુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ જોવા મળી. ત્યાં પણ  ઉમેદવારને બદલવામાં આવ્યા.. 

 

આવતી કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.   


 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.