Gujarat Loksabha Election : ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, Amit Shah, C.R.Patil, Paresh Dhanani સહિતના ઉમેદવારો નોંધાવશે નામાંકન


  • Published By :
  • Published Date : 2024-04-19 11:57:19

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક ઉમેદવારાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે નામાંકન નોંધાવાના છે. ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે... 


અમિત શાહ આજે નોંધાવશે દાવેદારી 

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થવાનું છે. મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.. ઉમેદવારોએ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. મોટા ભાગના ઉમેદવારોએ નામાંકન નોંધાવી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ગઈકાલે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે શક્તિપ્રદર્શન કર્યું હતું. રોડ શો કર્યો હતો. ત્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 


સી.આર.પાટીલ પણ નવસારી બેઠકથી ભરશે ઉમેદવારી ફોર્મ 

અમિત શાહ સિવાય નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે. તે ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે નામાંકન દાખલ કરાવાના છે. રાજકોટ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમની ટિકીટ રદ્દ કરવાની માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે.. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પરેશ ધાનાણી ફોર્મ ભરશે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા તેઓ જનસભાને સંબોધશે તેવી માહિતી સામે આવી છે... તે ઉપરાંત જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે... મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ આજે ફોર્મ ભરવાના છે...  


ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવારો કરે છે શક્તિપ્રદર્શન 

એક તરફ નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે આજે તો કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ આજે ઉમેદવારી નોંધવાના છે...  મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવતું હોય છે. અનેક ઉમેદવારોના વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં પહોંચે છે... સભામાં, રોડશોમાં ઉમટતી ભીડ વોટમાં પરિવર્તિત થાય છે તે ચાર તારીખે ખબર પડશે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.