Gujarat Loksabha Election : ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, Amit Shah, C.R.Patil, Paresh Dhanani સહિતના ઉમેદવારો નોંધાવશે નામાંકન


  • Published By :
  • Published Date : 2024-04-19 11:57:19

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક ઉમેદવારાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે નામાંકન નોંધાવાના છે. ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે... 


અમિત શાહ આજે નોંધાવશે દાવેદારી 

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થવાનું છે. મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.. ઉમેદવારોએ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. મોટા ભાગના ઉમેદવારોએ નામાંકન નોંધાવી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ગઈકાલે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે શક્તિપ્રદર્શન કર્યું હતું. રોડ શો કર્યો હતો. ત્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 


સી.આર.પાટીલ પણ નવસારી બેઠકથી ભરશે ઉમેદવારી ફોર્મ 

અમિત શાહ સિવાય નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે. તે ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે નામાંકન દાખલ કરાવાના છે. રાજકોટ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમની ટિકીટ રદ્દ કરવાની માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે.. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પરેશ ધાનાણી ફોર્મ ભરશે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા તેઓ જનસભાને સંબોધશે તેવી માહિતી સામે આવી છે... તે ઉપરાંત જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે... મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ આજે ફોર્મ ભરવાના છે...  


ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવારો કરે છે શક્તિપ્રદર્શન 

એક તરફ નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે આજે તો કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ આજે ઉમેદવારી નોંધવાના છે...  મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવતું હોય છે. અનેક ઉમેદવારોના વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં પહોંચે છે... સભામાં, રોડશોમાં ઉમટતી ભીડ વોટમાં પરિવર્તિત થાય છે તે ચાર તારીખે ખબર પડશે...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.