Gujarat : હિટવેવની આગાહી વચ્ચે કરાઈ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે અને પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-09 18:09:59

સામાન્ય રીતે વરસાદની આગાહી અંગેની વાતો ચોમાસા દરમિયાન થતી હોય છે. આજે આ જગ્યા પર વરસાદ થશે, આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે વગેરે વગેરે.. પરંતુ હવે તો સિઝન ગમે તે કેમ ન હોય પરંતુ વરસાદની વાત કરવી પડે છે... શિયાળાની સિઝનમાં પણ માવઠું આવ્યું હતું ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે જ્યારે અનેક વિસ્તારોમાં હીટવેવની અનુભૂતિ થશે... ક્યાંક હિટ વેવની અસર રહેશે તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ક્યાંક ગરમી તો ક્યાંક છુટો છવાયો વરસાદ!  

ધીરે ધીરે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવની શક્યતાઓ છે. તે બાદ 13થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ક્યારે અને ક્યાં આવશે મુસીબતનું માવઠું?

જ્યારે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે ત્યારે જગતનો તાત ચિંતિત થઈ જતો હોય છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 13 એપ્રિલના રોજ નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ છે. તે સિવાય 14 અને 15 એપ્રિલના રોજ છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ થશે છે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે એક તરફ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈ પણ આગાહી કરવામાં આવી છે. 


પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદને લઈ કરી આ આગાહી

વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 તારીખ સુધી ભારે ગરમીનો અહેસાસ થશે હિટવેવની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. તે ઉપરાંત 10 તેમજ 11 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અને 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે.. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"