Gujarat : હિટવેવની આગાહી વચ્ચે કરાઈ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે અને પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-09 18:09:59

સામાન્ય રીતે વરસાદની આગાહી અંગેની વાતો ચોમાસા દરમિયાન થતી હોય છે. આજે આ જગ્યા પર વરસાદ થશે, આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે વગેરે વગેરે.. પરંતુ હવે તો સિઝન ગમે તે કેમ ન હોય પરંતુ વરસાદની વાત કરવી પડે છે... શિયાળાની સિઝનમાં પણ માવઠું આવ્યું હતું ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે જ્યારે અનેક વિસ્તારોમાં હીટવેવની અનુભૂતિ થશે... ક્યાંક હિટ વેવની અસર રહેશે તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ક્યાંક ગરમી તો ક્યાંક છુટો છવાયો વરસાદ!  

ધીરે ધીરે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવની શક્યતાઓ છે. તે બાદ 13થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ક્યારે અને ક્યાં આવશે મુસીબતનું માવઠું?

જ્યારે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે ત્યારે જગતનો તાત ચિંતિત થઈ જતો હોય છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 13 એપ્રિલના રોજ નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ છે. તે સિવાય 14 અને 15 એપ્રિલના રોજ છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ થશે છે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે એક તરફ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈ પણ આગાહી કરવામાં આવી છે. 


પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદને લઈ કરી આ આગાહી

વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 તારીખ સુધી ભારે ગરમીનો અહેસાસ થશે હિટવેવની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. તે ઉપરાંત 10 તેમજ 11 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અને 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.