આ તારીખથી યોજાવાની છે ગુજરાત MLA Cricket League, ક્રિકેટના મેદાનમાં ધારાસભ્યો લગાવશે ચોગ્ગા અને છગ્ગા!


  • Published By :
  • Published Date : 2023-03-18 10:23:52

ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં તો ઉતરેલા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ક્રિકેટ મેચના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા ઉતરવાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે મેચ યોજાવાની છે. જેને નામ આપવામાં આવ્યું છે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23. મળતી માહિતી અનુસાર 20 માર્ચ,27 માર્ચ અને 28 માર્ચના રોજ મેચ રમાવાની છે.

2 43


કોબા ખાતે આવેલા સ્ટેડિયમમાં યોજાશે મેચ  

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનતી હોય. ધુળેટીની ઉજવણી વિધાનસભામાં પ્રથમ વખત થઈ હતી ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. 20,27 અને 28 માર્ચે  ક્રિકેટ મેચનું આયોજન થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. કોબા ખાતે આવેલા ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. 

1 40

Gujarat MLA Cricket league

28 માર્ચે યોજાશે ફાઈનલ મેચ 

ક્રિકેટ મેચનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટીમોની વાત કરીએ તો તેમાં 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. બનાસ, વિશ્વામિત્રી, તાપી, ભાદર. સરસ્વતી, ક્ષેત્રુંજી, સાબરમતી, નર્મદા,મહીસાગર અને મીડિયા ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 20 માર્ચે યોજાવાનો છે. સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. 28 તારીખે ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્યો કેટલા ચોગ્ગા-છગ્ગા મારશે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.