આ તારીખથી યોજાવાની છે ગુજરાત MLA Cricket League, ક્રિકેટના મેદાનમાં ધારાસભ્યો લગાવશે ચોગ્ગા અને છગ્ગા!


  • Published By :
  • Published Date : 2023-03-18 10:23:52

ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં તો ઉતરેલા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ક્રિકેટ મેચના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા ઉતરવાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે મેચ યોજાવાની છે. જેને નામ આપવામાં આવ્યું છે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23. મળતી માહિતી અનુસાર 20 માર્ચ,27 માર્ચ અને 28 માર્ચના રોજ મેચ રમાવાની છે.

2 43


કોબા ખાતે આવેલા સ્ટેડિયમમાં યોજાશે મેચ  

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનતી હોય. ધુળેટીની ઉજવણી વિધાનસભામાં પ્રથમ વખત થઈ હતી ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. 20,27 અને 28 માર્ચે  ક્રિકેટ મેચનું આયોજન થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. કોબા ખાતે આવેલા ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. 

1 40

Gujarat MLA Cricket league

28 માર્ચે યોજાશે ફાઈનલ મેચ 

ક્રિકેટ મેચનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટીમોની વાત કરીએ તો તેમાં 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. બનાસ, વિશ્વામિત્રી, તાપી, ભાદર. સરસ્વતી, ક્ષેત્રુંજી, સાબરમતી, નર્મદા,મહીસાગર અને મીડિયા ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 20 માર્ચે યોજાવાનો છે. સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. 28 તારીખે ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્યો કેટલા ચોગ્ગા-છગ્ગા મારશે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.