આ તારીખથી યોજાવાની છે ગુજરાત MLA Cricket League, ક્રિકેટના મેદાનમાં ધારાસભ્યો લગાવશે ચોગ્ગા અને છગ્ગા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 10:23:52

ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં તો ઉતરેલા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ક્રિકેટ મેચના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા ઉતરવાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે મેચ યોજાવાની છે. જેને નામ આપવામાં આવ્યું છે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23. મળતી માહિતી અનુસાર 20 માર્ચ,27 માર્ચ અને 28 માર્ચના રોજ મેચ રમાવાની છે.

2 43


કોબા ખાતે આવેલા સ્ટેડિયમમાં યોજાશે મેચ  

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનતી હોય. ધુળેટીની ઉજવણી વિધાનસભામાં પ્રથમ વખત થઈ હતી ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. 20,27 અને 28 માર્ચે  ક્રિકેટ મેચનું આયોજન થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. કોબા ખાતે આવેલા ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. 

1 40

Gujarat MLA Cricket league

28 માર્ચે યોજાશે ફાઈનલ મેચ 

ક્રિકેટ મેચનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટીમોની વાત કરીએ તો તેમાં 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. બનાસ, વિશ્વામિત્રી, તાપી, ભાદર. સરસ્વતી, ક્ષેત્રુંજી, સાબરમતી, નર્મદા,મહીસાગર અને મીડિયા ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 20 માર્ચે યોજાવાનો છે. સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. 28 તારીખે ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્યો કેટલા ચોગ્ગા-છગ્ગા મારશે.      



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.