Twitter પર ટ્રેન્ડ થયું Gujarat Model, તાજેતરમાં જ ગુજરાતમાં સર્જાઈ બે દુર્ઘટના, અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-09-25 14:56:36

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે દુર્ઘટના સર્જાઈ છે. એક દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે અને બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી.

 

બે જગ્યાઓ પર સર્જાઈ દુર્ઘટના 

રવિવારે આવી જ એક બીજી દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે. જેમાં સ્લેબ તૂટી પડતા અનેક લોકો તે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાની થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ઘટના તો સર્જાઈ છે. 

ટ્વિટર પર ટ્રેન્ડ થયું ગુજરાત મોડલ 

ગુજરાતને વિકાસનું મોડલ ગણવામાં આવે છે. દેશભરમાં ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં ગુજરાતના મોડલને ઉદાહરણ તરીકે બતાવવામાં આવે છે. ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વસ્તુ ટ્રેન્ડ થતી હોય છે. ત્યારે આ બે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનેક લોકોએ ગુજરાત મોડલને લઈ ટ્વિટ કરી છે જેમાં અલગ અલગ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. 


અનેક વખત નિર્માણ પામી રહેલા પુલો બને છે દુર્ઘટનાનો શિકાર

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી થતી આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના જીવ ગયા છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. ગુજરાતના અનેક બ્રિજો એવા છે જેમની સ્થિતિ અત્યંત દયનીય છે. અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં દેખાય છે. રસ્તા પર ખાડાઓ પડેલા દેખાય છે. નવનિર્મીત બ્રીજો પણ અનેક વખત ધરાશાયી થતા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર હાલ ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યું છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.