Twitter પર ટ્રેન્ડ થયું Gujarat Model, તાજેતરમાં જ ગુજરાતમાં સર્જાઈ બે દુર્ઘટના, અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-09-25 14:56:36

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે દુર્ઘટના સર્જાઈ છે. એક દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે અને બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી.

 

બે જગ્યાઓ પર સર્જાઈ દુર્ઘટના 

રવિવારે આવી જ એક બીજી દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે. જેમાં સ્લેબ તૂટી પડતા અનેક લોકો તે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાની થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ઘટના તો સર્જાઈ છે. 

ટ્વિટર પર ટ્રેન્ડ થયું ગુજરાત મોડલ 

ગુજરાતને વિકાસનું મોડલ ગણવામાં આવે છે. દેશભરમાં ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં ગુજરાતના મોડલને ઉદાહરણ તરીકે બતાવવામાં આવે છે. ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વસ્તુ ટ્રેન્ડ થતી હોય છે. ત્યારે આ બે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનેક લોકોએ ગુજરાત મોડલને લઈ ટ્વિટ કરી છે જેમાં અલગ અલગ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. 


અનેક વખત નિર્માણ પામી રહેલા પુલો બને છે દુર્ઘટનાનો શિકાર

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી થતી આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના જીવ ગયા છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. ગુજરાતના અનેક બ્રિજો એવા છે જેમની સ્થિતિ અત્યંત દયનીય છે. અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં દેખાય છે. રસ્તા પર ખાડાઓ પડેલા દેખાય છે. નવનિર્મીત બ્રીજો પણ અનેક વખત ધરાશાયી થતા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર હાલ ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.