Twitter પર ટ્રેન્ડ થયું Gujarat Model, તાજેતરમાં જ ગુજરાતમાં સર્જાઈ બે દુર્ઘટના, અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-09-25 14:56:36

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે દુર્ઘટના સર્જાઈ છે. એક દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે અને બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી.

 

બે જગ્યાઓ પર સર્જાઈ દુર્ઘટના 

રવિવારે આવી જ એક બીજી દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે. જેમાં સ્લેબ તૂટી પડતા અનેક લોકો તે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાની થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ઘટના તો સર્જાઈ છે. 

ટ્વિટર પર ટ્રેન્ડ થયું ગુજરાત મોડલ 

ગુજરાતને વિકાસનું મોડલ ગણવામાં આવે છે. દેશભરમાં ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં ગુજરાતના મોડલને ઉદાહરણ તરીકે બતાવવામાં આવે છે. ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વસ્તુ ટ્રેન્ડ થતી હોય છે. ત્યારે આ બે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનેક લોકોએ ગુજરાત મોડલને લઈ ટ્વિટ કરી છે જેમાં અલગ અલગ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. 


અનેક વખત નિર્માણ પામી રહેલા પુલો બને છે દુર્ઘટનાનો શિકાર

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી થતી આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના જીવ ગયા છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. ગુજરાતના અનેક બ્રિજો એવા છે જેમની સ્થિતિ અત્યંત દયનીય છે. અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં દેખાય છે. રસ્તા પર ખાડાઓ પડેલા દેખાય છે. નવનિર્મીત બ્રીજો પણ અનેક વખત ધરાશાયી થતા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર હાલ ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.