Gujarat: 26 Loksabha બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ, જાણો કઈ બેઠક પર સૌથી વધારે નામાંકન દાખલ થયું?


  • Published By :
  • Published Date : 2024-04-20 11:26:09

દેશમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે... 102 બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર એકસાથે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ભાજપના તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો શક્તિપ્રદર્શન કરી નામાંકન દાખલ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા... ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની માહિતી સામે આવી છે જે મુજબ 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 544 ઉમેદવારોમાંથી માત્ર 30 જ મહિલાઓ છે જેમણે ફોર્મ ભર્યા છે.. 


ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે અને આપે કર્યું છે ગઠબંધન 

7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે અને બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. 



કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી?

મળતી માહિતી અનુસાર 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે.... મહત્વનું છે ગુજરાતમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ 22 તારીખે થશે કારણ કે 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે... કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ગાંધીનગર માટે 53 ઉમેદવારોએ જ્યારે વડોદરા બેઠક માટે 34 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક માટે 30, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 29, જામનગર લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તે સિવાય ખેડા બેઠક પર 25 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 


અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આટલા ભરાયા ફોર્મ 

બાકી રહેલી લોકસભા સીટોની વાત કરીએ તો બનાસકાંઠામાં 24 ફોર્મ ભરાયા છે, જ્યારે પોરબંદરમાં 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમરેલીમાં 24, દાહોદમાં 21, સુરત લોકસભા બેઠક માટે 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 19 ઉમેદવારોએ પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી ભરી છે. આણંદની બેઠક માટે 18 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 


22 એપ્રિલ સુધી ફોર્મ લઈ શકાશે પરત 

મહેસાણા તેમજ નવસારીમાં 17 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે વલસાડ બેઠક, કચ્છ બેઠક માટે પણ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે 26, રાજકોટ બેઠક માટે 11 જ્યારે ભરૂચ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.. પંચમહાલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી ઓછા ઉમેદવારી ફોર્મ બારડોલીમાં ભરાયા છે. 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 26 બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે... ત્યારે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની ખબર 22 એપ્રિલે પડશે.. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.