Gujarat: 26 Loksabha બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ, જાણો કઈ બેઠક પર સૌથી વધારે નામાંકન દાખલ થયું?


  • Published By :
  • Published Date : 2024-04-20 11:26:09

દેશમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે... 102 બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર એકસાથે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ભાજપના તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો શક્તિપ્રદર્શન કરી નામાંકન દાખલ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા... ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની માહિતી સામે આવી છે જે મુજબ 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 544 ઉમેદવારોમાંથી માત્ર 30 જ મહિલાઓ છે જેમણે ફોર્મ ભર્યા છે.. 


ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે અને આપે કર્યું છે ગઠબંધન 

7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે અને બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. 



કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી?

મળતી માહિતી અનુસાર 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે.... મહત્વનું છે ગુજરાતમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ 22 તારીખે થશે કારણ કે 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે... કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ગાંધીનગર માટે 53 ઉમેદવારોએ જ્યારે વડોદરા બેઠક માટે 34 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક માટે 30, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 29, જામનગર લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તે સિવાય ખેડા બેઠક પર 25 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 


અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આટલા ભરાયા ફોર્મ 

બાકી રહેલી લોકસભા સીટોની વાત કરીએ તો બનાસકાંઠામાં 24 ફોર્મ ભરાયા છે, જ્યારે પોરબંદરમાં 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમરેલીમાં 24, દાહોદમાં 21, સુરત લોકસભા બેઠક માટે 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 19 ઉમેદવારોએ પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી ભરી છે. આણંદની બેઠક માટે 18 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 


22 એપ્રિલ સુધી ફોર્મ લઈ શકાશે પરત 

મહેસાણા તેમજ નવસારીમાં 17 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે વલસાડ બેઠક, કચ્છ બેઠક માટે પણ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે 26, રાજકોટ બેઠક માટે 11 જ્યારે ભરૂચ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.. પંચમહાલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી ઓછા ઉમેદવારી ફોર્મ બારડોલીમાં ભરાયા છે. 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 26 બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે... ત્યારે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની ખબર 22 એપ્રિલે પડશે.. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે