Gujarat: 26 Loksabha બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ, જાણો કઈ બેઠક પર સૌથી વધારે નામાંકન દાખલ થયું?


  • Published By :
  • Published Date : 2024-04-20 11:26:09

દેશમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે... 102 બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર એકસાથે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ભાજપના તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો શક્તિપ્રદર્શન કરી નામાંકન દાખલ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા... ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની માહિતી સામે આવી છે જે મુજબ 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 544 ઉમેદવારોમાંથી માત્ર 30 જ મહિલાઓ છે જેમણે ફોર્મ ભર્યા છે.. 


ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે અને આપે કર્યું છે ગઠબંધન 

7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે અને બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. 



કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી?

મળતી માહિતી અનુસાર 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે.... મહત્વનું છે ગુજરાતમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ 22 તારીખે થશે કારણ કે 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે... કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ગાંધીનગર માટે 53 ઉમેદવારોએ જ્યારે વડોદરા બેઠક માટે 34 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક માટે 30, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 29, જામનગર લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તે સિવાય ખેડા બેઠક પર 25 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 


અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આટલા ભરાયા ફોર્મ 

બાકી રહેલી લોકસભા સીટોની વાત કરીએ તો બનાસકાંઠામાં 24 ફોર્મ ભરાયા છે, જ્યારે પોરબંદરમાં 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમરેલીમાં 24, દાહોદમાં 21, સુરત લોકસભા બેઠક માટે 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 19 ઉમેદવારોએ પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી ભરી છે. આણંદની બેઠક માટે 18 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 


22 એપ્રિલ સુધી ફોર્મ લઈ શકાશે પરત 

મહેસાણા તેમજ નવસારીમાં 17 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે વલસાડ બેઠક, કચ્છ બેઠક માટે પણ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે 26, રાજકોટ બેઠક માટે 11 જ્યારે ભરૂચ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.. પંચમહાલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી ઓછા ઉમેદવારી ફોર્મ બારડોલીમાં ભરાયા છે. 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 26 બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે... ત્યારે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની ખબર 22 એપ્રિલે પડશે.. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.