Gujarat: 26 Loksabha બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ, જાણો કઈ બેઠક પર સૌથી વધારે નામાંકન દાખલ થયું?


  • Published By :
  • Published Date : 2024-04-20 11:26:09

દેશમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે... 102 બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર એકસાથે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ભાજપના તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો શક્તિપ્રદર્શન કરી નામાંકન દાખલ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા... ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની માહિતી સામે આવી છે જે મુજબ 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 544 ઉમેદવારોમાંથી માત્ર 30 જ મહિલાઓ છે જેમણે ફોર્મ ભર્યા છે.. 


ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે અને આપે કર્યું છે ગઠબંધન 

7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે અને બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. 



કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી?

મળતી માહિતી અનુસાર 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે.... મહત્વનું છે ગુજરાતમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ 22 તારીખે થશે કારણ કે 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે... કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ગાંધીનગર માટે 53 ઉમેદવારોએ જ્યારે વડોદરા બેઠક માટે 34 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક માટે 30, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 29, જામનગર લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તે સિવાય ખેડા બેઠક પર 25 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 


અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આટલા ભરાયા ફોર્મ 

બાકી રહેલી લોકસભા સીટોની વાત કરીએ તો બનાસકાંઠામાં 24 ફોર્મ ભરાયા છે, જ્યારે પોરબંદરમાં 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમરેલીમાં 24, દાહોદમાં 21, સુરત લોકસભા બેઠક માટે 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 19 ઉમેદવારોએ પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી ભરી છે. આણંદની બેઠક માટે 18 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 


22 એપ્રિલ સુધી ફોર્મ લઈ શકાશે પરત 

મહેસાણા તેમજ નવસારીમાં 17 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે વલસાડ બેઠક, કચ્છ બેઠક માટે પણ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે 26, રાજકોટ બેઠક માટે 11 જ્યારે ભરૂચ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.. પંચમહાલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી ઓછા ઉમેદવારી ફોર્મ બારડોલીમાં ભરાયા છે. 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 26 બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે... ત્યારે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની ખબર 22 એપ્રિલે પડશે.. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .