Gujarat : ભ્રષ્ટાચાર વગર એક કામ પણ ના થાય! લાંચ લેતા આટલા કર્મચારી આવ્યા પકડમાં! વિધાનસભામાં સરકારે રજૂ કર્યો આંકડો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 15:07:25

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ત્યારે વિધાનસભામાં આંકકો રજૂ કરવામાં આવ્યો છે કે લાંચ લેતા કેટલા અધિકારીઓ પકડાયા છે? આ સવાલનો જે  જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો... 


લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે એસીબી કરે છે કામ 

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક વખત એસીબી દ્વારા મૂકવામાં આવેલી જાળમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાઈ જતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે માત્ર 200-300 રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ પકડાય છે. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એક પ્રશ્ન થાય કે નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ રહી જાય છે. 


શું કહે છે સરકારી આંકડો? 

વિધાનસભામાં સરકાર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ગૃહવિભાગના  કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા પકડાયા છે. 


નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ બચી જાય છે!

તે ઉપરાંત મહેસૂલ વિભાગના 40, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, ઉર્જા વિભાગના 10 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. મહત્વનું છે કે નાના કર્મચારીઓ, અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે, 200-300 રુપિયાની લાંચ લેતા કર્મચારીને પકડી લેવામાં આવે છે પરંતુ કરોડોની લાંચ લેતા મોટા માછલા ક્યારેય નથી પકડાતા... એવી આશા રાખીએ કે મોટી માછલીઓ પણ પકડાય. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.