Gujarat : ભ્રષ્ટાચાર વગર એક કામ પણ ના થાય! લાંચ લેતા આટલા કર્મચારી આવ્યા પકડમાં! વિધાનસભામાં સરકારે રજૂ કર્યો આંકડો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 15:07:25

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ત્યારે વિધાનસભામાં આંકકો રજૂ કરવામાં આવ્યો છે કે લાંચ લેતા કેટલા અધિકારીઓ પકડાયા છે? આ સવાલનો જે  જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો... 


લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે એસીબી કરે છે કામ 

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક વખત એસીબી દ્વારા મૂકવામાં આવેલી જાળમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાઈ જતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે માત્ર 200-300 રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ પકડાય છે. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એક પ્રશ્ન થાય કે નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ રહી જાય છે. 


શું કહે છે સરકારી આંકડો? 

વિધાનસભામાં સરકાર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ગૃહવિભાગના  કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા પકડાયા છે. 


નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ બચી જાય છે!

તે ઉપરાંત મહેસૂલ વિભાગના 40, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, ઉર્જા વિભાગના 10 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. મહત્વનું છે કે નાના કર્મચારીઓ, અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે, 200-300 રુપિયાની લાંચ લેતા કર્મચારીને પકડી લેવામાં આવે છે પરંતુ કરોડોની લાંચ લેતા મોટા માછલા ક્યારેય નથી પકડાતા... એવી આશા રાખીએ કે મોટી માછલીઓ પણ પકડાય. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.