Gujarat : ભ્રષ્ટાચાર વગર એક કામ પણ ના થાય! લાંચ લેતા આટલા કર્મચારી આવ્યા પકડમાં! વિધાનસભામાં સરકારે રજૂ કર્યો આંકડો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 15:07:25

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ત્યારે વિધાનસભામાં આંકકો રજૂ કરવામાં આવ્યો છે કે લાંચ લેતા કેટલા અધિકારીઓ પકડાયા છે? આ સવાલનો જે  જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો... 


લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે એસીબી કરે છે કામ 

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક વખત એસીબી દ્વારા મૂકવામાં આવેલી જાળમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાઈ જતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે માત્ર 200-300 રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ પકડાય છે. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એક પ્રશ્ન થાય કે નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ રહી જાય છે. 


શું કહે છે સરકારી આંકડો? 

વિધાનસભામાં સરકાર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ગૃહવિભાગના  કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા પકડાયા છે. 


નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ બચી જાય છે!

તે ઉપરાંત મહેસૂલ વિભાગના 40, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, ઉર્જા વિભાગના 10 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. મહત્વનું છે કે નાના કર્મચારીઓ, અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે, 200-300 રુપિયાની લાંચ લેતા કર્મચારીને પકડી લેવામાં આવે છે પરંતુ કરોડોની લાંચ લેતા મોટા માછલા ક્યારેય નથી પકડાતા... એવી આશા રાખીએ કે મોટી માછલીઓ પણ પકડાય. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે