સરકારી કર્મચારીઓને બઢતી અને બદલી માટે CMને ભલામણ ન કરવાનો હુકમ, ઊર્જા વિભાગે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-31 15:11:16

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમના મનગમતા સ્થળે બદલી કે પ્રમોશન માટે કોઈ સંસદ સભ્ય, ધારાસભ્ય, સત્તાધારી પાર્ટીના ઉચ્ચ પદાધિકારીની ભલામણથી કામ કઢાવી લેતા હોય છે. જો કે તેના કારણે વહીવટી માળખું ખોરવાય છે, આજ કારણે હવે રાજ્ય સરકારના ઊર્જા વિભાગે અધિકારીઓને બદલી માટે મુખ્યમંત્રીને સીધી ભલામણ ન કરવા આદેશ કર્યો છે.


ઊર્જા વિભાગે બહાર પાડ્યો પરિપત્ર


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જણાવાયું છે કે તેમણે તેઓની સેવાકીય બાબતો જેવી કે, બઢતી, બદલી, ઉચ્ચતર પગાર-ધોરણ, ખાતાકીય તપાસ અથવા નોકરીને લગતી અન્ય કોઈ બાબતો અંગે મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરવો નહીં. સદર પ્રકારની રજૂઆતથી સર્વિસ રેગ્યુલેશન 232 અને 233નો ભંગ થાય છે.


ભલામણ પ્રથા સરકારી સિસ્ટમનો સડો


રાજ્યમાં ભલામણ વગર કોઈ સરકારી કામ થતાં નથી, આજ કારણે રાજ્યના સરકારી વિભાગોમાં બઢતી અને બદલી માટે કર્મચારીઓ ઘણી વખત ગાંધીનગરના ધક્કા પણ ખાતા હોય છે. પોતાની બદલી માટે કર્મચારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને મળી ભલામણ કરતા હોય છે. તેમ છતાં જો કામ ન થાય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ભલામણ કરે છે. પોલીસ વિભાગમાં પણ બઢતી અને બદલી માટે અવારનવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલીસકર્મીઓ પોતાના મનપસંદ પોસ્ટિંગ માટે અવારનવાર ભલામણો કરતા હોય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.