સરકારી કર્મચારીઓને બઢતી અને બદલી માટે CMને ભલામણ ન કરવાનો હુકમ, ઊર્જા વિભાગે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-31 15:11:16

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમના મનગમતા સ્થળે બદલી કે પ્રમોશન માટે કોઈ સંસદ સભ્ય, ધારાસભ્ય, સત્તાધારી પાર્ટીના ઉચ્ચ પદાધિકારીની ભલામણથી કામ કઢાવી લેતા હોય છે. જો કે તેના કારણે વહીવટી માળખું ખોરવાય છે, આજ કારણે હવે રાજ્ય સરકારના ઊર્જા વિભાગે અધિકારીઓને બદલી માટે મુખ્યમંત્રીને સીધી ભલામણ ન કરવા આદેશ કર્યો છે.


ઊર્જા વિભાગે બહાર પાડ્યો પરિપત્ર


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જણાવાયું છે કે તેમણે તેઓની સેવાકીય બાબતો જેવી કે, બઢતી, બદલી, ઉચ્ચતર પગાર-ધોરણ, ખાતાકીય તપાસ અથવા નોકરીને લગતી અન્ય કોઈ બાબતો અંગે મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરવો નહીં. સદર પ્રકારની રજૂઆતથી સર્વિસ રેગ્યુલેશન 232 અને 233નો ભંગ થાય છે.


ભલામણ પ્રથા સરકારી સિસ્ટમનો સડો


રાજ્યમાં ભલામણ વગર કોઈ સરકારી કામ થતાં નથી, આજ કારણે રાજ્યના સરકારી વિભાગોમાં બઢતી અને બદલી માટે કર્મચારીઓ ઘણી વખત ગાંધીનગરના ધક્કા પણ ખાતા હોય છે. પોતાની બદલી માટે કર્મચારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને મળી ભલામણ કરતા હોય છે. તેમ છતાં જો કામ ન થાય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ભલામણ કરે છે. પોલીસ વિભાગમાં પણ બઢતી અને બદલી માટે અવારનવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલીસકર્મીઓ પોતાના મનપસંદ પોસ્ટિંગ માટે અવારનવાર ભલામણો કરતા હોય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.