Gujarat - એક તરફ શિક્ષકોની ભરતીની માગ તો બીજી તરફ આટલી સરકારી શાળાઓમાં છે માત્ર એક શિક્ષક.. જાણો આંકડા


  • Published By :
  • Published Date : 2024-08-03 11:22:10

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક બાળકો એવા છે જેમને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને અનેક શાળાઓને તાળા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નથી.. અરવલ્લીથી સમાચાર આવ્યા કે અનેક સરકારી શાળાને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિદ્યાર્થીઓ નથી આવતા અનેક શાળામાં એ વાત સાચી હશે પરંતુ અનેક શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષકો નથી મૂકાયા. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે. અનેક શાળાઓ એવી છે જ્યાં ઓરડા નથી.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન પણ કર્યું.. અનેક વખત રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ ગયા પરંતુ તેમની સાથે કરવામાં આવતો વ્યવહાર આપણે જોયો છે.. શાળામાં જ્યાં સુધી શિક્ષકો નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે?



આટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાનસહાયકનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. 1600 જેટલી સરકારી શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 340 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડો છે.  મહત્વનું છે કે સરકાર ભણતર પાછળ હજારો કરોડ રુપિયા વાપરે છે પરંતુ તો પણ ગુજરાતમાં ભણતરનું સ્તર શું છે તે આપણે જાણીએ છીએ.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.