Gujarat - એક તરફ શિક્ષકોની ભરતીની માગ તો બીજી તરફ આટલી સરકારી શાળાઓમાં છે માત્ર એક શિક્ષક.. જાણો આંકડા


  • Published By :
  • Published Date : 2024-08-03 11:22:10

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક બાળકો એવા છે જેમને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને અનેક શાળાઓને તાળા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નથી.. અરવલ્લીથી સમાચાર આવ્યા કે અનેક સરકારી શાળાને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિદ્યાર્થીઓ નથી આવતા અનેક શાળામાં એ વાત સાચી હશે પરંતુ અનેક શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષકો નથી મૂકાયા. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે. અનેક શાળાઓ એવી છે જ્યાં ઓરડા નથી.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન પણ કર્યું.. અનેક વખત રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ ગયા પરંતુ તેમની સાથે કરવામાં આવતો વ્યવહાર આપણે જોયો છે.. શાળામાં જ્યાં સુધી શિક્ષકો નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે?



આટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાનસહાયકનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. 1600 જેટલી સરકારી શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 340 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડો છે.  મહત્વનું છે કે સરકાર ભણતર પાછળ હજારો કરોડ રુપિયા વાપરે છે પરંતુ તો પણ ગુજરાતમાં ભણતરનું સ્તર શું છે તે આપણે જાણીએ છીએ.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.