Gujarat - એક તરફ શિક્ષકોની ભરતીની માગ તો બીજી તરફ આટલી સરકારી શાળાઓમાં છે માત્ર એક શિક્ષક.. જાણો આંકડા


  • Published By :
  • Published Date : 2024-08-03 11:22:10

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક બાળકો એવા છે જેમને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને અનેક શાળાઓને તાળા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નથી.. અરવલ્લીથી સમાચાર આવ્યા કે અનેક સરકારી શાળાને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિદ્યાર્થીઓ નથી આવતા અનેક શાળામાં એ વાત સાચી હશે પરંતુ અનેક શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષકો નથી મૂકાયા. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે. અનેક શાળાઓ એવી છે જ્યાં ઓરડા નથી.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન પણ કર્યું.. અનેક વખત રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ ગયા પરંતુ તેમની સાથે કરવામાં આવતો વ્યવહાર આપણે જોયો છે.. શાળામાં જ્યાં સુધી શિક્ષકો નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે?



આટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાનસહાયકનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. 1600 જેટલી સરકારી શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 340 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડો છે.  મહત્વનું છે કે સરકાર ભણતર પાછળ હજારો કરોડ રુપિયા વાપરે છે પરંતુ તો પણ ગુજરાતમાં ભણતરનું સ્તર શું છે તે આપણે જાણીએ છીએ.. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.