Gujarat : આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અપક્ષના આ ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 10:47:32

કહેવાય છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રાતોરાત સમીકરણ બદલાઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. રાત્રે સૂઈ ગયા હોઈએ અને સવારે ખબર પડે કે આપણા વિસ્તારના ધારાસભ્યએ તો પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે પણ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું 11 વાગે આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. આજે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે. 


ત્રણ નામને લઈ ચાલી રહી હતી અટકળો

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે વગેરે વગેરે.. થોડા સમય પહેલા ત્રણ ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ત્રણ નામોને લઈ અટકળો ચાલી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, ગુલાબસિંહ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આજે રાજીનામું આપી શકે છે. 11 વાગ્યાની આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. 


ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય કે તે રાજીનામું નથી આપી રહ્યા પરંતુ તે આપી દેતા હોય છે. આની પહેલાના કેસમાં પણ આવું જ થયું હતું. ત્યારે જોવું રહ્યું કે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે?       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.