Gujarat : આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અપક્ષના આ ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 10:47:32

કહેવાય છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રાતોરાત સમીકરણ બદલાઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. રાત્રે સૂઈ ગયા હોઈએ અને સવારે ખબર પડે કે આપણા વિસ્તારના ધારાસભ્યએ તો પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે પણ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું 11 વાગે આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. આજે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે. 


ત્રણ નામને લઈ ચાલી રહી હતી અટકળો

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે વગેરે વગેરે.. થોડા સમય પહેલા ત્રણ ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ત્રણ નામોને લઈ અટકળો ચાલી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, ગુલાબસિંહ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આજે રાજીનામું આપી શકે છે. 11 વાગ્યાની આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. 


ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય કે તે રાજીનામું નથી આપી રહ્યા પરંતુ તે આપી દેતા હોય છે. આની પહેલાના કેસમાં પણ આવું જ થયું હતું. ત્યારે જોવું રહ્યું કે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે?       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.