Gujarat : આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અપક્ષના આ ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 10:47:32

કહેવાય છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રાતોરાત સમીકરણ બદલાઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. રાત્રે સૂઈ ગયા હોઈએ અને સવારે ખબર પડે કે આપણા વિસ્તારના ધારાસભ્યએ તો પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે પણ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું 11 વાગે આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. આજે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે. 


ત્રણ નામને લઈ ચાલી રહી હતી અટકળો

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે વગેરે વગેરે.. થોડા સમય પહેલા ત્રણ ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ત્રણ નામોને લઈ અટકળો ચાલી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, ગુલાબસિંહ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આજે રાજીનામું આપી શકે છે. 11 વાગ્યાની આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. 


ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય કે તે રાજીનામું નથી આપી રહ્યા પરંતુ તે આપી દેતા હોય છે. આની પહેલાના કેસમાં પણ આવું જ થયું હતું. ત્યારે જોવું રહ્યું કે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે?       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.