Gujarat : આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અપક્ષના આ ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 10:47:32

કહેવાય છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રાતોરાત સમીકરણ બદલાઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. રાત્રે સૂઈ ગયા હોઈએ અને સવારે ખબર પડે કે આપણા વિસ્તારના ધારાસભ્યએ તો પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે પણ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું 11 વાગે આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. આજે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે. 


ત્રણ નામને લઈ ચાલી રહી હતી અટકળો

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે વગેરે વગેરે.. થોડા સમય પહેલા ત્રણ ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ત્રણ નામોને લઈ અટકળો ચાલી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, ગુલાબસિંહ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આજે રાજીનામું આપી શકે છે. 11 વાગ્યાની આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. 


ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય કે તે રાજીનામું નથી આપી રહ્યા પરંતુ તે આપી દેતા હોય છે. આની પહેલાના કેસમાં પણ આવું જ થયું હતું. ત્યારે જોવું રહ્યું કે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે?       



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.