Gujarat : સ્માર્ટ મીટરનો વિરોધ! આવેદન પત્રો આપી આપે નોંધાવ્યો વિરોધ, સાંભળો સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું Gopal Italiaએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 16:44:12

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરની ચર્ચા તેમજ સ્માર્ટ મીટરના વિરોધની ચર્ચા ચાલી રહી છે.. અનેક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામા આવી તો હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.. પ્રતિ મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.., 

લોકોની ગેરસમજ દૂર કરવા સરકાર કરી રહી છે પ્રયાસ

સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. લોકોનો એવો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. લોકોની ગેરસમજણ દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી હતી કે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે જેને કારણે લોકોને વિશ્વાસ બેસે.. આ બધા વચ્ચે સ્માર્ટ મીટરને લઈ રાજકારણ ગરમાયું છે.  થોડા દિવસ પહેલા અમિત ચાવડાએ આ મુદ્દે વાત કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે...      


સરકારને ઘેરવાનો આપનો પ્રયાસ! 

આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ આવેદન પત્રમાં  સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ સ્માર્ટ મીટરના નિર્ણય ને બુદ્ધિવગરની યોજના કહી છે. મહત્વનું છે કે ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.