Gujarat : સ્માર્ટ મીટરનો વિરોધ! આવેદન પત્રો આપી આપે નોંધાવ્યો વિરોધ, સાંભળો સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું Gopal Italiaએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 16:44:12

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરની ચર્ચા તેમજ સ્માર્ટ મીટરના વિરોધની ચર્ચા ચાલી રહી છે.. અનેક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામા આવી તો હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.. પ્રતિ મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.., 

લોકોની ગેરસમજ દૂર કરવા સરકાર કરી રહી છે પ્રયાસ

સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. લોકોનો એવો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. લોકોની ગેરસમજણ દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી હતી કે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે જેને કારણે લોકોને વિશ્વાસ બેસે.. આ બધા વચ્ચે સ્માર્ટ મીટરને લઈ રાજકારણ ગરમાયું છે.  થોડા દિવસ પહેલા અમિત ચાવડાએ આ મુદ્દે વાત કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે...      


સરકારને ઘેરવાનો આપનો પ્રયાસ! 

આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ આવેદન પત્રમાં  સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ સ્માર્ટ મીટરના નિર્ણય ને બુદ્ધિવગરની યોજના કહી છે. મહત્વનું છે કે ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."