Gujarat : સ્માર્ટ મીટરનો વિરોધ! આવેદન પત્રો આપી આપે નોંધાવ્યો વિરોધ, સાંભળો સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું Gopal Italiaએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 16:44:12

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરની ચર્ચા તેમજ સ્માર્ટ મીટરના વિરોધની ચર્ચા ચાલી રહી છે.. અનેક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામા આવી તો હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.. પ્રતિ મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.., 

લોકોની ગેરસમજ દૂર કરવા સરકાર કરી રહી છે પ્રયાસ

સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. લોકોનો એવો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. લોકોની ગેરસમજણ દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી હતી કે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે જેને કારણે લોકોને વિશ્વાસ બેસે.. આ બધા વચ્ચે સ્માર્ટ મીટરને લઈ રાજકારણ ગરમાયું છે.  થોડા દિવસ પહેલા અમિત ચાવડાએ આ મુદ્દે વાત કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે...      


સરકારને ઘેરવાનો આપનો પ્રયાસ! 

આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ આવેદન પત્રમાં  સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ સ્માર્ટ મીટરના નિર્ણય ને બુદ્ધિવગરની યોજના કહી છે. મહત્વનું છે કે ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




આ વખતે ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્ણાંક રાખ્યો હતો 26એ 26 બેઠકો મળશે અને પાંચ લાખની લીડ સાથે. પરંતુ આ વખતે 26માંથી 25 સીટ ભાજપને મળી છે. ત્યારે એક સીટ ગુમાવાનો વસવસો સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પરંતુ પિતા માટે એટલું બધુ નથી કહેવાયું.. માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્રેમ દેખાતો નથી.. માતા વ્યક્ત કરે છે જ્યારે પિતા છાનેમાને સંતાનને પ્રેમ કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના..

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે.