Gujarat : સ્માર્ટ મીટરનો વિરોધ! આવેદન પત્રો આપી આપે નોંધાવ્યો વિરોધ, સાંભળો સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું Gopal Italiaએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 16:44:12

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરની ચર્ચા તેમજ સ્માર્ટ મીટરના વિરોધની ચર્ચા ચાલી રહી છે.. અનેક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામા આવી તો હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.. પ્રતિ મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.., 

લોકોની ગેરસમજ દૂર કરવા સરકાર કરી રહી છે પ્રયાસ

સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. લોકોનો એવો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. લોકોની ગેરસમજણ દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી હતી કે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે જેને કારણે લોકોને વિશ્વાસ બેસે.. આ બધા વચ્ચે સ્માર્ટ મીટરને લઈ રાજકારણ ગરમાયું છે.  થોડા દિવસ પહેલા અમિત ચાવડાએ આ મુદ્દે વાત કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે...      


સરકારને ઘેરવાનો આપનો પ્રયાસ! 

આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ આવેદન પત્રમાં  સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ સ્માર્ટ મીટરના નિર્ણય ને બુદ્ધિવગરની યોજના કહી છે. મહત્વનું છે કે ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.