ગુજરાત પેન્શનર સંકલન સમિતિ માગ સાથે મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:21:36

પોતાના વોટ બેંકને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરી પોતાની વાહ-વાહી કરાવતી રહે છે. ત્યારે પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ મેદાનમાં આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના સોમનાથ ખાતે યોજાયું હતું. સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ચાર મહાનગરોમાં કલેક્ટરને આવેદન પાઠવી અને સૂત્રોચ્ચાર કરશે.  


2021માં કરી હતી સરકારને રજૂઆત 

પોતાની માગણીઓ વિશે સરકારનું ધ્યાન દોરાવવા માટે 7 ડિસેમ્બર 2021ના રોજ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવ્યો હતો. દરેક જિલ્લા મથકે મૌન ધારણ કરી આવેદન પત્ર પાઠવ્યા હતા. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ માંગણીઓ ના સ્વીકારાતા પેન્શનર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવુ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. તે ઉપરાંત જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે મોટા પાયે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના પેન્શનરો મંડળો પણ ટેકો આપશે.


પેન્શનર્સની 10 પડતર માંગણીઓ 

2004થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો. સિનીયર સિટીઝને રેલ્વે તથા હવાઈ મુસાફરીના બંધ કરેલા લોભો સત્વરે ચાલુ કરવા.વ્યાજના દર ઘટતાં રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ પૂર્ણ કરી પુરૂ પેન્શન આપવું. નિવૃત્તિ કર્મચારીઓ સામે ના ખાતાકીય તપાસના કે કોર્ટ કેસનો નિકાલ શક્ય તેટલા વહેલા કરવા જેથી અટકાવેલ સેવાકીય લાભો સમયસર મળી રહે.        


પડતર માગણીઓ સાંભળવવા સરકારે બનાવી છે કમિટી    

ચૂંટણી નજીક આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન સરકારી લોકોએ પોતાની પડતર માગણી સરકાર સમક્ષ રજુ કરવા માટેનો ગોલ્ડન ટાઈમ માનતા હોય છે. ત્યારે સરકારે અનેક પડતર માગણીને સાંભળવવા 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. ત્યારે આ લોકોની પડતર માગણીઓ સ્વીકારાશે કે તેમણે પણ લોલીપોપ આપવામાં આવશે તે આવનારો સમય દેખાડશે.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.