ગુજરાત પેન્શનર સંકલન સમિતિ માગ સાથે મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:21:36

પોતાના વોટ બેંકને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરી પોતાની વાહ-વાહી કરાવતી રહે છે. ત્યારે પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ મેદાનમાં આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના સોમનાથ ખાતે યોજાયું હતું. સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ચાર મહાનગરોમાં કલેક્ટરને આવેદન પાઠવી અને સૂત્રોચ્ચાર કરશે.  


2021માં કરી હતી સરકારને રજૂઆત 

પોતાની માગણીઓ વિશે સરકારનું ધ્યાન દોરાવવા માટે 7 ડિસેમ્બર 2021ના રોજ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવ્યો હતો. દરેક જિલ્લા મથકે મૌન ધારણ કરી આવેદન પત્ર પાઠવ્યા હતા. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ માંગણીઓ ના સ્વીકારાતા પેન્શનર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવુ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. તે ઉપરાંત જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે મોટા પાયે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના પેન્શનરો મંડળો પણ ટેકો આપશે.


પેન્શનર્સની 10 પડતર માંગણીઓ 

2004થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો. સિનીયર સિટીઝને રેલ્વે તથા હવાઈ મુસાફરીના બંધ કરેલા લોભો સત્વરે ચાલુ કરવા.વ્યાજના દર ઘટતાં રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ પૂર્ણ કરી પુરૂ પેન્શન આપવું. નિવૃત્તિ કર્મચારીઓ સામે ના ખાતાકીય તપાસના કે કોર્ટ કેસનો નિકાલ શક્ય તેટલા વહેલા કરવા જેથી અટકાવેલ સેવાકીય લાભો સમયસર મળી રહે.        


પડતર માગણીઓ સાંભળવવા સરકારે બનાવી છે કમિટી    

ચૂંટણી નજીક આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન સરકારી લોકોએ પોતાની પડતર માગણી સરકાર સમક્ષ રજુ કરવા માટેનો ગોલ્ડન ટાઈમ માનતા હોય છે. ત્યારે સરકારે અનેક પડતર માગણીને સાંભળવવા 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. ત્યારે આ લોકોની પડતર માગણીઓ સ્વીકારાશે કે તેમણે પણ લોલીપોપ આપવામાં આવશે તે આવનારો સમય દેખાડશે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."