ગુજરાત પેન્શનર સંકલન સમિતિ માગ સાથે મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:21:36

પોતાના વોટ બેંકને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરી પોતાની વાહ-વાહી કરાવતી રહે છે. ત્યારે પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ મેદાનમાં આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના સોમનાથ ખાતે યોજાયું હતું. સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ચાર મહાનગરોમાં કલેક્ટરને આવેદન પાઠવી અને સૂત્રોચ્ચાર કરશે.  


2021માં કરી હતી સરકારને રજૂઆત 

પોતાની માગણીઓ વિશે સરકારનું ધ્યાન દોરાવવા માટે 7 ડિસેમ્બર 2021ના રોજ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવ્યો હતો. દરેક જિલ્લા મથકે મૌન ધારણ કરી આવેદન પત્ર પાઠવ્યા હતા. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ માંગણીઓ ના સ્વીકારાતા પેન્શનર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવુ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. તે ઉપરાંત જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે મોટા પાયે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના પેન્શનરો મંડળો પણ ટેકો આપશે.


પેન્શનર્સની 10 પડતર માંગણીઓ 

2004થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો. સિનીયર સિટીઝને રેલ્વે તથા હવાઈ મુસાફરીના બંધ કરેલા લોભો સત્વરે ચાલુ કરવા.વ્યાજના દર ઘટતાં રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ પૂર્ણ કરી પુરૂ પેન્શન આપવું. નિવૃત્તિ કર્મચારીઓ સામે ના ખાતાકીય તપાસના કે કોર્ટ કેસનો નિકાલ શક્ય તેટલા વહેલા કરવા જેથી અટકાવેલ સેવાકીય લાભો સમયસર મળી રહે.        


પડતર માગણીઓ સાંભળવવા સરકારે બનાવી છે કમિટી    

ચૂંટણી નજીક આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન સરકારી લોકોએ પોતાની પડતર માગણી સરકાર સમક્ષ રજુ કરવા માટેનો ગોલ્ડન ટાઈમ માનતા હોય છે. ત્યારે સરકારે અનેક પડતર માગણીને સાંભળવવા 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. ત્યારે આ લોકોની પડતર માગણીઓ સ્વીકારાશે કે તેમણે પણ લોલીપોપ આપવામાં આવશે તે આવનારો સમય દેખાડશે.



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.