ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન લડી લેવાના મૂડમાં, પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવાની કરી જાહેરાત, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-13 22:34:37

છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને અંતે સરકાર સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પડતર માંગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા 'નો પરચેઝ'ની જાહેરાત કરી છે. આગામી 15-09-2023 ને શુક્રવારના દિવસે ગુજરાતના કોઈ પણ પેટ્રોલિયમ ડિલર દ્વારા પેટ્રોલ કે ડિઝલની ખરીદી કરવામાં નહી આવે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને (Federation of Gujarat Petroleum Dealers Association) પોતાના આ નિર્ણયની જાણકારી ઓઈલ કંપની તથા ગાંધીનગર પુરવઠા વિભાગને કરેલી છે અને તે મુજબ ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે વેચાણ ચાલુ રહેશે.


FGPDAએ શા આ નિર્ણય કર્યો?


ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. તે ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વળી બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ પડતું દબાણ કરાતું હોવાનો પણ એસોસિએશનનો આરોપ છે. ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ હવે પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ જેવી કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે બાયો ચઢાવી છે. તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો આગામી 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહીં મળે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.