ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન લડી લેવાના મૂડમાં, પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવાની કરી જાહેરાત, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-13 22:34:37

છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને અંતે સરકાર સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પડતર માંગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા 'નો પરચેઝ'ની જાહેરાત કરી છે. આગામી 15-09-2023 ને શુક્રવારના દિવસે ગુજરાતના કોઈ પણ પેટ્રોલિયમ ડિલર દ્વારા પેટ્રોલ કે ડિઝલની ખરીદી કરવામાં નહી આવે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને (Federation of Gujarat Petroleum Dealers Association) પોતાના આ નિર્ણયની જાણકારી ઓઈલ કંપની તથા ગાંધીનગર પુરવઠા વિભાગને કરેલી છે અને તે મુજબ ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે વેચાણ ચાલુ રહેશે.


FGPDAએ શા આ નિર્ણય કર્યો?


ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. તે ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વળી બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ પડતું દબાણ કરાતું હોવાનો પણ એસોસિએશનનો આરોપ છે. ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ હવે પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ જેવી કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે બાયો ચઢાવી છે. તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો આગામી 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહીં મળે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.