ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન લડી લેવાના મૂડમાં, પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવાની કરી જાહેરાત, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-13 22:34:37

છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને અંતે સરકાર સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પડતર માંગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા 'નો પરચેઝ'ની જાહેરાત કરી છે. આગામી 15-09-2023 ને શુક્રવારના દિવસે ગુજરાતના કોઈ પણ પેટ્રોલિયમ ડિલર દ્વારા પેટ્રોલ કે ડિઝલની ખરીદી કરવામાં નહી આવે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને (Federation of Gujarat Petroleum Dealers Association) પોતાના આ નિર્ણયની જાણકારી ઓઈલ કંપની તથા ગાંધીનગર પુરવઠા વિભાગને કરેલી છે અને તે મુજબ ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે વેચાણ ચાલુ રહેશે.


FGPDAએ શા આ નિર્ણય કર્યો?


ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. તે ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વળી બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ પડતું દબાણ કરાતું હોવાનો પણ એસોસિએશનનો આરોપ છે. ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ હવે પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ જેવી કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે બાયો ચઢાવી છે. તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો આગામી 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહીં મળે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી