ગુજરાત પોલીસના 538 ASIને મળ્યું PSI તરીકે પ્રમોશન, આ બે આ બે DySPની પણ થઈ બઢતી


  • Published By :
  • Published Date : 2023-11-08 19:09:53

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર કર્મચારીઓના દિલ જીતવા એક પછી એક મોટી જાહેરાતો કરી રહી છે. ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યના 538 જેટલા ASIને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યું છે. ગૃહ નિભાગે એક પરિપત્ર જાહેર કરી 538 જેટલા ASIને PSI તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી PSI બનવા માટે થનગની રહેલા  538 જેટલા ASIને આજે રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી છે.


શરતોને આધીન હંગામી બઢતી


ગુજરાત સરકારે બિન હથિયાર ASIમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ -3ની ખાલી જગ્યાઓ ખાતાકિય બઢતી (મોડ-3) થી ભરવાની બાબતને સરકારે લીલીઝંડી આપી છે. સરકારે આજે જાહેરાત કરી છે કે બી / પો.સ.ઈ.-18 મોડ-3 / બત / મંજુરી - 2969 8 2023 થી આપે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-3), વર્ગ–3 સંવર્ગની જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવા વિભાગના તારીખ 24-08-2023ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજુરી અન્વયે ફેર વિચારણા કરવા અત્રે દરખાસ્ત કરેલ જે બાબતે સરકાર કક્ષાએ વિચારણા હાથધરી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-3), વર્ગ-3ની 528 જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપવામાં આવે છે.


આ બે DySPને મળ્યું પ્રમોશન


રાજ્ય સરકારે ASIને PSI તરીકે પ્રમોશન આપ્યું તે જ પ્રકારે બે  DySPની પણ બઢતી કરી છે. રાજ્યના ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે DySPને એસપી તરીકેની બઢતી આપવાની આ બાબત ગુજરાત પોલીસમાં અનોખી મનાય છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે.  DySP કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાની નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.