સ્પા સેન્ટરો સામે ગુજરાત પોલીસનો સપાટો, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં પોલીસે પાડી રેડ


  • Published By :
  • Published Date : 2023-10-19 19:13:46

ગુજરાતમાં સ્પાના નામે રાજ્યના તમામ મોટા શહેરોમાં ચાલી રહેલી દેહ વ્યાપારની પ્રવૃતિ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્ય પોલીસે અલગ અલગ શહેરોમાં જાણીતા સ્પા સેન્ટરો પર રેડ પાડી હતી. પોલીસે વિવિધ સ્પા સેન્ટરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ પૈકીના 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.   


રાજકોટમાં 50 સ્પા પર દરોડા

 

રાજકોટ પોલીસે શહેરમાં ચાલતા વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં હતા. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતા. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહીં કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સીટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો. આ મોટાભાગના સ્પામા ગોરખધંધા ચાલતા હોવાની હકીકત સામે આવી હતી.


સુરતમાં 35ની ધરપકડ


રાજકોટની જેમ જ સુરત પોલીસે પણ શહેરના સ્પામાં પણ પોલીસના રેડ કરી હતી. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. 


અમદાવાદના 25 જેટલા સ્પામાં પોલીસ ચેકિંગ


અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી હતી. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતી. સ્પામાં ચાલતા વ્યાભિચારને રોકવા સૂચના અપાઇ છે. ઉપરાંત રેડ દરમિયાન માહિતી સામે આવી હતી કે, અનેક ઠેકાણે  નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહ વ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.


ગીર સોમનાથ, મોરબી અને અંકલેશ્વરમાં પણ સ્પા સામે કાર્યવાહી


મોરબીમાં પણ સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક અફીમ સ્પામાં પોલીસના દરોડા પાડ્યા છે અહીં મોરબીમાં અફીમ સ્પામાંથી કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ મેવા નામનો શખ્સ ગોરખધંધા ચલાવતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પોલીસના સામૂહિક દરોડા પડ્યાં છે. મોરબીમાં વાઘાવાડી રોડ પર સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરુચના અંકલેશ્વરમાં સ્પામાં પણ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ  દરોડા શરૂ થયા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.