સ્પા સેન્ટરો સામે ગુજરાત પોલીસનો સપાટો, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં પોલીસે પાડી રેડ


  • Published By :
  • Published Date : 2023-10-19 19:13:46

ગુજરાતમાં સ્પાના નામે રાજ્યના તમામ મોટા શહેરોમાં ચાલી રહેલી દેહ વ્યાપારની પ્રવૃતિ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્ય પોલીસે અલગ અલગ શહેરોમાં જાણીતા સ્પા સેન્ટરો પર રેડ પાડી હતી. પોલીસે વિવિધ સ્પા સેન્ટરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ પૈકીના 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.   


રાજકોટમાં 50 સ્પા પર દરોડા

 

રાજકોટ પોલીસે શહેરમાં ચાલતા વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં હતા. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતા. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહીં કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સીટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો. આ મોટાભાગના સ્પામા ગોરખધંધા ચાલતા હોવાની હકીકત સામે આવી હતી.


સુરતમાં 35ની ધરપકડ


રાજકોટની જેમ જ સુરત પોલીસે પણ શહેરના સ્પામાં પણ પોલીસના રેડ કરી હતી. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. 


અમદાવાદના 25 જેટલા સ્પામાં પોલીસ ચેકિંગ


અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી હતી. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતી. સ્પામાં ચાલતા વ્યાભિચારને રોકવા સૂચના અપાઇ છે. ઉપરાંત રેડ દરમિયાન માહિતી સામે આવી હતી કે, અનેક ઠેકાણે  નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહ વ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.


ગીર સોમનાથ, મોરબી અને અંકલેશ્વરમાં પણ સ્પા સામે કાર્યવાહી


મોરબીમાં પણ સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક અફીમ સ્પામાં પોલીસના દરોડા પાડ્યા છે અહીં મોરબીમાં અફીમ સ્પામાંથી કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ મેવા નામનો શખ્સ ગોરખધંધા ચલાવતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પોલીસના સામૂહિક દરોડા પડ્યાં છે. મોરબીમાં વાઘાવાડી રોડ પર સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરુચના અંકલેશ્વરમાં સ્પામાં પણ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ  દરોડા શરૂ થયા છે.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.