Gujarat Policeએ આપી TRB જવાનની ફરજ અને કામગીરી અંગે માહિતી, શું મેમો ફાડવાનો અધિકાર TRB જવાનને છે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-23 16:08:03

છેલ્લા થોડા દિવસોથી ટીઆરબી જવાન અંગે ચર્ચા થઈ રહી છે. ટીઆરબી જવાનની હકારપટ્ટી કરવાની જાહેરાત કરાયા બાદ ટીઆરબી જવાનો વિરોધ કરી રહ્યા છે. તોડકાંડ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો લોકો સાથે તોડ કરતા હોય તેવા કિસ્સા બહાર આવતા એસીબી એક્ટિવ થઈ છે. આવા કિસ્સાઓ સામે આવતા લોકો માટે જનહિતામાં એક પોસ્ટ કરવામાં આવી છે. ટીઆરબી જવાન, ટ્રાફિક પોલીસ અને પોલીસ વચ્ચે શું તફાવત છે તેની જાણકારી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. કોની પાસે કયા અધિકાર છે તેની જાણ થાય તે માટે માહિતી આપવામાં આવી છે. કયા જવાનના કેવો યુનિફોર્મ હોય, તેમની પાસે શું સત્તા હોય વગેરેની માહિતી આપવામાં આવી છે.


જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે કરી હતી વાત

થોડા સમય પહેલા દિલ્હીથી અમદાવાદ મેચ જોવા આવેલા એક વ્યક્તિને કડવો અનુભવ થયો હતો. યુવક પાસેથી ટ્રાફિક પોલીસે 20 હજાર રુપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી હતી. સમાચાર આવ્યા બાદ સસ્પેન્ડ કરી કાર્યવાહી પણ કરવામાં આવી. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમની સાથે આવા બનાવો બન્યા હશે. અનેક લોકોએ દંડ ન ભરવો પડે તે માટે સેટિંગ પણ કર્યું હશે. ખેર એ વાત નથી કરવી. જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે ઈન્ટરવ્યું કર્યો હતો ત્યારે તેમણે આ વિષય પર વાત કરી હતી. તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે લોકોને કાયદાની ખબર નથી હોતી તેને કારણે લોકોના ડરનો પોલીસ ફાયદો ઉઠાવતા હોય છે.  

શું છે ટીઆરબી જવાનની ફરજ અને કામગીરી? 

આ બધા વચ્ચે ગુજરાત પોલીસે લોકોને ટીઆરબી જવાનની કામગીરી શું છે તેમની ફરજ શું છે તે અંગેની પોસ્ટ શેર કરી છે. ટીઆરબી જવાનની કામગીરી અને ફરજની વાત કરીએ તો ટીઆરબી જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે. ટીઆરબી જવાનનું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે. 

મેમો ફાડવાનો ટીઆરબી જવાનને નથી અધિકાર 

ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી. ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી. જો કોઈ ટીઆરબી જવાનની ગેરવર્તણૂક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ પર બીજી એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં યુનિફોર્મને લઈ જાણકારી આપવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.