Gujarat Policeએ આપી TRB જવાનની ફરજ અને કામગીરી અંગે માહિતી, શું મેમો ફાડવાનો અધિકાર TRB જવાનને છે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-23 16:08:03

છેલ્લા થોડા દિવસોથી ટીઆરબી જવાન અંગે ચર્ચા થઈ રહી છે. ટીઆરબી જવાનની હકારપટ્ટી કરવાની જાહેરાત કરાયા બાદ ટીઆરબી જવાનો વિરોધ કરી રહ્યા છે. તોડકાંડ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો લોકો સાથે તોડ કરતા હોય તેવા કિસ્સા બહાર આવતા એસીબી એક્ટિવ થઈ છે. આવા કિસ્સાઓ સામે આવતા લોકો માટે જનહિતામાં એક પોસ્ટ કરવામાં આવી છે. ટીઆરબી જવાન, ટ્રાફિક પોલીસ અને પોલીસ વચ્ચે શું તફાવત છે તેની જાણકારી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. કોની પાસે કયા અધિકાર છે તેની જાણ થાય તે માટે માહિતી આપવામાં આવી છે. કયા જવાનના કેવો યુનિફોર્મ હોય, તેમની પાસે શું સત્તા હોય વગેરેની માહિતી આપવામાં આવી છે.


જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે કરી હતી વાત

થોડા સમય પહેલા દિલ્હીથી અમદાવાદ મેચ જોવા આવેલા એક વ્યક્તિને કડવો અનુભવ થયો હતો. યુવક પાસેથી ટ્રાફિક પોલીસે 20 હજાર રુપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી હતી. સમાચાર આવ્યા બાદ સસ્પેન્ડ કરી કાર્યવાહી પણ કરવામાં આવી. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમની સાથે આવા બનાવો બન્યા હશે. અનેક લોકોએ દંડ ન ભરવો પડે તે માટે સેટિંગ પણ કર્યું હશે. ખેર એ વાત નથી કરવી. જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે ઈન્ટરવ્યું કર્યો હતો ત્યારે તેમણે આ વિષય પર વાત કરી હતી. તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે લોકોને કાયદાની ખબર નથી હોતી તેને કારણે લોકોના ડરનો પોલીસ ફાયદો ઉઠાવતા હોય છે.  

શું છે ટીઆરબી જવાનની ફરજ અને કામગીરી? 

આ બધા વચ્ચે ગુજરાત પોલીસે લોકોને ટીઆરબી જવાનની કામગીરી શું છે તેમની ફરજ શું છે તે અંગેની પોસ્ટ શેર કરી છે. ટીઆરબી જવાનની કામગીરી અને ફરજની વાત કરીએ તો ટીઆરબી જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે. ટીઆરબી જવાનનું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે. 

મેમો ફાડવાનો ટીઆરબી જવાનને નથી અધિકાર 

ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી. ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી. જો કોઈ ટીઆરબી જવાનની ગેરવર્તણૂક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ પર બીજી એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં યુનિફોર્મને લઈ જાણકારી આપવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.