ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, સપ્તાહમાં ઓવરસ્પીડના નોંધાયા 20,737 કેસ, 2,723 નબીરા ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:27:36

ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદના ઈસ્કોન ઓવર બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે વાહન ચાલકોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોલીસે ચલાવેલી ટ્રાફિક ડ્રાઈવમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા છે.


2,723 નબીરા નશાની ઝડપાયા


પોલીસ વિભાગની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ઓવરસ્પીડના કેસમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પોલીસે ખાસ કરીને રાતના સમયે બેફામ ડ્રાઈવિગ કરતા નબીરાઓને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસની આ મહેનતના ઘણા સારા પરિણામ મળી રહ્યા છે.


DGPએ આપ્યો હતો મેગા ડ્રાઈવનો આદેશ 


અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ DGPએ મેગા ડ્રાઈવનો આદેશ આપ્યો હતો. પોલીસ ગુજરાત  ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ શરૂ કરી હતી. ઓવરસ્પીડ, સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં  મેગા ડ્રાઈવ ચાલશે. રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે.  ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ  મુજબ  એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ  યોજશે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.