ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, સપ્તાહમાં ઓવરસ્પીડના નોંધાયા 20,737 કેસ, 2,723 નબીરા ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:27:36

ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદના ઈસ્કોન ઓવર બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે વાહન ચાલકોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોલીસે ચલાવેલી ટ્રાફિક ડ્રાઈવમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા છે.


2,723 નબીરા નશાની ઝડપાયા


પોલીસ વિભાગની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ઓવરસ્પીડના કેસમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પોલીસે ખાસ કરીને રાતના સમયે બેફામ ડ્રાઈવિગ કરતા નબીરાઓને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસની આ મહેનતના ઘણા સારા પરિણામ મળી રહ્યા છે.


DGPએ આપ્યો હતો મેગા ડ્રાઈવનો આદેશ 


અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ DGPએ મેગા ડ્રાઈવનો આદેશ આપ્યો હતો. પોલીસ ગુજરાત  ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ શરૂ કરી હતી. ઓવરસ્પીડ, સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં  મેગા ડ્રાઈવ ચાલશે. રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે.  ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ  મુજબ  એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ  યોજશે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે