Gujarat Policeએ વિચાર કરવો પડશે કે પોલીસ વિભાગને બદનામ કોણ કરે છે? પોલીસ વિભાગના કર્મીઓ કે Mehul Boghra?


  • Published By :
  • Published Date : 2024-02-28 16:45:42

સુરત રાજનીતિનું કેન્દ્ર છે. સુરતની જનતા ખોટાને ખોટું કહેનારી પ્રજા છે, ખરાબ સામે અવાજ ઉપાડનાર પ્રજા છે! પોતાના મુદ્દાઓને લઈ સુરતના લોકો ખુલીને પોતાનો મત મૂકતા હોય છે. પ્રજાએ મેહુલ બોઘરા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું. મેહુલ બોઘરાની વાત જ્યારે આવે છે ત્યારે પોલીસ દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે મેહુલ બોઘરા પોલીસને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અનેક પોલીસકર્મીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં તેમનું કહેવું છે કે માત્ર ગુજરાતની પોલીસ જ કાળા કાચ રાખે છે? માત્ર ગુજરાતની પોલીસ જ તોડ કરે છે? માત્ર પોલીસ જ કાયદાનો ભંગ કરે છે? પોલીસ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. 

પોલીસ માને છે કે મેહુલ બોઘરાને કારણે પોલીસની છબી ખરાબ થાય છે!

પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના દિમાગમાં પોલીસની છબી ખરાબ થાય તે માટે પોલીસના વીડિયો મેહુલ બોઘરા બનાવે છે. લોકોને પોલીસ વિરૂદ્ધ ઉત્સાવાનું કામ કરે છે અને આવું જ્યારે થાય છે ત્યારે રાજ્યમાં એવી પરિસ્થિતિનું સન્માન ન રહે સામાન્ય માણસની નજરોમાં. એક હદ સુધી આ વાત કદાચ સાચી પણ હોઈ શકે છે, આવા વીડિયો અવારનવાર સામે આવવાથી પોલીસ વિભાગની આબરૂ ઓછી પણ થતી હશે, લોકોની નજરોમાં પોલીસની રિસ્પેક્ટ ઓછી પણ થતી હશે પરંતુ પોલીસને બદનામ કરવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે કે પૈસા લેનારા પોલીસકર્મીઓ? 



સામાન્ય માણસના દિમાગમાં પોલીસ પ્રત્યે આટલી નફરત કેમ હોય છે? 

પોલીસ બદનામ શેનાથી થાય મેહુલ બોઘરાના પકડવાથી કે વાલજી હળીયાના એવા વર્તનથી કે પછી તોડથી? સામાન્ય  લોકોના ગુસ્સાને અવાજ આપવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે પરંતુ તે ગુસ્સો લાવવાનું કામ કોણે કર્યું? પોલીસની વાત જ્યારે પણ કરવામાં આવે છે, સામાન્ય માણસના મગજમાં એક જ છબીનું નિર્માણ થાય છે કે પોલીસ તો દાદાગીરી કરે, પૈસા લઈને હળવી કલમો લગાવે જો પૈસા ના આપીએ તો જેલમાં એટલું બધું મારે કે માણસ અધમરો થઈ જાય... જો પોલીસ આપણને રોકે છે તો પૈસા માગશે તેવી વાતો આપણા દિમાગમાં ઓટોમેટિક આવી જતી હોય છે. 



પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ જવાબદાર કોણ?

સામાન્ય માણસમાં પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ પોલીસ પોતે જવાબદાર નથી? મેહુલ બોઘરા સાચા છે કે ખોટા તે અંગેની વાત નથી કરી રહ્યા પરંતુ મેહુલ બોઘરા વીડિયો ત્યારે જ બનાવે છે જ્યારે પોલીસ વાળા ખોટું કામ કરે છે. પોલીસ વાળા તોડ કરે છે ત્યારે જ મેહુલ બોઘરા વીડિયો બનાવે છે ને? સામાન્ય માણસના મનમાં જે પોલીસ માટે છબી બની છે તેની પાછળ જવાબદાર પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન જ છે ને.. 


એવા અધિકારીઓ પાસેથી જવાબની અપેક્ષા છે જે પ્રામાણિક રીતે પોતાનું કર્તવ્ય નિભાવે છે..!

પોલીસની છબી સામાન્ય માણસોની નજરમાં કેમ આવી ખરાબ થઈ રહી છે પ્રતિદિન તેનો જવાબ એવા પોલીસકર્મીઓએ તો આપવો જોઈએ જે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે. પગાર ભલે ઓછા મળે પરંતુ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એ વાતનો જવાબ તો એમને આપવો જોઈએ કે તેમણે પોતાનો અવાજ પોતાની બાજુમાં રેહતા ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કેમ ના ઉઠાવ્યો? જો પોલીસ પોતાના વિભાગનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો બહાર તે અંગેની ચર્ચા કરશે. અનેક એવા પોલીસકર્મચારીઓ છે જે પ્રમાણીક પણે પોતાનું કામ કરી રહ્યા છે. 


પોલીસને પણ એ પોલીસથી ડર હોય છે જે નિષ્ઠાથી કામ કરે છે... 

એક તરફ પોલીસની નકારાત્મક વાતો તો અનેક છે, પોલીસ વિભાગ પ્રતિદિન બદનામ થઈ રહ્યો છે પરંતુ તે જ પોલીસ વિભાગમાં અનેક એવા કર્મચારીઓ એવા છે જે પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. અનેક વખત ઝાડ પર લટકાવી ભાગી ગયેલા પોલીસકર્મીના વર્દી અંગે વાત કરવામાં આવે છે પરંતુ એ વાત પણ ના ભૂલવી જોઈએ, એ વાતને પણ નજરઅંદાજ ના કરવી જોઈએ કે તે પોલીસ કર્મીને પોલીસનો જ ડર હતો..  તોડ કરતા પોલીસ કર્મચારીઓને પકડવાનું કામ એસીબી કરી રહી છે, એસીબીની કામગીરીની પણ અવગણના ના થવી જોઈએ. એસીબી પ્રમાણિક પણે કામગીરી કરે છે ત્યારે જ તો આવા તોડ કરતા પોલીસ અંગેની જાણકારી મળે છે. 


પોલીસે એવા દાખલા બેસાડવા પડશે જેનાથી લોકોના મનમાં વિશ્વાસ બેસે.. 

પોલીસ વિભાગે હવે વિચારવું પડશે કે સામાન્ય માણસના દિમાગમાં બનેલી આ છબી કેવી રીતે બદલી શકાય છે? પોલીસને એવા ઉદાહરણો બેસાડવા પડશે જેને જોઈ લોકોને વિશ્વાસ બેસે કે જો અમે કોઈની ફરિયાદ કરીશું, પોલીસની જ પોલીસ વિરૂદ્ધ ફરિાયાદ કરીશું તો ઈમાનદારી પૂર્વક થશે. જનતાને જ્યાં સુધી નહીં લાગે કે પોલીસ તેમની સુરક્ષા માટે છે ત્યાં સુધી પોલીસ માટે મનમાં રહેલી છબી સુધરવાની નથી.. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.