Gujarat Policeએ વિચાર કરવો પડશે કે પોલીસ વિભાગને બદનામ કોણ કરે છે? પોલીસ વિભાગના કર્મીઓ કે Mehul Boghra?


  • Published By :
  • Published Date : 2024-02-28 16:45:42

સુરત રાજનીતિનું કેન્દ્ર છે. સુરતની જનતા ખોટાને ખોટું કહેનારી પ્રજા છે, ખરાબ સામે અવાજ ઉપાડનાર પ્રજા છે! પોતાના મુદ્દાઓને લઈ સુરતના લોકો ખુલીને પોતાનો મત મૂકતા હોય છે. પ્રજાએ મેહુલ બોઘરા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું. મેહુલ બોઘરાની વાત જ્યારે આવે છે ત્યારે પોલીસ દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે મેહુલ બોઘરા પોલીસને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અનેક પોલીસકર્મીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં તેમનું કહેવું છે કે માત્ર ગુજરાતની પોલીસ જ કાળા કાચ રાખે છે? માત્ર ગુજરાતની પોલીસ જ તોડ કરે છે? માત્ર પોલીસ જ કાયદાનો ભંગ કરે છે? પોલીસ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. 

પોલીસ માને છે કે મેહુલ બોઘરાને કારણે પોલીસની છબી ખરાબ થાય છે!

પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના દિમાગમાં પોલીસની છબી ખરાબ થાય તે માટે પોલીસના વીડિયો મેહુલ બોઘરા બનાવે છે. લોકોને પોલીસ વિરૂદ્ધ ઉત્સાવાનું કામ કરે છે અને આવું જ્યારે થાય છે ત્યારે રાજ્યમાં એવી પરિસ્થિતિનું સન્માન ન રહે સામાન્ય માણસની નજરોમાં. એક હદ સુધી આ વાત કદાચ સાચી પણ હોઈ શકે છે, આવા વીડિયો અવારનવાર સામે આવવાથી પોલીસ વિભાગની આબરૂ ઓછી પણ થતી હશે, લોકોની નજરોમાં પોલીસની રિસ્પેક્ટ ઓછી પણ થતી હશે પરંતુ પોલીસને બદનામ કરવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે કે પૈસા લેનારા પોલીસકર્મીઓ? 



સામાન્ય માણસના દિમાગમાં પોલીસ પ્રત્યે આટલી નફરત કેમ હોય છે? 

પોલીસ બદનામ શેનાથી થાય મેહુલ બોઘરાના પકડવાથી કે વાલજી હળીયાના એવા વર્તનથી કે પછી તોડથી? સામાન્ય  લોકોના ગુસ્સાને અવાજ આપવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે પરંતુ તે ગુસ્સો લાવવાનું કામ કોણે કર્યું? પોલીસની વાત જ્યારે પણ કરવામાં આવે છે, સામાન્ય માણસના મગજમાં એક જ છબીનું નિર્માણ થાય છે કે પોલીસ તો દાદાગીરી કરે, પૈસા લઈને હળવી કલમો લગાવે જો પૈસા ના આપીએ તો જેલમાં એટલું બધું મારે કે માણસ અધમરો થઈ જાય... જો પોલીસ આપણને રોકે છે તો પૈસા માગશે તેવી વાતો આપણા દિમાગમાં ઓટોમેટિક આવી જતી હોય છે. 



પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ જવાબદાર કોણ?

સામાન્ય માણસમાં પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ પોલીસ પોતે જવાબદાર નથી? મેહુલ બોઘરા સાચા છે કે ખોટા તે અંગેની વાત નથી કરી રહ્યા પરંતુ મેહુલ બોઘરા વીડિયો ત્યારે જ બનાવે છે જ્યારે પોલીસ વાળા ખોટું કામ કરે છે. પોલીસ વાળા તોડ કરે છે ત્યારે જ મેહુલ બોઘરા વીડિયો બનાવે છે ને? સામાન્ય માણસના મનમાં જે પોલીસ માટે છબી બની છે તેની પાછળ જવાબદાર પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન જ છે ને.. 


એવા અધિકારીઓ પાસેથી જવાબની અપેક્ષા છે જે પ્રામાણિક રીતે પોતાનું કર્તવ્ય નિભાવે છે..!

પોલીસની છબી સામાન્ય માણસોની નજરમાં કેમ આવી ખરાબ થઈ રહી છે પ્રતિદિન તેનો જવાબ એવા પોલીસકર્મીઓએ તો આપવો જોઈએ જે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે. પગાર ભલે ઓછા મળે પરંતુ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એ વાતનો જવાબ તો એમને આપવો જોઈએ કે તેમણે પોતાનો અવાજ પોતાની બાજુમાં રેહતા ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કેમ ના ઉઠાવ્યો? જો પોલીસ પોતાના વિભાગનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો બહાર તે અંગેની ચર્ચા કરશે. અનેક એવા પોલીસકર્મચારીઓ છે જે પ્રમાણીક પણે પોતાનું કામ કરી રહ્યા છે. 


પોલીસને પણ એ પોલીસથી ડર હોય છે જે નિષ્ઠાથી કામ કરે છે... 

એક તરફ પોલીસની નકારાત્મક વાતો તો અનેક છે, પોલીસ વિભાગ પ્રતિદિન બદનામ થઈ રહ્યો છે પરંતુ તે જ પોલીસ વિભાગમાં અનેક એવા કર્મચારીઓ એવા છે જે પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. અનેક વખત ઝાડ પર લટકાવી ભાગી ગયેલા પોલીસકર્મીના વર્દી અંગે વાત કરવામાં આવે છે પરંતુ એ વાત પણ ના ભૂલવી જોઈએ, એ વાતને પણ નજરઅંદાજ ના કરવી જોઈએ કે તે પોલીસ કર્મીને પોલીસનો જ ડર હતો..  તોડ કરતા પોલીસ કર્મચારીઓને પકડવાનું કામ એસીબી કરી રહી છે, એસીબીની કામગીરીની પણ અવગણના ના થવી જોઈએ. એસીબી પ્રમાણિક પણે કામગીરી કરે છે ત્યારે જ તો આવા તોડ કરતા પોલીસ અંગેની જાણકારી મળે છે. 


પોલીસે એવા દાખલા બેસાડવા પડશે જેનાથી લોકોના મનમાં વિશ્વાસ બેસે.. 

પોલીસ વિભાગે હવે વિચારવું પડશે કે સામાન્ય માણસના દિમાગમાં બનેલી આ છબી કેવી રીતે બદલી શકાય છે? પોલીસને એવા ઉદાહરણો બેસાડવા પડશે જેને જોઈ લોકોને વિશ્વાસ બેસે કે જો અમે કોઈની ફરિયાદ કરીશું, પોલીસની જ પોલીસ વિરૂદ્ધ ફરિાયાદ કરીશું તો ઈમાનદારી પૂર્વક થશે. જનતાને જ્યાં સુધી નહીં લાગે કે પોલીસ તેમની સુરક્ષા માટે છે ત્યાં સુધી પોલીસ માટે મનમાં રહેલી છબી સુધરવાની નથી.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.