શ્શશશશ! અહીં અવાજ ઉઠાવવાની મનાહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:40


અરવલ્લીના ઈસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયદીપસિંહ વાઘેલાને પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ મોડી રાત્રે સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો હતો. 


હક માટે આવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી

જાન્યુઆરી મહિનાની વાત છે. પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પેના મુદ્દા મામલે ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધરણા પર બેસી હતી. પોલીસે તમામ મહિલાની અટકાયત કરી હતી. આટલો સમય વિત્યા બાદ મહિલાને ઉશ્કેરવા બાબતે ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દીધા હતા.


જમાવટ મીડિયાએ ASI જયદીપસિંહ વાઘેલા સાથે કરી વાત...

જમાવટ મીડિયાએ સમગ્ર મામલે ASI જયદીપસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પોલીસ પરિવાર સાથે શરૂઆતથી જ ખોટું થયું છે. જો કે મહિલાઓને ઉશ્કેરવામાં મારો કોઈ હાથ નથી. હું તેમનું રક્ષણ કરવા ગયો હતો. છતાં પોલીસ વિભાગનો નિર્ણય મને મંજૂર છે. જો કે, જૂની વાત પૂરી થઈ ગઈ છે અને હાલ બાહેંધરી અપાવવાનો મુદ્દો ચાલી રહ્યો છે. પોલીસના કોઈ કર્મચારી બાહેંધરી પત્રક પર સહી કરવા નથી ઈચ્છતા પરંતુ તેઓ ડરના કારણે કરવું પડી રહ્યું છે. મને સસ્પેન્ડ માત્ર દાખલો બેસાડવા માટે કર્યો છે. કે જો કોઈ વિરોધ ઉઠે તો અરવલ્લીના ઈસરીનું ઉદાહરણ દેખાડવા થાય કે જો વિરોધ કરશો તો સસ્પેન્ડ કરી દેવામાં આવે. મારું સસ્પેન્શન પોલીસ કર્મચારીના અવાજ દબાવવા માટે કરાયું છે.



ASI જયદીપસિંહના શબ્દે સમગ્ર ઘટના 

જાન્યુઆરી મહિનામાં પોલીસ પરિવારની મહિલાઓ હાથમાં બંધારણનું પુસ્તક લઈ ગ્રેડ-પે આપવા મામલે ગાંધીનગર સેક્ટર-27 ડિએસપી ઓફિસ સામે ધરણા પર ઉતરી હતી. ત્યારે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને 8 વાગ્યા સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે હું ડ્યૂટી પર હતો, ડ્યૂડી પૂરી કરી હું મહિલાઓને મળવા ગયો હતો કારણ કે તેમાં મારા ધર્મ પત્ની પણ હતા. તે સમયે મારા પર મારા ઉપરી અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હતી. જાન્યુઆરી 2022ની 10 તારીખે અમે સંદેશ ન્યૂઝ ચેનલમાં ડીબેટ માટે ગયા હતા. રાત્રીનો સમય હતો એટલા માટે અને કોઈ મહિલાઓને ઉશ્કેરે નહીં એટલે હું મહિલાઓ સાથે ગયો હતો. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને મારા પર ગેરશિસ્તની  કાર્યવાહી કરવામાં અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હું કોઈને ભડકાવવા નહોતો ગયો હું માત્ર મહિલાઓ હતી એટલા માટે તેમની સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય એટલા માટે ગયો હતો. મારા પર કાર્યવાહી થઈ તે અયોગ્ય છે પરંતુ હું તેનું સન્માન કરું છું



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.