ગુજરાત પોલીસ કયા પ્રશ્નોથી પીડાઈ રહી છે? પોલીસ કર્મી પાસેથી જ અમે વ્યથા જાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:40:07

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પોલીસની નોકરી પ્રત્યે  સમાજના તમામ વર્ગમાં પહેલેથી જ એક પ્રકારનું ગ્લેમર રહ્યું છે. તેમાં પણ હિન્દી ફિલ્મોએ પોલીસ ઓફિસર્સની 'સિંઘમ' ઈમેજ ઉભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જો કે હકીકત કાંઈ અલગ જ છે. ગઈ કાલે કુલદીપસિંહ નામના એક પોલીસ કોન્સ્ટેબલે સહપરિવાર આત્મહત્યા કરતા પોલીસકર્મીઓની વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓ આત્મહત્યા શા માટે કરે છે?.


10થી 12 કલાકની નોકરી


પોલીસ વિભાગની સૌથી મોટી ફરિયાદ કામના કલાકોને લઈને છે. પોલીસકર્મીઓ માટે 8 કલાકની નોકરી માત્ર ચોપડા પર છે. સામાન્ય રીતે નીચલા વર્ગના કર્મચારીઓ 10થી 12 કલાકની નોકરી કરતા રહે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસકર્મીઓને વધુ સમય નોકરી કરવા માટે રીતસરની ફરજ પાડે છે. પોલીસકર્મીઓ પણ નોકરી બચાવવા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીના ખોફથી બચવા માટે મજબુરીથી વધુ સમય સુધી કામ કરે છે.


રજાની માથાકુટ


પોલીસ વિભાગમાં સૌથી મોટી સમસ્યા રજા અંગેની પણ છે. કેટલાક પોલીસકર્મીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓને તહેવારો, ઘરના પ્રસંગો કે અન્ય સામાજીક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે પણ રજા નથી મળતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ રજા મંજુર કરતા નથી તેથી એક સામાન્ય પોલીસકર્મી તેના પારિવારિક પ્રસંગમાં પણ હાજર રહી શક્તો નથી. આ મુશ્કેલીના કારણે તેના  ઘરમાં કંકાસ થાય તે સ્વાભાવિક છે. આ બધી સમસ્યાથી પોલીસકર્મી હતાશ બની જાય છે.


આર્થિક સંકડામણ 


રાજ્યનો કોઈ પણ યુવાન સમાજ અને રાજ્યની સેવાની ઉમદા ભાવના સાથે પોલીસ સાથે જોડાય છે. જો  કે તે જ્યારે પોલીસ ફોર્સમાં જોડાય છે ત્યારે જ તેને વાસ્તવિક્તાની અનુભૂતી થાય છે. પાંચ વર્ષના કરાર આધારીત પોલીસકર્મીને પગારમાં માત્ર 19 હજાર જેટલી રકમ મળે છે. આટલા ટુંકા પગારમાં તેને અમદાવાદ જેવા મોટા શહેરમાં પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે જે ખરેખર મુશ્કેલ છે. જો કે અન્ય રાજ્યોમાં પોલીસનો સ્ટાર્ટિંગ પગાર જ 32 હજાર જેટલો હોય છે. આ સ્થિતિ કોઈ પણ પોલીસકર્મીને હતાશ કરનારી છે. આર્થિક પરિસ્થિતી કથળેલી હોવાથી પોલીસકર્મીઓના પરિવારમાં અસંતોષ અને પારિવારિક ઝગડા જેવી સમસ્યાઓ મોટાપ્રમાણમાં જોવા મળે છે.


મહિલા પોલીસકર્મીઓનું શોષણ


રાજ્યમાં પુરુષ પોલીસકર્મીની તુલનામાં મહિલાકર્મીની હાલત સૌથી વધુ કફોડી છે. ક્યારેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાકર્મીઓનું શારિરીક શોષણએ બાબત અંગે ખુદ પુરૂષ પોલીસકર્મીઓ પણ સ્વિકારે છે. શિસ્તના નામે આ બધી બાબત ઢંકાઈ જતી હોય છે પણ પોલીસતંત્રમાં મહિલા પોલીસકર્મીનું શોષણ એ એક નગ્ન સત્ય છે. કેટલીક મહિલા પોલીસકર્મીઓ પણ નોકરીની કે અન્ય પ્રકારની મજબુરીના કારણે શરણાગતિ સ્વિકારી લેતી હોય છે. મહિલા પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી થતી હોવાથી વાત પણ પોલીસકર્મીઓ સ્વિકારે છે.


પોલીસ પર રાજકીય દબાણ


સરકારના કોઈ પણ વિભાગની જેમ પોલીસ તંત્ર પણ રાજકીય નેતાઓની દરમિયાનગીરીની સમસ્યાનો ભોગ સોથી વધુ બને છે. એક પોલીસ સુત્રએ તો ત્યાં સુધી સ્વિકાર્યું કે ટ્રાફિક પોલીસ કોઈ વ્યક્તિને ટ્રાફિક નિયમોના ભંગના ગુનામાં પકડે તો તે વ્યક્તિ કોઈ મોટા નેતાને ફોન કરી આબાદ છુટી જાય છે. હવે આવી સામાન્ય બાબતે પણ જો પાર્ટીના નેતા, ધારાસભ્ય કે પ્રધાન દરમિયાનગીરી કરતા હોય તો મોટી ઘટનાઓમાં  પોલીસ પર કેટલું બધું રાજકીય પ્રેશર રહેતું હશે તે સમજી શકાય તેવી બાબત છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .