ગુજરાત પોલીસ કયા પ્રશ્નોથી પીડાઈ રહી છે? પોલીસ કર્મી પાસેથી જ અમે વ્યથા જાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:40:07

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પોલીસની નોકરી પ્રત્યે  સમાજના તમામ વર્ગમાં પહેલેથી જ એક પ્રકારનું ગ્લેમર રહ્યું છે. તેમાં પણ હિન્દી ફિલ્મોએ પોલીસ ઓફિસર્સની 'સિંઘમ' ઈમેજ ઉભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જો કે હકીકત કાંઈ અલગ જ છે. ગઈ કાલે કુલદીપસિંહ નામના એક પોલીસ કોન્સ્ટેબલે સહપરિવાર આત્મહત્યા કરતા પોલીસકર્મીઓની વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓ આત્મહત્યા શા માટે કરે છે?.


10થી 12 કલાકની નોકરી


પોલીસ વિભાગની સૌથી મોટી ફરિયાદ કામના કલાકોને લઈને છે. પોલીસકર્મીઓ માટે 8 કલાકની નોકરી માત્ર ચોપડા પર છે. સામાન્ય રીતે નીચલા વર્ગના કર્મચારીઓ 10થી 12 કલાકની નોકરી કરતા રહે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસકર્મીઓને વધુ સમય નોકરી કરવા માટે રીતસરની ફરજ પાડે છે. પોલીસકર્મીઓ પણ નોકરી બચાવવા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીના ખોફથી બચવા માટે મજબુરીથી વધુ સમય સુધી કામ કરે છે.


રજાની માથાકુટ


પોલીસ વિભાગમાં સૌથી મોટી સમસ્યા રજા અંગેની પણ છે. કેટલાક પોલીસકર્મીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓને તહેવારો, ઘરના પ્રસંગો કે અન્ય સામાજીક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે પણ રજા નથી મળતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ રજા મંજુર કરતા નથી તેથી એક સામાન્ય પોલીસકર્મી તેના પારિવારિક પ્રસંગમાં પણ હાજર રહી શક્તો નથી. આ મુશ્કેલીના કારણે તેના  ઘરમાં કંકાસ થાય તે સ્વાભાવિક છે. આ બધી સમસ્યાથી પોલીસકર્મી હતાશ બની જાય છે.


આર્થિક સંકડામણ 


રાજ્યનો કોઈ પણ યુવાન સમાજ અને રાજ્યની સેવાની ઉમદા ભાવના સાથે પોલીસ સાથે જોડાય છે. જો  કે તે જ્યારે પોલીસ ફોર્સમાં જોડાય છે ત્યારે જ તેને વાસ્તવિક્તાની અનુભૂતી થાય છે. પાંચ વર્ષના કરાર આધારીત પોલીસકર્મીને પગારમાં માત્ર 19 હજાર જેટલી રકમ મળે છે. આટલા ટુંકા પગારમાં તેને અમદાવાદ જેવા મોટા શહેરમાં પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે જે ખરેખર મુશ્કેલ છે. જો કે અન્ય રાજ્યોમાં પોલીસનો સ્ટાર્ટિંગ પગાર જ 32 હજાર જેટલો હોય છે. આ સ્થિતિ કોઈ પણ પોલીસકર્મીને હતાશ કરનારી છે. આર્થિક પરિસ્થિતી કથળેલી હોવાથી પોલીસકર્મીઓના પરિવારમાં અસંતોષ અને પારિવારિક ઝગડા જેવી સમસ્યાઓ મોટાપ્રમાણમાં જોવા મળે છે.


મહિલા પોલીસકર્મીઓનું શોષણ


રાજ્યમાં પુરુષ પોલીસકર્મીની તુલનામાં મહિલાકર્મીની હાલત સૌથી વધુ કફોડી છે. ક્યારેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાકર્મીઓનું શારિરીક શોષણએ બાબત અંગે ખુદ પુરૂષ પોલીસકર્મીઓ પણ સ્વિકારે છે. શિસ્તના નામે આ બધી બાબત ઢંકાઈ જતી હોય છે પણ પોલીસતંત્રમાં મહિલા પોલીસકર્મીનું શોષણ એ એક નગ્ન સત્ય છે. કેટલીક મહિલા પોલીસકર્મીઓ પણ નોકરીની કે અન્ય પ્રકારની મજબુરીના કારણે શરણાગતિ સ્વિકારી લેતી હોય છે. મહિલા પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી થતી હોવાથી વાત પણ પોલીસકર્મીઓ સ્વિકારે છે.


પોલીસ પર રાજકીય દબાણ


સરકારના કોઈ પણ વિભાગની જેમ પોલીસ તંત્ર પણ રાજકીય નેતાઓની દરમિયાનગીરીની સમસ્યાનો ભોગ સોથી વધુ બને છે. એક પોલીસ સુત્રએ તો ત્યાં સુધી સ્વિકાર્યું કે ટ્રાફિક પોલીસ કોઈ વ્યક્તિને ટ્રાફિક નિયમોના ભંગના ગુનામાં પકડે તો તે વ્યક્તિ કોઈ મોટા નેતાને ફોન કરી આબાદ છુટી જાય છે. હવે આવી સામાન્ય બાબતે પણ જો પાર્ટીના નેતા, ધારાસભ્ય કે પ્રધાન દરમિયાનગીરી કરતા હોય તો મોટી ઘટનાઓમાં  પોલીસ પર કેટલું બધું રાજકીય પ્રેશર રહેતું હશે તે સમજી શકાય તેવી બાબત છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.