Gujarat Politics :કવિતા ટ્રેન્ડનું ફરી સામે આવ્યું ઉદાહરણ! Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતામાં સરદાર સ્ટેડિયમનો કર્યો ઉલ્લેખ, જાણો


  • Published By :
  • Published Date : 2024-04-08 11:30:45

એક તરફ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોરશોરથી આગળ વધી રહ્યો છે.... છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી દ્વારા કવિતા શેર કરવામાં આવી રહી છે. કવિતાના માધ્યમયથી તે નામ લીધા વગર કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. વર્તમાન મુદ્દાઓને લઈ તેમણે અનેક વખત કવિતા શેર કરી છે, ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે સરદાર સ્ટેડિયમ અંગે વાત કરી છે...

 

ગુજરાતમાં ચાલી રહ્યો છે કવિતા ટ્રેન્ડ! 

રાજનેતાઓમાં જાગેલો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે, કોઈ વખત જાગીને થોડા સમયની અંદર સૂઈ પણ જતો હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજનેતામાં રહેલો કવિ ઉભરીને બહાર આવી રહ્યો છે...! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કવિતા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કવિતાના માધ્યમથી નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે, નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે વગેરે વગેરે.., આવી કવિતાઓ સામે આવવી જાણે આજકાલ નોર્મલ બની ગયું છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી કવિતા મૂકી કટાક્ષ કરી રહ્યા છે... ત્યારે આજે ફરી એક કવિતા શેર કરી છે. 

પરેશ ધાનાણીએ ફરી શેર કરી કવિતા અને લખ્યું.... 

આની પહેલા પણ પરેશ ધાનાણીએ અનેક કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર લખ્યું છે હે શક્તિ, તમે શાંત રહેજો.... તેની પહેલા પણ કવિતા શેર કરી હતી જેમાં અહંકાર હંમેશા હારે છે તેવું લખ્યું હતું... તેની પહેલા કમલમમાં ચાલતા કકળાટ અંગેની કવિતા પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે કવિતા ટ્રેન્ડમાં કદાચ આવનાર સમયમાં ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાય તો નવાઈ નથી.. કારણ કે અનેક મુદ્દાઓ પર ભાજપ તેમજ આપના નેતાઓ દ્વારા કવિતા શેર કરવામાં આવી છે... ત્યારે પરેશ ધાનાણીએ નવી શેર કરેલી કવિતા પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે