Gujarat Politics :કવિતા ટ્રેન્ડનું ફરી સામે આવ્યું ઉદાહરણ! Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતામાં સરદાર સ્ટેડિયમનો કર્યો ઉલ્લેખ, જાણો


  • Published By :
  • Published Date : 2024-04-08 11:30:45

એક તરફ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોરશોરથી આગળ વધી રહ્યો છે.... છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી દ્વારા કવિતા શેર કરવામાં આવી રહી છે. કવિતાના માધ્યમયથી તે નામ લીધા વગર કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. વર્તમાન મુદ્દાઓને લઈ તેમણે અનેક વખત કવિતા શેર કરી છે, ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે સરદાર સ્ટેડિયમ અંગે વાત કરી છે...

 

ગુજરાતમાં ચાલી રહ્યો છે કવિતા ટ્રેન્ડ! 

રાજનેતાઓમાં જાગેલો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે, કોઈ વખત જાગીને થોડા સમયની અંદર સૂઈ પણ જતો હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજનેતામાં રહેલો કવિ ઉભરીને બહાર આવી રહ્યો છે...! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કવિતા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કવિતાના માધ્યમથી નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે, નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે વગેરે વગેરે.., આવી કવિતાઓ સામે આવવી જાણે આજકાલ નોર્મલ બની ગયું છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી કવિતા મૂકી કટાક્ષ કરી રહ્યા છે... ત્યારે આજે ફરી એક કવિતા શેર કરી છે. 

પરેશ ધાનાણીએ ફરી શેર કરી કવિતા અને લખ્યું.... 

આની પહેલા પણ પરેશ ધાનાણીએ અનેક કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર લખ્યું છે હે શક્તિ, તમે શાંત રહેજો.... તેની પહેલા પણ કવિતા શેર કરી હતી જેમાં અહંકાર હંમેશા હારે છે તેવું લખ્યું હતું... તેની પહેલા કમલમમાં ચાલતા કકળાટ અંગેની કવિતા પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે કવિતા ટ્રેન્ડમાં કદાચ આવનાર સમયમાં ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાય તો નવાઈ નથી.. કારણ કે અનેક મુદ્દાઓ પર ભાજપ તેમજ આપના નેતાઓ દ્વારા કવિતા શેર કરવામાં આવી છે... ત્યારે પરેશ ધાનાણીએ નવી શેર કરેલી કવિતા પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.