Gujarat Politics :કવિતા ટ્રેન્ડનું ફરી સામે આવ્યું ઉદાહરણ! Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતામાં સરદાર સ્ટેડિયમનો કર્યો ઉલ્લેખ, જાણો


  • Published By :
  • Published Date : 2024-04-08 11:30:45

એક તરફ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોરશોરથી આગળ વધી રહ્યો છે.... છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી દ્વારા કવિતા શેર કરવામાં આવી રહી છે. કવિતાના માધ્યમયથી તે નામ લીધા વગર કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. વર્તમાન મુદ્દાઓને લઈ તેમણે અનેક વખત કવિતા શેર કરી છે, ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે સરદાર સ્ટેડિયમ અંગે વાત કરી છે...

 

ગુજરાતમાં ચાલી રહ્યો છે કવિતા ટ્રેન્ડ! 

રાજનેતાઓમાં જાગેલો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે, કોઈ વખત જાગીને થોડા સમયની અંદર સૂઈ પણ જતો હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજનેતામાં રહેલો કવિ ઉભરીને બહાર આવી રહ્યો છે...! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કવિતા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કવિતાના માધ્યમથી નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે, નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે વગેરે વગેરે.., આવી કવિતાઓ સામે આવવી જાણે આજકાલ નોર્મલ બની ગયું છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી કવિતા મૂકી કટાક્ષ કરી રહ્યા છે... ત્યારે આજે ફરી એક કવિતા શેર કરી છે. 

પરેશ ધાનાણીએ ફરી શેર કરી કવિતા અને લખ્યું.... 

આની પહેલા પણ પરેશ ધાનાણીએ અનેક કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર લખ્યું છે હે શક્તિ, તમે શાંત રહેજો.... તેની પહેલા પણ કવિતા શેર કરી હતી જેમાં અહંકાર હંમેશા હારે છે તેવું લખ્યું હતું... તેની પહેલા કમલમમાં ચાલતા કકળાટ અંગેની કવિતા પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે કવિતા ટ્રેન્ડમાં કદાચ આવનાર સમયમાં ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાય તો નવાઈ નથી.. કારણ કે અનેક મુદ્દાઓ પર ભાજપ તેમજ આપના નેતાઓ દ્વારા કવિતા શેર કરવામાં આવી છે... ત્યારે પરેશ ધાનાણીએ નવી શેર કરેલી કવિતા પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.