Gujarat Politics : BJPએ 26 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા પરંતુ Congressને આ બેઠકો માટે નથી મળ્યા મૂરતિયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 15:14:06

એક તરફ લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભાજપમાં કકળાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો બદલાવાને કારણે સમર્થકો નારાજ દેખાઈ રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો અંગે મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે કારણ કે ઘણો સમય વિત્યો પરંતુ ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતની બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાનો સમાવેશ થાય છે.


કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી જ્યારે ભાજપે નથી આપી ટિકીટ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ફેલાયેલો રોષ બહાર સામે આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ અનેક બેઠકો પર થઈ રહ્યો છે. એક વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે! જ્યારે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે એવું માનવામાં આવ્યું હતું, એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને ટિકીટ નહીં આપે જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોને ટિકીટ આપશે.. એવું જ જોવા પણ મળ્યું.. કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર, અનંત પટેલને ટિકીટ આપી છે.


આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો નથી કર્યા જાહેર 

26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ 7 બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. પૂર્વ સાંસદો, ધારાસભ્યો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે જેને કારણે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. મહત્વનું છે કે આમાંથી એક બેઠક એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે. 


પેટા ચૂંટણીને લઈ પણ ઉમેદવાર નથી કરાયા જાહેર 

એક તરફ કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર નથી મળી રહ્યા તો બીજી તરફ ભાજપે તો પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી. પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેના માટે પણ કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? ભાજપના કયા ઉમેદવાર સામે કોંગ્રેસ કોને ઉભા રાખે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે....       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.