Gujarat Politics : BJPએ 26 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા પરંતુ Congressને આ બેઠકો માટે નથી મળ્યા મૂરતિયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 15:14:06

એક તરફ લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભાજપમાં કકળાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો બદલાવાને કારણે સમર્થકો નારાજ દેખાઈ રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો અંગે મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે કારણ કે ઘણો સમય વિત્યો પરંતુ ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતની બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાનો સમાવેશ થાય છે.


કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી જ્યારે ભાજપે નથી આપી ટિકીટ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ફેલાયેલો રોષ બહાર સામે આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ અનેક બેઠકો પર થઈ રહ્યો છે. એક વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે! જ્યારે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે એવું માનવામાં આવ્યું હતું, એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને ટિકીટ નહીં આપે જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોને ટિકીટ આપશે.. એવું જ જોવા પણ મળ્યું.. કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર, અનંત પટેલને ટિકીટ આપી છે.


આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો નથી કર્યા જાહેર 

26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ 7 બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. પૂર્વ સાંસદો, ધારાસભ્યો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે જેને કારણે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. મહત્વનું છે કે આમાંથી એક બેઠક એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે. 


પેટા ચૂંટણીને લઈ પણ ઉમેદવાર નથી કરાયા જાહેર 

એક તરફ કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર નથી મળી રહ્યા તો બીજી તરફ ભાજપે તો પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી. પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેના માટે પણ કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? ભાજપના કયા ઉમેદવાર સામે કોંગ્રેસ કોને ઉભા રાખે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે....       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે