Gujarat Politics : BJPએ 26 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા પરંતુ Congressને આ બેઠકો માટે નથી મળ્યા મૂરતિયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 15:14:06

એક તરફ લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભાજપમાં કકળાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો બદલાવાને કારણે સમર્થકો નારાજ દેખાઈ રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો અંગે મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે કારણ કે ઘણો સમય વિત્યો પરંતુ ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતની બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાનો સમાવેશ થાય છે.


કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી જ્યારે ભાજપે નથી આપી ટિકીટ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ફેલાયેલો રોષ બહાર સામે આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ અનેક બેઠકો પર થઈ રહ્યો છે. એક વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે! જ્યારે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે એવું માનવામાં આવ્યું હતું, એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને ટિકીટ નહીં આપે જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોને ટિકીટ આપશે.. એવું જ જોવા પણ મળ્યું.. કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર, અનંત પટેલને ટિકીટ આપી છે.


આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો નથી કર્યા જાહેર 

26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ 7 બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. પૂર્વ સાંસદો, ધારાસભ્યો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે જેને કારણે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. મહત્વનું છે કે આમાંથી એક બેઠક એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે. 


પેટા ચૂંટણીને લઈ પણ ઉમેદવાર નથી કરાયા જાહેર 

એક તરફ કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર નથી મળી રહ્યા તો બીજી તરફ ભાજપે તો પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી. પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેના માટે પણ કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? ભાજપના કયા ઉમેદવાર સામે કોંગ્રેસ કોને ઉભા રાખે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે....       




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે