Gujarat Politics : જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ પેટા ચૂંટણી માટે BJP બનાવશે ઉમેદવાર! શું મતદાતાઓ ફરીથી કરી શકશે વિશ્વાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 15:08:18

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ મતદાતાઓ વિચારી રહ્યા હશે કે કોને મત આપવો તો બીજી તરફ 6 વિધાનસભા મતવિસ્તારના લોકોને એ પણ વિચારવું પડશે કે તે કોને ધારાસભ્ય તરીકે ચૂંટે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમને જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવશે. 


અનેક ધારાસભ્યોએ આપ્યું છે પોતાના પદ ઉપરથી રાજીનામું!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વીજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે તે બાદ તેમને માણાવદરથી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.


જેમણે પક્ષપલટો કર્યો છે તેમના પર મતાદાતાઓ ફરીથી મૂકી શકશે વિશ્વાસ!

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પક્ષ પલટો ધારાસભ્યો કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે મતદાતાઓના પ્રેશરને કારણે,  પોતાના મત વિસ્તારના વિકાસના કામો થાય તે માટે જઈ રહ્યા છે પરંતુ પક્ષપલટો કરવા પાછળ કોનો વધારે સ્વાર્થ હોય છે તે આપણે જાણીએ છીએ. પક્ષપલટો કરતા પહેલા નેતાઓ પોતાના મતદાતાઓનો પણ વિચાર નથી કરતા. પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો પક્ષપલટો કરી લે છે અને મતદાતા બિચારા લાચાર થઈ તમાશો જોતા હોય છે!  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.