Gujarat Politics : જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ પેટા ચૂંટણી માટે BJP બનાવશે ઉમેદવાર! શું મતદાતાઓ ફરીથી કરી શકશે વિશ્વાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 15:08:18

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ મતદાતાઓ વિચારી રહ્યા હશે કે કોને મત આપવો તો બીજી તરફ 6 વિધાનસભા મતવિસ્તારના લોકોને એ પણ વિચારવું પડશે કે તે કોને ધારાસભ્ય તરીકે ચૂંટે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમને જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવશે. 


અનેક ધારાસભ્યોએ આપ્યું છે પોતાના પદ ઉપરથી રાજીનામું!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વીજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે તે બાદ તેમને માણાવદરથી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.


જેમણે પક્ષપલટો કર્યો છે તેમના પર મતાદાતાઓ ફરીથી મૂકી શકશે વિશ્વાસ!

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પક્ષ પલટો ધારાસભ્યો કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે મતદાતાઓના પ્રેશરને કારણે,  પોતાના મત વિસ્તારના વિકાસના કામો થાય તે માટે જઈ રહ્યા છે પરંતુ પક્ષપલટો કરવા પાછળ કોનો વધારે સ્વાર્થ હોય છે તે આપણે જાણીએ છીએ. પક્ષપલટો કરતા પહેલા નેતાઓ પોતાના મતદાતાઓનો પણ વિચાર નથી કરતા. પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો પક્ષપલટો કરી લે છે અને મતદાતા બિચારા લાચાર થઈ તમાશો જોતા હોય છે!  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.