Gujarat Politics : આવનાર 6 મહિનાની અંદર વાવમાં યોજાશે પેટા ચૂંટણી, સાંસદ તરીકે ચૂંટાતા Geniben Thakor આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું..


  • Published By :
  • Published Date : 2024-06-12 10:45:02

2022માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. જ્યારે ધારાસભ્યનું પદ ખાલી થાય છે ત્યારે તે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાતી હોય છે. બનાસકાંઠાના વાવમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાના છે.. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેને કારણે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. આવનાર 6 મહિનાની અંદર અંદર વાવમાં પેટા ચૂંટણી યોજાશે.. 13 જૂને વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપવાના છે.



વાવના મતદાતાઓએ ફરી કરવું પડશે મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે વિધાનસભામાં.. 2024માં પેટા ચૂંટણી યોજાઈ તેનું કારણ હતું કે ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું જેને કારણે  ત્યાંના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરવું પડ્યું.. ત્યારે વાવમાં આવનાર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી આવતી કાલે એટલે કે13 તારીખે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપવાના છે. 


જીતેલા ઉમેદવારોએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ 

ભારતીય જનતા પાર્ટીને 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો મળી. તે બાદ થોડા સમયની અંદર પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાયું અને પેટાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. ગઈકાલે પાંચેય ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે વાવમાં કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાના છે. 



વાવના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર

13 તારીખે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને હવે વિધાનસભામાં નહીં પરંતુ સંસદ ભવનમાં જોવા મળશે. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેશે.. જો વાવની વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162 સંખ્યા બળ વિધાનસભામાં થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.