Gujarat Politics : આવનાર 6 મહિનાની અંદર વાવમાં યોજાશે પેટા ચૂંટણી, સાંસદ તરીકે ચૂંટાતા Geniben Thakor આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું..


  • Published By :
  • Published Date : 2024-06-12 10:45:02

2022માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. જ્યારે ધારાસભ્યનું પદ ખાલી થાય છે ત્યારે તે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાતી હોય છે. બનાસકાંઠાના વાવમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાના છે.. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેને કારણે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. આવનાર 6 મહિનાની અંદર અંદર વાવમાં પેટા ચૂંટણી યોજાશે.. 13 જૂને વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપવાના છે.



વાવના મતદાતાઓએ ફરી કરવું પડશે મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે વિધાનસભામાં.. 2024માં પેટા ચૂંટણી યોજાઈ તેનું કારણ હતું કે ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું જેને કારણે  ત્યાંના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરવું પડ્યું.. ત્યારે વાવમાં આવનાર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી આવતી કાલે એટલે કે13 તારીખે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપવાના છે. 


જીતેલા ઉમેદવારોએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ 

ભારતીય જનતા પાર્ટીને 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો મળી. તે બાદ થોડા સમયની અંદર પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાયું અને પેટાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. ગઈકાલે પાંચેય ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે વાવમાં કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાના છે. 



વાવના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર

13 તારીખે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને હવે વિધાનસભામાં નહીં પરંતુ સંસદ ભવનમાં જોવા મળશે. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેશે.. જો વાવની વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162 સંખ્યા બળ વિધાનસભામાં થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...       



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.