Gujarat Politics : આવનાર 6 મહિનાની અંદર વાવમાં યોજાશે પેટા ચૂંટણી, સાંસદ તરીકે ચૂંટાતા Geniben Thakor આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું..


  • Published By :
  • Published Date : 2024-06-12 10:45:02

2022માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. જ્યારે ધારાસભ્યનું પદ ખાલી થાય છે ત્યારે તે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાતી હોય છે. બનાસકાંઠાના વાવમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાના છે.. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેને કારણે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. આવનાર 6 મહિનાની અંદર અંદર વાવમાં પેટા ચૂંટણી યોજાશે.. 13 જૂને વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપવાના છે.



વાવના મતદાતાઓએ ફરી કરવું પડશે મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે વિધાનસભામાં.. 2024માં પેટા ચૂંટણી યોજાઈ તેનું કારણ હતું કે ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું જેને કારણે  ત્યાંના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરવું પડ્યું.. ત્યારે વાવમાં આવનાર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી આવતી કાલે એટલે કે13 તારીખે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપવાના છે. 


જીતેલા ઉમેદવારોએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ 

ભારતીય જનતા પાર્ટીને 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો મળી. તે બાદ થોડા સમયની અંદર પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાયું અને પેટાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. ગઈકાલે પાંચેય ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે વાવમાં કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાના છે. 



વાવના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર

13 તારીખે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને હવે વિધાનસભામાં નહીં પરંતુ સંસદ ભવનમાં જોવા મળશે. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેશે.. જો વાવની વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162 સંખ્યા બળ વિધાનસભામાં થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.