Gujarat Politics : એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે Jawahar Chawda કોંગ્રેસમાં જવાના છે અને પેટા ચૂંટણી લડશે, સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા કે...


  • Published By :
  • Published Date : 2024-03-25 17:41:42

ભાજપમાં ભરતી મેળો થતો અનેક વખત જોયો છે. અનેક નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ જતા હોય છે. તાજેતરમાં અનેક એવા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના નેતા જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જઈ શકે છે. આવી ચર્ચાઓ થવા પાછળ પણ અનેક કારણો હતા જેમ કે ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ...

એવી ચર્ચાએ જોર પકડ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે!

સવારથી એવી  ચર્ચાએ જોર પકડ્યું હતું કે જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહેશે. કોંગ્રેસમાં ભરતી મેળો યોજાશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે ત્યારે આવી ચર્ચાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. સવારથી જ્યારે આવી ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે જમાવટની ટીમે જવાહર ચાવડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો.. જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી. મહત્વનું છે કે તે પહેલા કોંગ્રેસમાં હતા, તે પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. એવું પણ લાગતું હતું કે તે કોંગ્રેસમાં જશે તો તે પેટા ચૂંટણી પણ લડી શકે છે.

Image

સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાએ આપી સ્પષ્ટતા... 

આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.. આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા.


જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.