Gujarat Politics : એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે Jawahar Chawda કોંગ્રેસમાં જવાના છે અને પેટા ચૂંટણી લડશે, સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા કે...


  • Published By :
  • Published Date : 2024-03-25 17:41:42

ભાજપમાં ભરતી મેળો થતો અનેક વખત જોયો છે. અનેક નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ જતા હોય છે. તાજેતરમાં અનેક એવા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના નેતા જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જઈ શકે છે. આવી ચર્ચાઓ થવા પાછળ પણ અનેક કારણો હતા જેમ કે ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ...

એવી ચર્ચાએ જોર પકડ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે!

સવારથી એવી  ચર્ચાએ જોર પકડ્યું હતું કે જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહેશે. કોંગ્રેસમાં ભરતી મેળો યોજાશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે ત્યારે આવી ચર્ચાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. સવારથી જ્યારે આવી ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે જમાવટની ટીમે જવાહર ચાવડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો.. જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી. મહત્વનું છે કે તે પહેલા કોંગ્રેસમાં હતા, તે પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. એવું પણ લાગતું હતું કે તે કોંગ્રેસમાં જશે તો તે પેટા ચૂંટણી પણ લડી શકે છે.

Image

સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાએ આપી સ્પષ્ટતા... 

આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.. આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા.


જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.