Gujarat Politics : એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે Jawahar Chawda કોંગ્રેસમાં જવાના છે અને પેટા ચૂંટણી લડશે, સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા કે...


  • Published By :
  • Published Date : 2024-03-25 17:41:42

ભાજપમાં ભરતી મેળો થતો અનેક વખત જોયો છે. અનેક નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ જતા હોય છે. તાજેતરમાં અનેક એવા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના નેતા જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જઈ શકે છે. આવી ચર્ચાઓ થવા પાછળ પણ અનેક કારણો હતા જેમ કે ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ...

એવી ચર્ચાએ જોર પકડ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે!

સવારથી એવી  ચર્ચાએ જોર પકડ્યું હતું કે જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહેશે. કોંગ્રેસમાં ભરતી મેળો યોજાશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે ત્યારે આવી ચર્ચાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. સવારથી જ્યારે આવી ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે જમાવટની ટીમે જવાહર ચાવડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો.. જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી. મહત્વનું છે કે તે પહેલા કોંગ્રેસમાં હતા, તે પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. એવું પણ લાગતું હતું કે તે કોંગ્રેસમાં જશે તો તે પેટા ચૂંટણી પણ લડી શકે છે.

Image

સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાએ આપી સ્પષ્ટતા... 

આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.. આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા.


જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.