Gujarat Politics : Naran Rathwa BJPમાં જોડાયા, સાંભળો C.R.Patilના નિવેદનને જેનાથી અડધું ગુજરાત અસહેમત હશે..!


  • Published By :
  • Published Date : 2024-02-28 09:59:30

ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી ચહેરો ગણાતા નારણ રાઠવા, પોતાના પુત્ર તેમજ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસ પાસે એક મુખ્ય આદિવાસી ચહેરો હતો નારણ રાઠવાના રૂપમાં પરંતુ તે પણ હવે ભાજપમાં જતા રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. આદિવાસી વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તે ફરવાની છે તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે નારણ રાઠવા જ્યારે ભાજપમાં જોડાયા તે વખતે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેનાથી કદાચ અડધું ગુજરાત અસહેમત હશે.   

પક્ષપલટો કર્યા બાદ બદલાય છે નેતાના સુર!

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયમાં ભાજપમાં એટલા ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તાઓ જોડાયા છે જેની કલ્પના કદાચ ભાજપે પોતે નહીં કરી હોય.! આપણી સામે એવા અનેક ઉદાહરણો છે કે સાંજ સુધી ભાજપની નીતિને વખોડતા હતા તે જ ભાજપમાં જોડાયા બાદ ભાજપના વખાણ કરવા લાગે છે. જે પાર્ટીમાં રહી તે ચૂંટાયા હોય છે, સાંસદ સભ્ય બન્યા હોય છે, ધારાસભ્ય બન્યા હોય છે તે જ પાર્ટી તેમને ખરાબ લાગવા લાગે છે. જે પાર્ટી માટે વર્ષો સુધી મહેનત કરી તે જ પાર્ટી માટે ખરાબ રાજનેતાઓ બોલવા લાગે છે પક્ષપલટો કર્યા બાદ. 

 


વિકાસના કામો અટકી ન જાય તે માટે નેતાઓ કરે છે પક્ષપલટો! 

મુખ્યત્વે નેતાઓ ભાજપમાં જોડાયા પાછળનું કારણ એ આપતા હોય છે કે બીજા પાર્ટીમાં રહીને જનતા માટે કામ નથી થતાં. લોકોને સુવિધાઓ મળી રહે તે માટે તે પક્ષપલટો કરી રહ્યા છે. પણ ખરેખર એવું હોય છે ખરૂં? શું સાચે મતદાતાઓ માટે રાજનેતાઓ ભાજપમાં જતા હોય છે કે પછી પોતાના કામો કઢાવવા માટે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સી.આર.પાટીલે જે તર્ક આપ્યો તેના પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.