Gujarat Politics : Naran Rathwa BJPમાં જોડાયા, સાંભળો C.R.Patilના નિવેદનને જેનાથી અડધું ગુજરાત અસહેમત હશે..!


  • Published By :
  • Published Date : 2024-02-28 09:59:30

ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી ચહેરો ગણાતા નારણ રાઠવા, પોતાના પુત્ર તેમજ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસ પાસે એક મુખ્ય આદિવાસી ચહેરો હતો નારણ રાઠવાના રૂપમાં પરંતુ તે પણ હવે ભાજપમાં જતા રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. આદિવાસી વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તે ફરવાની છે તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે નારણ રાઠવા જ્યારે ભાજપમાં જોડાયા તે વખતે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેનાથી કદાચ અડધું ગુજરાત અસહેમત હશે.   

પક્ષપલટો કર્યા બાદ બદલાય છે નેતાના સુર!

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયમાં ભાજપમાં એટલા ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તાઓ જોડાયા છે જેની કલ્પના કદાચ ભાજપે પોતે નહીં કરી હોય.! આપણી સામે એવા અનેક ઉદાહરણો છે કે સાંજ સુધી ભાજપની નીતિને વખોડતા હતા તે જ ભાજપમાં જોડાયા બાદ ભાજપના વખાણ કરવા લાગે છે. જે પાર્ટીમાં રહી તે ચૂંટાયા હોય છે, સાંસદ સભ્ય બન્યા હોય છે, ધારાસભ્ય બન્યા હોય છે તે જ પાર્ટી તેમને ખરાબ લાગવા લાગે છે. જે પાર્ટી માટે વર્ષો સુધી મહેનત કરી તે જ પાર્ટી માટે ખરાબ રાજનેતાઓ બોલવા લાગે છે પક્ષપલટો કર્યા બાદ. 

 


વિકાસના કામો અટકી ન જાય તે માટે નેતાઓ કરે છે પક્ષપલટો! 

મુખ્યત્વે નેતાઓ ભાજપમાં જોડાયા પાછળનું કારણ એ આપતા હોય છે કે બીજા પાર્ટીમાં રહીને જનતા માટે કામ નથી થતાં. લોકોને સુવિધાઓ મળી રહે તે માટે તે પક્ષપલટો કરી રહ્યા છે. પણ ખરેખર એવું હોય છે ખરૂં? શું સાચે મતદાતાઓ માટે રાજનેતાઓ ભાજપમાં જતા હોય છે કે પછી પોતાના કામો કઢાવવા માટે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સી.આર.પાટીલે જે તર્ક આપ્યો તેના પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.