Gujarat Politics : વધુ એક ધારાસભ્ય આપી શકે છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું! જાણો ક્યાંય તમારા વિસ્તારના ધારાસભ્ય તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-01-25 10:46:16

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. મતદાતાઓએ કોને વોટ આપવો તે અંગે વિચારી પણ રહ્યા હશે કદાચ.. પરંતુ ગુજરાતની અનેક વિધાનસભા બેઠકોના મતદાતાઓને પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવી માહિતી સામે આવી છે કે વધુ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. માહિતી અનુસાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામાની રેસમાં આગળ ચાલી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. 


વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભરતી મેળો ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજીનીતિ શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ સમાચાર મળતા કોંગ્રેસના લૂણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અનેક વખત એવું થયું છે કે પહેલા ધારાસભ્ય ના પાડતા હોય છે પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે. ખેર આ જ તો રાજીનીતિ છે, આજે રાજીનામું આપવાની ના પાડતા હોય છે પરંતુ તે ધારાસભ્ય બીજા દિવસે રાજીનામું આપી દેતા હોય છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.