Gujarat Politics : વધુ એક ધારાસભ્ય આપી શકે છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું! જાણો ક્યાંય તમારા વિસ્તારના ધારાસભ્ય તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-01-25 10:46:16

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. મતદાતાઓએ કોને વોટ આપવો તે અંગે વિચારી પણ રહ્યા હશે કદાચ.. પરંતુ ગુજરાતની અનેક વિધાનસભા બેઠકોના મતદાતાઓને પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવી માહિતી સામે આવી છે કે વધુ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. માહિતી અનુસાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામાની રેસમાં આગળ ચાલી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. 


વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભરતી મેળો ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજીનીતિ શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ સમાચાર મળતા કોંગ્રેસના લૂણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અનેક વખત એવું થયું છે કે પહેલા ધારાસભ્ય ના પાડતા હોય છે પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે. ખેર આ જ તો રાજીનીતિ છે, આજે રાજીનામું આપવાની ના પાડતા હોય છે પરંતુ તે ધારાસભ્ય બીજા દિવસે રાજીનામું આપી દેતા હોય છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે