Gujarat Politics : વધુ એક ધારાસભ્ય આપી શકે છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું! જાણો ક્યાંય તમારા વિસ્તારના ધારાસભ્ય તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-01-25 10:46:16

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. મતદાતાઓએ કોને વોટ આપવો તે અંગે વિચારી પણ રહ્યા હશે કદાચ.. પરંતુ ગુજરાતની અનેક વિધાનસભા બેઠકોના મતદાતાઓને પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવી માહિતી સામે આવી છે કે વધુ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. માહિતી અનુસાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામાની રેસમાં આગળ ચાલી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. 


વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભરતી મેળો ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજીનીતિ શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ સમાચાર મળતા કોંગ્રેસના લૂણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અનેક વખત એવું થયું છે કે પહેલા ધારાસભ્ય ના પાડતા હોય છે પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે. ખેર આ જ તો રાજીનીતિ છે, આજે રાજીનામું આપવાની ના પાડતા હોય છે પરંતુ તે ધારાસભ્ય બીજા દિવસે રાજીનામું આપી દેતા હોય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.