Gujaratનું રાજકારણ ગરમાશે! Jawahar Chavda કઈક નવાજૂની કરે તેવા એંધાણ! સમર્થકો સાથે કરી મીટીંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 18:51:42

ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે... ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

અરવિંદ લાડાણીએ કરી હતી ફરિયાદ કે... 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તેમજ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું..  પરંતુ ગુજરાતની રાજનીતિ દિવસેને દિવસે ગરમાઈ રહી છે.. ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ બહાર આવી રહ્યો છે તેવું લાગી રહ્યું  છે. થોડા સમય પહેલા માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી હતી. 


જવાહર ચાવડાએ પોતાના સમર્થકો સાથે કરી ગુપ્ત બેઠક!

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી. જવાહર ચાવડાના દીકરાએ 04 મેના રોજ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકરોની મીટિંગ બોલાવી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ કરી હતી. અને હવે સમાચાર આવી રહ્યા કે જેને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની સાથે ખાનગી બેઠક યોજી હતી. 


શું આવનાર સમયમાં જવાહર ચાવડા કરશે ઘરવાપસી? 

નુતન જીનીગ મિલ ખાતે જવાહર ચાવડા અને પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની  ખાનગી મીટિંગ બોલાવી હતી. આ ખાનગી મીટિંગ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે  આ ખાનગી મીટિંગ બાદ જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવા જઈ રહ્યા હોય તેવું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. વાતો તો એવી પણ થાય છે કે જવાહર ચાવડા ઘરવાપસી પણ કરી શકે છે. જોકે અમે આ બાબતે એમને ફોન કર્યો હતો પણ વાત થઈ શકી નથી. પણ દિલ્હીમાં જાય એ પહેલા જવાહર ચાવડા કંઈક નવું ગતકડું લાવે તેવું લાગી રહ્યું છે.. 


પત્રમાં શું લખ્યું હતું અરવિંદ લાડાણીએ? 

અરવિંદ લાડાણીના પત્ર બાદ સતત જવહાર ચાવડાનું નામ ચર્ચામાં છે. અરવિંદભાઈએ લેટરમાં લખ્યું હતું.

જય ભારત સાથ જણાવવાનું કે ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી તથા ૮૫ માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે ૭૦૦ થી ૮૦૦ કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. 


ત્રણ નેતાઓને આવ્યું દિલ્હીથી તેડું!

ત્યારબાદ પ્રદેશ નેતાગીરીએ ત્રણ નેતાને દિલ્હી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા કહ્યું છે તેવી માહિતી સામે આવી છે. દિલ્હીથી ત્રણેયને તેડું આવ્યું છે જેમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા ,સાંસદ નારણ કાછડિયા અને જવાહર ચાવડા છે... ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે જેના કારણે તેમણે સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. હવે ભાજપમાં શું નવાજૂની થાય છે નેતા સસ્પેન્ડ થાય છે કે પછી એની પહેલા પક્ષપલટો કરે છે તે જોવાનું રહ્યું. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.