Gujarat : BJP લોકસભા ઉમેદવારને લઈ વિરોધ! વડોદરા- સાબરકાંઠા બેઠક માટે બદલવામાં આવ્યા ઉમેદવાર ત્યારે શું રાજકોટમાં પણ બદલાશે ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-04-03 17:35:48

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી.. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ અલગ અલગ બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થયો. ભારતીય જનતા પાર્ટીએ પણ કદાચ સપનામાં નહીં વિચાર્યું હોય કે પાર્ટીના હાઈકમાન્ડનો કાર્યકર્તાઓ વિરોધ કરશે... વિરોધ એટલો વધી ગયો કે રસ્તા પર કાર્યકર્તાઓ ઉતરી ગયા. બે બેઠકો પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે ત્યારે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે ત્રીજી બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવા પડી શકે છે... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે.... 



વડોદરામાં રંજનબેન ભટ્ટની બદલીમાં આમને બનાવાયા ઉમેદવાર    

ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે... હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય માનવામાં આવે છે.. પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ છે.. ભારતીય જનતા પાર્ટીએ જેની કલ્પના પણ નહીં કરી હોય તેવી પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે....અલગ અલગ બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. બે બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા... એક બેઠક છે વડોદરા બેઠક અને બીજી બેઠક છે સાબરકાંઠા લોકસભા બેઠક... વડોદરા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને પહેલા ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ડો, હેમાંગ જોશીએ ઉમેદવાર જાહેર કર્યા. 



સાબરકાંઠામાં ભાજપે બદલ્યા ઉમેદવાર પરંતુ થઈ રહ્યો છે વિરોધ  

તે સિવાય સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને બદલવામાં આવ્યા... પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા પરંતુ તે બાદ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી.. તે બાદ ત્યાં નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરાયા પરંતુ તેમનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. વિરોધના અનેક દ્રશ્યો સાબરકાંઠાથી સામે આવ્યા હતા જેમાં તે શોભનાબેન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.


વિવાદને શાંત કરવા માટે મળી હતી બેઠક, પરંતુ તે રહી નિષ્ફળ 

જાહેર કરવામાં આવેલા ઉમેદવારને બદલવા પડશે તેની કલ્પના કદાચ ભાજપે પણ નહીં કરી હોય... ઈતિહાસમાં કદાચ પહેલી વાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. એવું લાગતું હતું કે આજે મળેલી બેઠકમાં આ વિવાદ શાંત થઈ જશે.. ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન વચ્ચે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ ગઈ છે. સમાધાનનો અંતિમ પ્રયાસ નિષ્ફળ થયો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. બેઠક નિષ્ફળ ગઈ તે બાદ એવી સંભાવનાઓ વધી ગઈ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો ત્રીજી બેઠક એવી હશે જ્યાં ભાજપ ઉમેદવારને બદલી શકે છે...           



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે