વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, હર્ષ સંઘવીએ રજૂ કર્યું બિલ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:07:40

વિધાનસભા સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પેપર ફૂટવાને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. ત્યારે વિધાનસભા ગૃહમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક રજૂ કરાયું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે યુવાનો દેવો ભવ, યુવાન શક્તિ દેવો ભવ. 


આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહો - હર્ષ સંઘવી 

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું. જેને કારણે અનેક યુવાનોના સપના વિખેરાઈ ગયા હતા. ત્યારે પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. ત્યારે વિધાનસભામાં પેપર લીક થયું અટકી શકે તે માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કર્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે હું વધુ બોલવા કરતા વધું સાંભળવાની તૈયારી સાથે આવ્યો છું. રાજ્ય સરકારે ઈનિશિયેટીવ લઈને બિલ બનાવ્યું છે. કોઈ ખામી હોય તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહ્યું હતું. તે ઉપરાંત સરકારને પણ વિનંતી કરી હતી કે વિપક્ષમાંથી આવ્યું છે એટલે ન લેવું એવું ન કરી સ્વીકૃતિ રાખવામાં આવે. પ્રજાના હીત માટે કાયદો છે. 


પેપર નથી ફૂટતા આ માણસ અને નીતિ ફૂટે છે - હર્ષ સંઘવી 

વધુમાં તેમણે કહ્યું કે કડક કાયદો લાવવો આજના સમયની માગ છે. સમયાંતરે પરીક્ષામાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરાયો છે. વિદ્યાર્થીઓેને અન્યાન ન થાય અને અતિશયોક્તિ ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભરતીના પેપર ફૂટવાના અને ગેરરીતિના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે. કેટલાક લેભાગુ અને અસામાજીક તત્વો વિકાસ વિરોધી તત્વો ગેરરીતિ કરે છે. આ પેપર નથી ફુટતા આ માણસ અને નીતિ ફૂટે છે. શોર્ટકટ અપનાવી અને નોકરી લેવા આવું કરે છે. 



કડક કાયદો લાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે - સંઘવી  

પોલીસકર્મી રાત દિવસ મહેનત કરી આરોપીઓને પકડે છે, તેમની સામે ગુન્હો નોંધાય છે પરંતુ પરીક્ષા અંગે કોઈ કાયદો ન હોવાને કારણે તેમને છટકબારી મળે છે. કડક કાયદો બનાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે. પેપર ફૂટેલુ એની કોઈ પરીક્ષાર્થીઓએ ફરિયાદ નથી કરી. ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દુષણખોરો હોય તે રીતે તેમના પર ધ્યાન રાખો.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.