વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, હર્ષ સંઘવીએ રજૂ કર્યું બિલ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:07:40

વિધાનસભા સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પેપર ફૂટવાને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. ત્યારે વિધાનસભા ગૃહમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક રજૂ કરાયું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે યુવાનો દેવો ભવ, યુવાન શક્તિ દેવો ભવ. 


આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહો - હર્ષ સંઘવી 

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું. જેને કારણે અનેક યુવાનોના સપના વિખેરાઈ ગયા હતા. ત્યારે પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. ત્યારે વિધાનસભામાં પેપર લીક થયું અટકી શકે તે માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કર્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે હું વધુ બોલવા કરતા વધું સાંભળવાની તૈયારી સાથે આવ્યો છું. રાજ્ય સરકારે ઈનિશિયેટીવ લઈને બિલ બનાવ્યું છે. કોઈ ખામી હોય તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહ્યું હતું. તે ઉપરાંત સરકારને પણ વિનંતી કરી હતી કે વિપક્ષમાંથી આવ્યું છે એટલે ન લેવું એવું ન કરી સ્વીકૃતિ રાખવામાં આવે. પ્રજાના હીત માટે કાયદો છે. 


પેપર નથી ફૂટતા આ માણસ અને નીતિ ફૂટે છે - હર્ષ સંઘવી 

વધુમાં તેમણે કહ્યું કે કડક કાયદો લાવવો આજના સમયની માગ છે. સમયાંતરે પરીક્ષામાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરાયો છે. વિદ્યાર્થીઓેને અન્યાન ન થાય અને અતિશયોક્તિ ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભરતીના પેપર ફૂટવાના અને ગેરરીતિના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે. કેટલાક લેભાગુ અને અસામાજીક તત્વો વિકાસ વિરોધી તત્વો ગેરરીતિ કરે છે. આ પેપર નથી ફુટતા આ માણસ અને નીતિ ફૂટે છે. શોર્ટકટ અપનાવી અને નોકરી લેવા આવું કરે છે. 



કડક કાયદો લાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે - સંઘવી  

પોલીસકર્મી રાત દિવસ મહેનત કરી આરોપીઓને પકડે છે, તેમની સામે ગુન્હો નોંધાય છે પરંતુ પરીક્ષા અંગે કોઈ કાયદો ન હોવાને કારણે તેમને છટકબારી મળે છે. કડક કાયદો બનાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે. પેપર ફૂટેલુ એની કોઈ પરીક્ષાર્થીઓએ ફરિયાદ નથી કરી. ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દુષણખોરો હોય તે રીતે તેમના પર ધ્યાન રાખો.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.