પેપર લીક કરનારા ચેતી જજો, પરીક્ષામાં ગેરરીતિ રોકવાના કાયદાને રાજ્યપાલની મંજુરી


  • Published By :
  • Published Date : 2023-03-06 20:52:29

ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે યોજાતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. સરકાર પેપર લિક કાંડને રોકવા માટે અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવી હતી. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, આજે આ બિલ પર રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે હસ્તાક્ષર કરતાં હવે તે કાયદો બની ગયો છે. 


આ છે કાયદાની મહત્વની જોગવાઈઓ 


1-કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ 

2-પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો તે ગેરરીતિ ગણાશે 

3-ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ 

4-દોષિત પરીક્ષાર્થીઓ બે વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રહેશે

5-પેપર લિંક કરનારાને  ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ

દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે

6-દોષિતની પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત

7-પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા

8-ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

9-અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે

10-પેપર લિકનો ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર છે

11-PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ

12-DYSPકક્ષાના પોલીસ અધિકારીઓ કરશે કેસની તપાસ

13-પરીક્ષા સત્તામંડળ અધિકારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે  તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાનો નાણાકીય દંડ



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.