પેપર લીક કરનારા ચેતી જજો, પરીક્ષામાં ગેરરીતિ રોકવાના કાયદાને રાજ્યપાલની મંજુરી


  • Published By :
  • Published Date : 2023-03-06 20:52:29

ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે યોજાતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. સરકાર પેપર લિક કાંડને રોકવા માટે અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવી હતી. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, આજે આ બિલ પર રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે હસ્તાક્ષર કરતાં હવે તે કાયદો બની ગયો છે. 


આ છે કાયદાની મહત્વની જોગવાઈઓ 


1-કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ 

2-પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો તે ગેરરીતિ ગણાશે 

3-ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ 

4-દોષિત પરીક્ષાર્થીઓ બે વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રહેશે

5-પેપર લિંક કરનારાને  ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ

દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે

6-દોષિતની પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત

7-પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા

8-ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

9-અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે

10-પેપર લિકનો ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર છે

11-PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ

12-DYSPકક્ષાના પોલીસ અધિકારીઓ કરશે કેસની તપાસ

13-પરીક્ષા સત્તામંડળ અધિકારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે  તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાનો નાણાકીય દંડ



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.