પેપર લીક કરનારા ચેતી જજો, પરીક્ષામાં ગેરરીતિ રોકવાના કાયદાને રાજ્યપાલની મંજુરી


  • Published By :
  • Published Date : 2023-03-06 20:52:29

ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે યોજાતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. સરકાર પેપર લિક કાંડને રોકવા માટે અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવી હતી. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, આજે આ બિલ પર રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે હસ્તાક્ષર કરતાં હવે તે કાયદો બની ગયો છે. 


આ છે કાયદાની મહત્વની જોગવાઈઓ 


1-કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ 

2-પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો તે ગેરરીતિ ગણાશે 

3-ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ 

4-દોષિત પરીક્ષાર્થીઓ બે વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રહેશે

5-પેપર લિંક કરનારાને  ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ

દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે

6-દોષિતની પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત

7-પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા

8-ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

9-અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે

10-પેપર લિકનો ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર છે

11-PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ

12-DYSPકક્ષાના પોલીસ અધિકારીઓ કરશે કેસની તપાસ

13-પરીક્ષા સત્તામંડળ અધિકારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે  તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાનો નાણાકીય દંડ



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.