Gujarat Rain - આજથી શરૂ થયો વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, જાણી લો તમારો વિસ્તાર તો નથી ને...


  • Published By :
  • Published Date : 2024-09-02 11:45:27

બંગાળની ખાડીમાં અરબ સાગરમાં બનતી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવે છે.. અહીંયા સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.. ત્યારે ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજ માટે 14 જેટલા વિસ્તારો માટે એલર્ટ આપી દીધું છે. રાજ્યના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અથવા તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. Windy અનુસાર મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.   



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ., દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



થોડા સમય પહેલા આવેલા વરસાદે સર્જ્યો વિનાશ

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકો એમ પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે. ગરમીથી લોકો કંટાળી ગયા હતા અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસું જામ્યું.. અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસ્યો.. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં તંત્રની પ્રિ મોનસુનની કામગીરીની પોલ પણ ખુલ્લી ગઈ.. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. થોડા દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતું.. વાવાઝોડાનું સંકટ તો જતું રહ્યું વરસાદની સિઝન હજી સુધી સમાપ્ત નથી થઈ... અનેક વિસ્તારોમાં આવેલા વરસાદ તબાહી લઈને આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા અને અનેક લોકોના ઘરનો સામાન વિનાશ પામ્યો.  



આ મહિનામાં પણ સારા વરસાદના એંધાણ 

સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી અને આજે ફરી એક વખત વરસાદી રાઉન્ડ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે.. આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ ના પડ્યો હતો એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળા જેટલી ગરમી તો ન હતી પરંતુ તો પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો.. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવી વાત ત્યાંના લોકો કરી રહ્યા હતા. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.