Gujarat Rain - આજથી શરૂ થયો વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, જાણી લો તમારો વિસ્તાર તો નથી ને...


  • Published By :
  • Published Date : 2024-09-02 11:45:27

બંગાળની ખાડીમાં અરબ સાગરમાં બનતી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવે છે.. અહીંયા સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.. ત્યારે ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજ માટે 14 જેટલા વિસ્તારો માટે એલર્ટ આપી દીધું છે. રાજ્યના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અથવા તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. Windy અનુસાર મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.   



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ., દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



થોડા સમય પહેલા આવેલા વરસાદે સર્જ્યો વિનાશ

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકો એમ પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે. ગરમીથી લોકો કંટાળી ગયા હતા અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસું જામ્યું.. અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસ્યો.. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં તંત્રની પ્રિ મોનસુનની કામગીરીની પોલ પણ ખુલ્લી ગઈ.. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. થોડા દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતું.. વાવાઝોડાનું સંકટ તો જતું રહ્યું વરસાદની સિઝન હજી સુધી સમાપ્ત નથી થઈ... અનેક વિસ્તારોમાં આવેલા વરસાદ તબાહી લઈને આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા અને અનેક લોકોના ઘરનો સામાન વિનાશ પામ્યો.  



આ મહિનામાં પણ સારા વરસાદના એંધાણ 

સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી અને આજે ફરી એક વખત વરસાદી રાઉન્ડ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે.. આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ ના પડ્યો હતો એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળા જેટલી ગરમી તો ન હતી પરંતુ તો પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો.. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવી વાત ત્યાંના લોકો કરી રહ્યા હતા. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.