Gujarat Rain - આજથી શરૂ થયો વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, જાણી લો તમારો વિસ્તાર તો નથી ને...


  • Published By :
  • Published Date : 2024-09-02 11:45:27

બંગાળની ખાડીમાં અરબ સાગરમાં બનતી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવે છે.. અહીંયા સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.. ત્યારે ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજ માટે 14 જેટલા વિસ્તારો માટે એલર્ટ આપી દીધું છે. રાજ્યના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અથવા તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. Windy અનુસાર મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.   



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ., દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



થોડા સમય પહેલા આવેલા વરસાદે સર્જ્યો વિનાશ

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકો એમ પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે. ગરમીથી લોકો કંટાળી ગયા હતા અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસું જામ્યું.. અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસ્યો.. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં તંત્રની પ્રિ મોનસુનની કામગીરીની પોલ પણ ખુલ્લી ગઈ.. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. થોડા દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતું.. વાવાઝોડાનું સંકટ તો જતું રહ્યું વરસાદની સિઝન હજી સુધી સમાપ્ત નથી થઈ... અનેક વિસ્તારોમાં આવેલા વરસાદ તબાહી લઈને આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા અને અનેક લોકોના ઘરનો સામાન વિનાશ પામ્યો.  



આ મહિનામાં પણ સારા વરસાદના એંધાણ 

સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી અને આજે ફરી એક વખત વરસાદી રાઉન્ડ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે.. આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ ના પડ્યો હતો એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળા જેટલી ગરમી તો ન હતી પરંતુ તો પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો.. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવી વાત ત્યાંના લોકો કરી રહ્યા હતા. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."