Gujarat Rain : ધોધમાર વરસાદ થવાની આગાહી Ambalal Patelએ કરી! જાણો કયારે અને ક્યાં આવી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-24 14:44:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની મોસમ રાજ્યમાં જામી છે.. મેઘમહેર જોવા મળી રહી છે ગુજરાતના અનેક ભાગોમાં. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 29 તારીખ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા તો વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરી અંબાલાલ કાકાએ વરસાદની આગાહી? 

જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ ધ્યાન આપવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 26મીએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.



રાજ્યમાં જામશે વરસાદી માહોલ 

તે સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 28 તારીખ સુધીમાં જૂનાગઢના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..બોટાદ, અમદાવાદ, જામનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી હતી. આવતી કાલથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે. 



વરસાદ થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ 

મહત્વનું છે કે આ વખતે ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે વરસાદ વરસ્યો ના હતો. વરસાદનું આગમન સમય કરતા વહેલા થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો પાક થશે, સારો વરસાદ થશે.. પરંતુ વરસાદ ના થવાને કારણે જગતના તાત ચિંતિત થઈ ગયા. ત્યારે હવે વરસાદની પધરામણી થવાથી જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મહત્વનું છે કે અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"