Gujarat Rain : ધોધમાર વરસાદ થવાની આગાહી Ambalal Patelએ કરી! જાણો કયારે અને ક્યાં આવી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-24 14:44:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની મોસમ રાજ્યમાં જામી છે.. મેઘમહેર જોવા મળી રહી છે ગુજરાતના અનેક ભાગોમાં. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 29 તારીખ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા તો વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરી અંબાલાલ કાકાએ વરસાદની આગાહી? 

જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ ધ્યાન આપવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 26મીએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.



રાજ્યમાં જામશે વરસાદી માહોલ 

તે સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 28 તારીખ સુધીમાં જૂનાગઢના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..બોટાદ, અમદાવાદ, જામનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી હતી. આવતી કાલથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે. 



વરસાદ થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ 

મહત્વનું છે કે આ વખતે ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે વરસાદ વરસ્યો ના હતો. વરસાદનું આગમન સમય કરતા વહેલા થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો પાક થશે, સારો વરસાદ થશે.. પરંતુ વરસાદ ના થવાને કારણે જગતના તાત ચિંતિત થઈ ગયા. ત્યારે હવે વરસાદની પધરામણી થવાથી જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મહત્વનું છે કે અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.