Gujarat Rain : રાજ્યના આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-06 13:04:14

મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. અનેક લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો છે.. ત્યાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image


આટલા જિલ્લાઓ માટે કરવામાં આવી આગાહી

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવતું હોય છે.. આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે 15 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવ્યો છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે સિવાય દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Image

તમારે ત્યાં કેવો માહોલ?

તે સિવાય નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે વરસાદનું આગમન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.