Gujarat Rain : રાજ્યના આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-06 13:04:14

મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. અનેક લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો છે.. ત્યાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image


આટલા જિલ્લાઓ માટે કરવામાં આવી આગાહી

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવતું હોય છે.. આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે 15 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવ્યો છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે સિવાય દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Image

તમારે ત્યાં કેવો માહોલ?

તે સિવાય નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે વરસાદનું આગમન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.