Gujarat Rain : રાજ્યના આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-06 13:04:14

મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. અનેક લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો છે.. ત્યાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image


આટલા જિલ્લાઓ માટે કરવામાં આવી આગાહી

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવતું હોય છે.. આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે 15 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવ્યો છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે સિવાય દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Image

તમારે ત્યાં કેવો માહોલ?

તે સિવાય નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે વરસાદનું આગમન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.