Gujarat Rain : ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરસાદની એન્ટ્રી, આજે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી, રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-10 12:09:27

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી નથી થઈ પરંતુ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉનાળો ખતમ થવાને આરે છે અને ક્યાંક વરસાદની પધરામણી થઈ ગઈ છે.. શનિવારે તેમજ રવિવારે અનેક ભાગોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.. વરસાદ થવાને કારણે ગરમીથી તેમજ બફારાથી આંશિક રાહત મળી છે પરંતુ તાપમાનનો પારો હજી વધી પણ શકે છે... હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને થઈ રહ્યું છે કે વરસાદ નજીક છે.. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે અને અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. ગઈકાલે રાત્રે અમદાવાદમાં પણ વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

અનેક જગ્યાઓ પર જામ્યો વરસાદી માહોલ

કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે જેને કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે... વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને આશા જાગી છે કે ચોમાસું ગમે ત્યારે ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતમાં હાલ પ્રિ-મોનસુન એક્ટિવી શરૂ થઈ ગઈ છે જેને કારણે અનેક જગ્યાઓનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદનું આગમન થઈ ગયું છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ.. 

તે સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.  મહત્વનું છે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. એક તરફ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ અનેક વિસ્તારોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 37.9 જ્યારે વલસાડનું તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 40.9 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.