Gujarat Rain : ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરસાદની એન્ટ્રી, આજે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી, રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-10 12:09:27

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી નથી થઈ પરંતુ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉનાળો ખતમ થવાને આરે છે અને ક્યાંક વરસાદની પધરામણી થઈ ગઈ છે.. શનિવારે તેમજ રવિવારે અનેક ભાગોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.. વરસાદ થવાને કારણે ગરમીથી તેમજ બફારાથી આંશિક રાહત મળી છે પરંતુ તાપમાનનો પારો હજી વધી પણ શકે છે... હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને થઈ રહ્યું છે કે વરસાદ નજીક છે.. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે અને અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. ગઈકાલે રાત્રે અમદાવાદમાં પણ વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

અનેક જગ્યાઓ પર જામ્યો વરસાદી માહોલ

કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે જેને કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે... વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને આશા જાગી છે કે ચોમાસું ગમે ત્યારે ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતમાં હાલ પ્રિ-મોનસુન એક્ટિવી શરૂ થઈ ગઈ છે જેને કારણે અનેક જગ્યાઓનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદનું આગમન થઈ ગયું છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ.. 

તે સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.  મહત્વનું છે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. એક તરફ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ અનેક વિસ્તારોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 37.9 જ્યારે વલસાડનું તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 40.9 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.