Gujarat Rain : ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરસાદની એન્ટ્રી, આજે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી, રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-10 12:09:27

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી નથી થઈ પરંતુ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉનાળો ખતમ થવાને આરે છે અને ક્યાંક વરસાદની પધરામણી થઈ ગઈ છે.. શનિવારે તેમજ રવિવારે અનેક ભાગોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.. વરસાદ થવાને કારણે ગરમીથી તેમજ બફારાથી આંશિક રાહત મળી છે પરંતુ તાપમાનનો પારો હજી વધી પણ શકે છે... હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને થઈ રહ્યું છે કે વરસાદ નજીક છે.. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે અને અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. ગઈકાલે રાત્રે અમદાવાદમાં પણ વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

અનેક જગ્યાઓ પર જામ્યો વરસાદી માહોલ

કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે જેને કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે... વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને આશા જાગી છે કે ચોમાસું ગમે ત્યારે ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતમાં હાલ પ્રિ-મોનસુન એક્ટિવી શરૂ થઈ ગઈ છે જેને કારણે અનેક જગ્યાઓનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદનું આગમન થઈ ગયું છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ.. 

તે સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.  મહત્વનું છે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. એક તરફ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ અનેક વિસ્તારોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 37.9 જ્યારે વલસાડનું તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 40.9 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.