રાજ્યના 128 તાલુકામાં મેઘમહેર, હિરણ નદી ગાંડીતુર બની, 33 જળાશયો છલોછલ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો


  • Published By :
  • Published Date : 2023-07-19 20:54:22

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડની જેમ ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે રાજ્યના 128 તાલુકામાં હળવાથી મૂશળધાર વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 11 તાલુકામાં 4થી 11 ઇંચ, 18 તાલુકામાં 2થી 4 ઇંચ, 20 તાલુકામાં 1થી 2 ઇંચ જ્યારે 79 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં 11.4, માળિયા હાટીનામાં 7.6, પોરબંદરના કુતિયાણામાં 6.8 અને ભાવનગરના વલભીપુરમાં 5.7 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથમાં બારે મેઘ ખાગાની સ્થિતિ છે, સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યો છો તો ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 


આ જિલ્લાઓમાં જળબંબાકાર


સમગ્ર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આજે સવારથી અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે.


હિરણ નદી ગાંડીતુર બની


તાલાલા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તાલાલા વિસ્તારમાં વરસાદે તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ વર્ષે ચોમાસાની સીઝનના પ્રથમ દોઢ માસમાં 1320 મી.મી વરસાદ વરસી ગયો છે. ગીરના જંગલમાં મંગળવારે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ મોડી રાત્રે 10 થી 2 વાગ્યાના 4 કલાકના સમયગાળા દરમિયાન 8 અને 10 ઈંચ વરસાદ ખાબકતાં તાલાલા વિસ્તાર તથા કમલેશ્વર ડેમનું 3.5 ફૂટ ઓવરફલોનું પાણી એકસાથે હિરણ નદીમાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીનું પાણી ક્ષમતા કરતા વધી જતાં સાસણ રોડ ઉપરથી નદી ફાટતાં તાલાલા શહેરના નરસિંહ ટેકરી, સાસણ રોડ, ધારેશ્વર, સુંદરમ્ સોસાયટી, સિદીવાડા અને દલિત મહોલ્લા સહિતના અનેક વિસ્તારોમાં નદીના ઘસમસતા પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા.


207 પૈકીના 33  જળાશયો છલોછલ 


ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આજે 19 જુલાઈએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના રિપોર્ટ મુજબ ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે