રાજ્યના 128 તાલુકામાં મેઘમહેર, હિરણ નદી ગાંડીતુર બની, 33 જળાશયો છલોછલ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો


  • Published By :
  • Published Date : 2023-07-19 20:54:22

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડની જેમ ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે રાજ્યના 128 તાલુકામાં હળવાથી મૂશળધાર વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 11 તાલુકામાં 4થી 11 ઇંચ, 18 તાલુકામાં 2થી 4 ઇંચ, 20 તાલુકામાં 1થી 2 ઇંચ જ્યારે 79 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં 11.4, માળિયા હાટીનામાં 7.6, પોરબંદરના કુતિયાણામાં 6.8 અને ભાવનગરના વલભીપુરમાં 5.7 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથમાં બારે મેઘ ખાગાની સ્થિતિ છે, સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યો છો તો ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 


આ જિલ્લાઓમાં જળબંબાકાર


સમગ્ર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આજે સવારથી અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે.


હિરણ નદી ગાંડીતુર બની


તાલાલા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તાલાલા વિસ્તારમાં વરસાદે તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ વર્ષે ચોમાસાની સીઝનના પ્રથમ દોઢ માસમાં 1320 મી.મી વરસાદ વરસી ગયો છે. ગીરના જંગલમાં મંગળવારે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ મોડી રાત્રે 10 થી 2 વાગ્યાના 4 કલાકના સમયગાળા દરમિયાન 8 અને 10 ઈંચ વરસાદ ખાબકતાં તાલાલા વિસ્તાર તથા કમલેશ્વર ડેમનું 3.5 ફૂટ ઓવરફલોનું પાણી એકસાથે હિરણ નદીમાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીનું પાણી ક્ષમતા કરતા વધી જતાં સાસણ રોડ ઉપરથી નદી ફાટતાં તાલાલા શહેરના નરસિંહ ટેકરી, સાસણ રોડ, ધારેશ્વર, સુંદરમ્ સોસાયટી, સિદીવાડા અને દલિત મહોલ્લા સહિતના અનેક વિસ્તારોમાં નદીના ઘસમસતા પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા.


207 પૈકીના 33  જળાશયો છલોછલ 


ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આજે 19 જુલાઈએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના રિપોર્ટ મુજબ ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.